Surah Al-Kahf

સૂરહ અલ-કહ્ફ

રૂકૂઅ : ૪

આયત ૨૩ થી ૩૧

وَ لَا تَقُوْلَنَّ لِشَایْءٍ اِنِّیْ فَاعِلٌ ذٰلِكَ غَدًاۙ (23)

(૨૩) અને ક્યારેય કોઈ કામ માટે એવી રીતે ન કહો કે, “હું તેને કાલે કરીશ.”


اِلَّاۤ اَنْ یَّشَآءَ اللّٰهُ ز وَ اذْكُرْ رَّبَّكَ اِذَا نَسِیْتَ وَ قُلْ عَسٰۤى اَنْ یَّهْدِیَنِ رَبِّیْ لِاَقْرَبَ مِنْ هٰذَا رَشَدًا (24)

(૨૪) પરંતુ સાથે જ ઈન્શાઅલ્લાહ (અલ્લાહે ચાહ્યુ તો) કહી લો, અને જ્યારે પણ ભૂલી જાઓ પોતાના રબને યાદ કરી લો, અને કહેતા રહો કે મને પૂરી આશા છે કે મારો રબ આનાથી પણ વધારે હિદાયતના નજીકની વાતની હિદાયત કરશે.”


وَ لَبِثُوْا فِیْ كَهْفِهِمْ ثَلٰثَ مِائَةٍ سِنِیْنَ وَ ازْدَادُوْا تِسْعًا (25)

(૨૫) અને તે લોકો પોતાની ગુફામાં ત્રણ સો વર્ષ સુધી રહ્યા અને નવ વર્ષ બીજા વધારે પસાર કર્યા.


قُلِ اللّٰهُ اَعْلَمُ بِمَا لَبِثُوْا ۚ لَهٗ غَیْبُ السَّمٰوٰتِ وَ الْاَرْضِ ؕ اَبْصِرْ بِهٖ وَ اَسْمِعْ ؕ مَا لَهُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّلِیٍّ ز وَّ لَا یُشْرِكُ فِیْ حُكْمِهٖۤ اَحَدًا (26)

(૨૬) તમે કહી દો કે, “અલ્લાહને જ તેમના રોકાણની મુદ્દતનું સારી રીતે ઈલ્મ છે, આકાશો અને ધરતીના ગૈબ (પરોક્ષ) નું ઈલ્મ ફક્ત તેને જ છે, કેવો સરસ છે તે જોવા અને સાંભળવાવાળો, અલ્લાહના સિવાય તેમની કોઈ મદદ કરવાવાળો નથી અને અલ્લાહ (તઆલા) પોતાના હુકમમાં કોઈને સામેલ કરતો નથી.”


وَ اتْلُ مَاۤ اُوْحِیَ اِلَیْكَ مِنْ كِتَابِ رَبِّكَ ؕۚ لَا مُبَدِّلَ لِكَلِمٰتِهٖ ۚ قف وَ لَنْ تَجِدَ مِنْ دُوْنِهٖ مُلْتَحَدًا (27)

(૨૭) અને તમારા તરફ જે તમારા રબની કિતાબ વહી કરવામાં આવી છે તેને પઢતા રહો, તેની વાતોને કોઈ બદલવાવાળો નથી, તમે તેના સિવાય હરગીજ-હરગીજ કોઈ પનાહ નહિ મેળવો.



وَ اصْبِرْ نَفْسَكَ مَعَ الَّذِیْنَ یَدْعُوْنَ رَبَّهُمْ بِالْغَدٰوةِ وَ الْعَشِیِّ یُرِیْدُوْنَ وَجْهَهٗ وَ لَا تَعْدُ عَیْنٰكَ عَنْهُمْ ۚ تُرِیْدُ زِیْنَةَ الْحَیٰوةِ الدُّنْیَا ۚ وَ لَا تُطِعْ مَنْ اَغْفَلْنَا قَلْبَهٗ عَنْ ذِكْرِنَا وَ اتَّبَعَ هَوٰىهُ وَ كَانَ اَمْرُهٗ فُرُطًا (28)

(૨૮) અને પોતાની જાતને તેમના સાનિધ્યમાં રાખો જેઓ પોતાના રબને સવાર-સાંજ પોકારે છે તથા તેનાજ ચહેરાની ચાહના કરે છે. સાવધાન ! તમારી આંખો તેનાથી ન હટવા પામે કે દુનિયાની જિંદગીના શણગારની કોશિશમાં લાગી જાઓ, (જુઓ) તેમનું કહેવું ન માનતા જેમના દિલોને અમે અમારી યાદથી ગાફેલ કરી દીધા છે, અને જેઓ પોતાની મનોકામનાની પાછળ પડેલા છે અને જેમના કાર્યો હદથી વધી ગયા છે.


وَ قُلِ الْحَقُّ مِنْ رَّبِّكُمْ قف فَمَنْ شَآءَ فَلْیُؤْمِنْ وَّ مَنْ شَآءَ فَلْیَكْفُرْ ۙ اِنَّاۤ اَعْتَدْنَا لِلظّٰلِمِیْنَ نَارًا ۙ اَحَاطَ بِهِمْ سُرَادِقُهَا ؕ وَ اِنْ یَّسْتَغِیْثُوْا یُغَاثُوْا بِمَآءٍ كَالْمُهْلِ یَشْوِی الْوُجُوْهَ ؕ بِئْسَ الشَّرَابُ ؕ وَ سَآءَتْ مُرْتَفَقًا (29)

(૨૯) અને એલાન કરી દો કે આ સરાસર સત્ય (કુરઆન) તમારા રબ તરફથી છે, હવે જે ચાહે ઈમાન લાવે અને જે ચાહે કુફ્ર કરે, જાલિમોના માટે અમે તે આગ તૈયાર કરી રાખી છે જેની જ્વાળાઓ તેમને ઘેરી લેશે, જો તેઓ ફરિયાદ કરશે તો તેમની મદદ તે પાણીથી કરવામાં આવશે જે તેલના કીટા જેવું હશે જે તેમના ચહેરા બાળી નાખશે, સૌથી ખરાબ પાણી છે અને ઘણું ખરાબ આરામગૃહ (જહન્નમ) છે.


اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اِنَّا لَا نُضِیْعُ اَجْرَ مَنْ اَحْسَنَ عَمَلًاۚ (30)

(૩૦) બેશક જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા તો અમે કોઈ નેકી કરનારના બદલાને બરબાદ નથી કરતા.


اُولٰٓئِكَ لَهُمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِیْ مِنْ تَحْتِهِمُ الْاَنْهٰرُ یُحَلَّوْنَ فِیْهَا مِنْ اَسَاوِرَ مِنْ ذَهَبٍ وَّ یَلْبَسُوْنَ ثِیَابًا خُضْرًا مِّنْ سُنْدُسٍ وَّ اِسْتَبْرَقٍ مُّتَّكِئِیْنَ فِیْهَا عَلَى الْاَرَآئِكِ ؕ نِعْمَ الثَّوَابُ ؕ وَ حَسُنَتْ مُرْتَفَقًا ۧ (31)

(૩૧) તેમના માટે હંમેશાની જન્નત છે, તેના નીચે નહેરો વહી રહી હશે, ત્યાં તેમને સોનાના કડાં પહેરાવવામાં આવશે, અને લીલા રંગના મુલાયમ અને મોટા રેશમના કપડાં પહેરશે, ત્યાં ઉચ્ચ આસનો પર તકિયા લગાવ્યા હશે, કેવો સરસ બદલો છે અને કેટલું સારૂં આરામગૃહ છે. (ع-)