(૧૨૭) તેઓ સ્ત્રીઓના વિષે તમને પ્રશ્ન કરે છે તમે કહી દો કે અલ્લાહ પોતે તમને તેમના વિષે હુકમ આપે છે અને જે કંઈ કિતાબ (કુરઆન)માં તમારી સામે પઢવામાં આવે છે, તે અનાથ સ્ત્રીઓના વિષે જેમને તમે તેમનો અધિકાર નથી આપતા, અને તેમનાથી નિકાહ કરવા ઈચ્છો છો, અને કમજોર બાળકોના વિષે અને એ કે તમે અનાથોના વિષે ન્યાય કરો, અને તમે જે પણ નેક કામ કરશો અલ્લાહ તેને સારી રીતે જાણનાર છે.