Surah Muhammad

સૂરહ મુહમ્મદ

રૂકૂ : ૪

આયત ૨૯ થી ૩૮

اَمْ حَسِبَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ اَنْ لَّنْ یُّخْرِجَ اللّٰهُ اَضْغَانَهُمْ (29)

(૨૯) શું તે લોકો જેમના દિલોમાં રોગ છે એવું સમજી બેઠા છે કે અલ્લાહ તેમના કપટને જાહેર નહિં કરે ?


وَ لَوْ نَشَآءُ لَاَرَیْنٰكَهُمْ فَلَعَرَفْتَهُمْ بِسِیْمٰىهُمْ ؕ وَ لَتَعْرِفَنَّهُمْ فِیْ لَحْنِ الْقَوْلِ ؕ وَ اللّٰهُ یَعْلَمُ اَعْمَالَكُمْ (30)

(૩૦) અને જો અમે ઈચ્છીએ તો તેઓને તમને દેખાડી દેતા અને તમે તેમના ચહેરા પરથી જ તેમને ઓળખી લેતા અને બેશક તમે તેમને તેમની વાતચીત કરવાની રીતથી ઓળખી લેશો, તમારા બધાના કર્મોથી અલ્લાહ પૂરેપૂરો વાકેફ છે.


وَ لَنَبْلُوَنَّكُمْ حَتّٰى نَعْلَمَ الْمُجٰهِدِیْنَ مِنْكُمْ وَ الصّٰبِرِیْنَ ۙ وَ نَبْلُوَاۡ اَخْبَارَكُمْ (31)

(૩૧) અને બેશક અમે તમારી પરીક્ષા કરીશું જેથી તમારામાંથી જિહાદ કરનારાઓ અને સબ્ર કરનારાઓને જોઈ લઈએ અને અમે તમારી હાલતોની તપાસ કરી લઈએ.

اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَ صَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ وَ شَآقُّوا الرَّسُوْلَ مِنْۢ بَعْدِ مَا تَبَیَّنَ لَهُمُ الْهُدٰى ۙ لَنْ یَّضُرُّوا اللّٰهَ شَیْئًا ؕ وَ سَیُحْبِطُ اَعْمَالَهُمْ (32)

(૩૨) બેશક જે લોકોએ કુફ્ર કર્યુ અને અલ્લાહના માર્ગથી લોકોને રોક્યા અને રસૂલનો વિરોધ કર્યો, આના પછી કે તેમના માટે હિદાયત સ્પષ્ટ થઈ ચૂકી હતી, આ લોકો કદી પણ અલ્લાહનું કોઈ નુક્સાન કરી શકતા નથી, તે તેમના કર્મોને જલ્દી બરબાદ કરી દેશે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَ اَطِیْعُوا الرَّسُوْلَ وَ لَا تُبْطِلُوْۤا اَعْمَالَكُمْ (33)

(૩૩) હે ઈમાનવાળાઓ! અલ્લાહનું આજ્ઞાપાલન (ઈતાઅત) કરો અને રસૂલનું આજ્ઞાપાલન કરો અને પોતાના કર્મોને બરબાદ ન કરો.


اِنَّ الَّذِیْنَ كَفَرُوْا وَ صَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ ثُمَّ مَاتُوْا وَ هُمْ كُفَّارٌ فَلَنْ یَّغْفِرَ اللّٰهُ لَهُمْ (34)

(૩૪) બેશક જે લોકોએ કુક્ર કર્યુ અને અલ્લાહના માર્ગથી (બીજાઓને) રોક્યા, પછી કુફ્રની હાલતમાં જ મરી ગયા (વિશ્વાસ રાખો કે) અલ્લાહ તેમને કદી પણ માફ નહિં કરે.


فَلَا تَهِنُوْا وَ تَدْعُوْۤا اِلَى السَّلْمِ { ۖق} وَ اَنْتُمُ الْاَعْلَوْنَ { ۖق} وَ اللّٰهُ مَعَكُمْ وَ لَنْ یَّتِرَكُمْ اَعْمَالَكُمْ (35)

(૩૫) અને તમે કમજોર બનીને સુલેહની દરખાસ્ત પર ન ઉતરી આવો, જ્યારે કે તમે જ વિજયી રહેશો અને અલ્લાહ તમારા સાથે છે (પોતાના જ્ઞાનના આધારે), અશક્ય છે કે તમારા કર્મો બરબાદ કરી દે.


اِنَّمَا الْحَیٰوةُ الدُّنْیَا لَعِبٌ وَّ لَهْوٌ ؕ وَ اِنْ تُؤْمِنُوْا وَ تَتَّقُوْا یُؤْتِكُمْ اُجُوْرَكُمْ وَ لَا یَسْئَلْكُمْ اَمْوَالَكُمْ (36)

(૩૬) હકીકતમાં દુનિયાનું જીવન તો ખેલકૂદ છે અને જો તમે ઈમાન લાવશો અને સંયમ (તકવો) અપનાવશો તો અલ્લાહ તમારા કર્મોનો બદલો આપશે અને તે તમારો માલ તમારા પાસે નથી માંગતો.


اِنْ یَّسْئَلْكُمُوْهَا فَیُحْفِكُمْ تَبْخَلُوْا وَ یُخْرِجْ اَضْغَانَكُمْ (37)

(૩૭) જો તે તમારા પાસે તમારો માલ માંગે અને બળપૂર્વક માંગે તો તમે તેનાથી કંજૂસી કરવા લાગશો અને તે તમારા દોષને જાહેર કરી દેશે.


هٰۤاَنْتُمْ هٰۤؤُلَآءِ تُدْعَوْنَ لِتُنْفِقُوْا فِیْ سَبِیْلِ اللّٰهِ ۚ فَمِنْكُمْ مَّنْ یَّبْخَلُ ۚ وَ مَنْ یَّبْخَلْ فَاِنَّمَا یَبْخَلُ عَنْ نَّفْسِهٖ ؕ وَ اللّٰهُ الْغَنِیُّ وَ اَنْتُمُ الْفُقَرَآءُ ۚ وَ اِنْ تَتَوَلَّوْا یَسْتَبْدِلْ قَوْمًا غَیْرَكُمْ ۙ ثُمَّ لَا یَكُوْنُوْۤا اَمْثَالَكُمْ ۧ (38)

(૩૮) ખબરદાર ! તમે તે લોકો છો કે અલ્લાહના માર્ગમાં ખૂબ ખર્ચ કરવા માટે બોલાવવામાં આવો છો તો તમારામાંથી કેટલાક કંજૂસી કરવા લાગે છે અને જે કંજૂસી કરે છે તે બેશક પોતાના જ સાથે કંજૂસી કરે છે. અલ્લાહ (તઆલા) બેનિયાઝ છે અને તમે તેના મોહતાજ છો અને જો તમે મોઢું ફેરવનારા બની જાઓ તો તે તમારા સ્થાને બીજા લોકોને લાવશે જેઓ તમારા જેવા નહિં હોય. (ع-)