(૬) અય ઈમાનવાળાઓ! જ્યારે તમે નમાઝ માટે ઉઠો તો પોતાના ચહેરા અને કોણીઓ સુધી પોતાના હાથ ધોઈ લો, અને પોતાના માથાનો મસહ (બંને હાથ ભીના કરી માથા પર ફેરવવા) કરી લો અને પોતાના પગ ઘૂંટીઓ (ટખના) સુધી ધોઈ લો, અને જો તમે અપવિત્ર હોવ તો સ્નાન કરી લો, અને જો તમે બીમાર હોવ, અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઈ શૌચાલયથી આવે અથવા તમે પત્નીને મળ્યા હોય અને પાણી ન મળે તો પવિત્ર માટીથી તયમ્મુમ કરી લો તેને પોતાના ચેહરા અને હાથો પર ફેરવી લો, અલ્લાહ તમારા પર તંગી ઈચ્છોતો નથી, પરંતુ તમને પવિત્ર કરવા ઈચ્છે છે અને જેથી તમારા પર પોતાની ને’મત પરિપૂર્ણ કરે અને જેથી તમે શુક્રગુજાર (કૃતજ્ઞ) રહો.