Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૨

આયત ૬ થી ૧૧


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا قُمْتُمْ اِلَى الصَّلٰوةِ فَاغْسِلُوْا وُجُوْهَكُمْ وَ اَیْدِیَكُمْ اِلَى الْمَرَافِقِ وَ امْسَحُوْا بِرُءُوْسِكُمْ وَ اَرْجُلَكُمْ اِلَى الْكَعْبَیْنِ ؕ وَ اِنْ كُنْتُمْ جُنُبًا فَاطَّهَّرُوْا ؕ وَ اِنْ كُنْتُمْ مَّرْضٰۤى اَوْ عَلٰى سَفَرٍ اَوْ جَآءَ اَحَدٌ مِّنْكُمْ مِّنَ الْغَآئِطِ اَوْ لٰمَسْتُمُ النِّسَآءَ فَلَمْ تَجِدُوْا مَآءً فَتَیَمَّمُوْا صَعِیْدًا طَیِّبًا فَامْسَحُوْا بِوُجُوْهِكُمْ وَ اَیْدِیْكُمْ مِّنْهُ ؕ مَا یُرِیْدُ اللّٰهُ لِیَجْعَلَ عَلَیْكُمْ مِّنْ حَرَجٍ وَّ لٰكِنْ یُّرِیْدُ لِیُطَهِّرَكُمْ وَ لِیُتِمَّ نِعْمَتَهٗ عَلَیْكُمْ لَعَلَّكُمْ تَشْكُرُوْنَ (6)

(૬) અય ઈમાનવાળાઓ! જ્યારે તમે નમાઝ માટે ઉઠો તો પોતાના ચહેરા અને કોણીઓ સુધી પોતાના હાથ ધોઈ લો, અને પોતાના માથાનો મસહ (બંને હાથ ભીના કરી માથા પર ફેરવવા) કરી લો અને પોતાના પગ ઘૂંટીઓ (ટખના) સુધી ધોઈ લો, અને જો તમે અપવિત્ર હોવ તો સ્નાન કરી લો, અને જો તમે બીમાર હોવ, અથવા મુસાફરીમાં હોવ અથવા તમારામાંથી કોઈ શૌચાલયથી આવે અથવા તમે પત્નીને મળ્યા હોય અને પાણી ન મળે તો પવિત્ર માટીથી તયમ્મુમ કરી લો તેને પોતાના ચેહરા અને હાથો પર ફેરવી લો, અલ્લાહ તમારા પર તંગી ઈચ્છોતો નથી, પરંતુ તમને પવિત્ર કરવા ઈચ્છે છે અને જેથી તમારા પર પોતાની ને’મત પરિપૂર્ણ કરે અને જેથી તમે શુક્રગુજાર (કૃતજ્ઞ) રહો.


وَ اذْكُرُوْا نِعْمَةَ اللّٰهِ عَلَیْكُمْ وَ مِیْثَاقَهُ الَّذِیْ وَاثَقَكُمْ بِهٖۤ ۙ اِذْ قُلْتُمْ سَمِعْنَا وَ اَطَعْنَا {ز} وَ اتَّقُوا اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ عَلِیْمٌۢ بِذَاتِ الصُّدُوْرِ (7)

(૭) અને પોતાના ઉપર અલ્લાહની ને’મત અને તે વચનને યાદ કરો જેની તમારા સાથે સંધી થઈ, જયારે તમે કહ્યું કે, “અમે સાંભળ્યું અને માની લીધું” અને અલ્લાહ (તઆલા)થી ડરતા રહો, બેશક અલ્લાહ (તઆલા) દિલોની વાતોનો જાણકાર છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا كُوْنُوْا قَوّٰمِیْنَ لِلّٰهِ شُهَدَآءَ بِالْقِسْطِ {ز} وَ لَا یَجْرِمَنَّكُمْ شَنَاٰنُ قَوْمٍ عَلٰۤى اَلَّا تَعْدِلُوْا ؕ اِعْدِلُوْا {قف} هُوَ اَقْرَبُ لِلتَّقْوٰى {ز} وَ اتَّقُوا اللّٰهَ ؕ اِنَّ اللّٰهَ خَبِیْرٌۢ بِمَا تَعْمَلُوْنَ (8)

(૮) અય ઈમાનવાળાઓ! અલ્લાહના માટે સત્ય પર મજબૂત, ન્યાય ૫૨ ગવાહ બની જાઓ, અને કોઈ કોમની દુશ્મની તમને ન્યાય ન કરવા પર તૈયાર ન કરે, ન્યાય કરો તે પરહેઝગારીથી ઘણું નજીક છે અને અલ્લાહથી ડરતા રહો, બેશક અલ્લાહ તમારા કાર્યોથી બાખબર છે.


وَعَدَ اللّٰهُ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ۙ لَهُمْ مَّغْفِرَةٌ وَّ اَجْرٌ عَظِیْمٌ (9)

(૯) જેમણે યકીન કર્યું અને નેક કામો કર્યા અલ્લાહે તેમને માફી અને મોટા બદલાનો વાયદો કર્યો છે.


وَ الَّذِیْنَ كَفَرُوْا وَ كَذَّبُوْا بِاٰیٰتِنَاۤ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَحِیْمِ (10)

(૧૦) અને જેમણે યકીન ન કર્યુ અને અમારા હુકમોને જૂઠાડ્યા તેઓ જહન્નમી છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوا اذْكُرُوْا نِعْمَتَ اللّٰهِ عَلَیْكُمْ اِذْ هَمَّ قَوْمٌ اَنْ یَّبْسُطُوْۤا اِلَیْكُمْ اَیْدِیَهُمْ فَكَفَّ اَیْدِیَهُمْ عَنْكُمْ ۚ وَ اتَّقُوا اللّٰهَ ؕ وَ عَلَى اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُؤْمِنُوْنَ ۧ (11)

(૧૧) અય ઈમાનવાળાઓ! અલ્લાહ (તઆલા) એ જે તમારા પર અહેસાન કર્યા છે તેને યાદ કરો, જયારે કે એક કોમે તમારા પર જુલમ કરવા ચાહ્યું તો અલ્લાહ (તઆલા)એ તેમના હાથોને તમારા સુધી પહોંચવાથી રોકી લીધા, અને અલ્લાહ (તઆલા) થી ડરતા રહો અને ઈમાનવાળાઓએ અલ્લાહ (તઆલા) ૫૨ જ ભરોસો કરવો જોઈએ. (ع-)