Surah Al-Inshiqaq

સૂરહ અલ-ઈન્શિકાક

આયત : ૨૫ | રૂકૂ : ૧

સૂરહ અલ-ઈન્શિકાક (૮)

વિભાજન (ફાટી જવું)

સૂરહ અલ-ઈન્શિકાક મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં પચ્ચીસ (૨૫) આયતો અને એક (૧) રૂકૂઅ છે.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اِذَا السَّمَآءُ انْشَقَّتْ ۙ (1)

(૧) જ્યારે આકાશ ફાટી જશે.


وَ اَذِنَتْ لِرَبِّهَا وَ حُقَّتْ ۙ (2)

(૨) અને પોતાના રબના હુકમને કાન લગાવીને સાંભળશે અને તે આના જ લાયક છે.


وَ اِذَا الْاَرْضُ مُدَّتْ ۙ (3)

(૩) અને ધરતીને (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે.


وَ اَلْقَتْ مَا فِیْهَا وَ تَخَلَّتْ ۙ (4)

(૪) અને તેમાં જે કંઈ છે તેને બહાર કાઢી નાંખશે અને ખાલી થઈ જશે.


وَ اَذِنَتْ لِرَبِّهَا وَ حُقَّتْ ؕ (5)

(૫) અને પોતાના રબના હુકમ પર કાન ધરશે અને તે આના જ લાયક છે.


یٰۤاَیُّهَا الْاِنْسَانُ اِنَّكَ كَادِحٌ اِلٰى رَبِّكَ كَدْحًا فَمُلٰقِیْهِ ۚ (6)

(૬) હે મનુષ્ય ! તું પોતાના રબને મળવા સુધી આ કોશિશ અને બધા જ કામ તથા મહેનત કરીને તેનાથી મુલાકાત કરવાવાળો છે.


فَاَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ بِیَمِیْنِهٖ ۙ (7)

(૭) તો તે સમયે જે વ્યક્તિના જમણા હાથમાં કર્મપોથી આપવામાં આવશે.


فَسَوْفَ یُحَاسَبُ حِسَابًا یَّسِیْرًا ۙ (8)

(૮) તેનો હિસાબ તો ખૂબ જ આસાનીથી લેવામાં આવશે.


وَّ یَنْقَلِبُ اِلٰۤى اَهْلِهٖ مَسْرُوْرًا ؕ (9)

(૯) અને તે પોતાના પરિવારવાળાઓ તરફ ખુશ થઈ પાછો ફરશે.


وَ اَمَّا مَنْ اُوْتِیَ كِتٰبَهٗ وَرَآءَ ظَهْرِهٖ ۙ (10)

(૧૦) પરંતુ જે વ્યક્તિની કર્મપોથી પીઠ પાછળથી આપવામાં આવશે.


فَسَوْفَ یَدْعُوْا ثُبُوْرًا ۙ (11)

(૧૧) તો તે મોતને બોલાવવા લાગશે.


وَّ یَصْلٰى سَعِیْرًا ؕ (12)

(૧૨) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.


اِنَّهٗ كَانَ فِیْۤ اَهْلِهٖ مَسْرُوْرًا ؕ (13)

(૧૩) તે વ્યક્તિ પોતાના પરિવારમાં (સંસારમાં) ખુશ હતો.


اِنَّهٗ ظَنَّ اَنْ لَّنْ یَّحُوْرَ ۚۛ (14)

(૧૪) તે સમજતો હતો કે તેને (અલ્લાહના તરફ) ક્યારેય પાછા ફરવાનું નથી.


بَلٰۤى ۛۚ اِنَّ رَبَّهٗ كَانَ بِهٖ بَصِیْرًا ؕ (15)

(૧૫) આ કેવી રીતે થઈ શકે છે, જયારે કે તેનો રબ તેને સારી રીતે જોઈ રહ્યો હતો.


فَلَاۤ اُقْسِمُ بِالشَّفَقِ ۙ (16)

(૧૬) મને સંધ્યાની લાલિમાના સોગંદ!


وَ الَّیْلِ وَ مَا وَسَقَ ۙ (17)

(૧૭) અને રાત્રિના તથા તેની ભેગી થયેલી વસ્તુઓના સોગંદ !


وَ الْقَمَرِ اِذَا اتَّسَقَ ۙ (18)

(૧૮) અને પૂરા ચંદ્રના સોગંદ !


لَتَرْكَبُنَّ طَبَقًا عَنْ طَبَقٍ ؕ (19)

(૧૯) બેશક તમે એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પહોંચશો.


فَمَا لَهُمْ لَا یُؤْمِنُوْنَ ۙ (20)

(૨૦) આ લોકોને શું થઈ ગયુ છે કે ઈમાન નથી લાવતા.


وَ اِذَا قُرِئَ عَلَیْهِمُ الْقُرْاٰنُ لَا یَسْجُدُوْنَ ؕ ۩ {السجدة} ۞ (21)

(૨૧) અને જ્યારે એમના પાસે કુરઆન પઢવામાં આવે છે તો સિજદો નથી કરતા. {સિજદો-૧૪}


بَلِ الَّذِیْنَ كَفَرُوْا یُكَذِّبُوْنَ ۖ} (22)

(૨૨ ) બલ્કે જેમણે ઈન્કાર કર્યો, તેઓ જૂઠાડી રહ્યા છે.


وَ اللّٰهُ اَعْلَمُ بِمَا یُوْعُوْنَ ۖ} (23)

(૨૩) અને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે, જે કંઈ તેમના દિલોમાં રાખે છે.


فَبَشِّرْهُمْ بِعَذَابٍ اَلِیْمٍ ۙ (24)

(૨૪) તો આમને દર્દનાક અઝાબની ખુશખબર સંભળાવી દો.


اِلَّا الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ اَجْرٌ غَیْرُ مَمْنُوْنٍ ۧ (25)

(૨૫) પરંતુ ઈમાનવાળાઓ અને સદાચારીઓ (નેક લોકો)ને અખૂટ અને બેહિસાબ બદલો આપવામાં આવશે.(ع-)