Surah Al-Anfal

સૂરહ અલ અન્ફાલ

રૂકૂઅ : ૨

આયત ૧૧ થી ૧૯

اِذْ یُغَشِّیْكُمُ النُّعَاسَ اَمَنَةً مِّنْهُ وَ یُنَزِّلُ عَلَیْكُمْ مِّنَ السَّمَآءِ مَآءً لِّیُطَهِّرَكُمْ بِهٖ وَ یُذْهِبَ عَنْكُمْ رِجْزَ الشَّیْطٰنِ وَ لِیَرْبِطَ عَلٰى قُلُوْبِكُمْ وَ یُثَبِّتَ بِهِ الْاَقْدَامَؕ (11)

(૧૧) તે સમયને યાદ કરો જયારે કે (અલ્લાહ તઆલા) તમારા ઉપર ઊંઘ પ્રસારી રહ્યો હતો, પોતાના તરફથી શાંતિ પ્રદાન કરવા માટે, અને તમારા ઉપર આકાશમાંથી પાણી વરસાવી રહ્યો હતો કે આ પાણી વડે તમને પવિત્ર કરી દે અને તમારા ઉપરથી શેતાની શંકાઓ દૂર કરી દે, અને તમારા દિલોને મજબૂત કરી દે, અને તમારા કદમ જમાવી દે.


اِذْ یُوْحِیْ رَبُّكَ اِلَى الْمَلٰٓئِكَةِ اَنِّیْ مَعَكُمْ فَثَبِّتُوا الَّذِیْنَ اٰمَنُوْا ؕ سَاُلْقِیْ فِیْ قُلُوْبِ الَّذِیْنَ كَفَرُوا الرُّعْبَ فَاضْرِبُوْا فَوْقَ الْاَعْنَاقِ وَ اضْرِبُوْا مِنْهُمْ كُلَّ بَنَانٍؕ (12)

(૧૨) તે સમયને યાદ કરો, જ્યારે કે તમારો રબ ફરિશ્તાઓને હુકમ આપી રહ્યો હતો કે, “હું તમારા સાથે છું, એટલા માટે તમે ઈમાનવાળાઓની હિંમત વધારો, હું હમણા કાફિરોના દિલોમાં ડર નાખું છું, એટલા માટે તમે ગરદનો ઉપર ઘા કરો અને તેમના સાંધાઓ ઉપર ઘા કરો.”


ذٰلِكَ بِاَنَّهُمْ شَآقُّوا اللّٰهَ وَ رَسُوْلَهٗ ۚ وَ مَنْ یُّشَاقِقِ اللّٰهَ وَ رَسُوْلَهٗ فَاِنَّ اللّٰهَ شَدِیْدُ الْعِقَابِ (13)

(૧૩) આ એ વાતની સજા છે કે તે લોકોએ અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કર્યો અને જેઓ અલ્લાહ અને તેના રસૂલનો વિરોધ કરે છે તેમને અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે.


ذٰلِكُمْ فَذُوْقُوْهُ وَ اَنَّ لِلْكٰفِرِیْنَ عَذَابَ النَّارِ (14)

(૧૪) તો આ સજાનો સ્વાદ ચાખો અને જાણી લો કે કાફિરો માટે આગની સજા નક્કી છે.



یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا لَقِیْتُمُ الَّذِیْنَ كَفَرُوْا زَحْفًا فَلَا تُوَلُّوْهُمُ الْاَدْبَارَۚ (15)

(૧૫) અય ઈમાનવાળાઓ! જ્યારે તમે કાફિરોથી મુકાબલો કરો તો તેમનાથી પીઠ ફેરવશો નહિં.


وَ مَنْ یُّوَلِّهِمْ یَوْمَئِذٍ دُبُرَهٗۤ اِلَّا مُتَحَرِّفًا لِّقِتَالٍ اَوْ مُتَحَیِّزًا اِلٰى فِئَةٍ فَقَدْ بَآءَ بِغَضَبٍ مِّنَ اللّٰهِ وَ مَاْوٰىهُ جَهَنَّمُ١ؕ وَ بِئْسَ الْمَصِیْرُ (16)

(૧૬) અને જે વ્યક્તિ તેમનાથી તે મોકા ઉપર પીઠ ફેરવશે, પરંતુ જો કોઈ લડાઈ માટે દાવપેચ બદલતો હોય અથવા કોઈ પોતાના જૂથ તરફ શરણ લેવા આવતો હોય (તે વાત અલગ છે) બાકી જો બીજો આવું કરશે તો તે અલ્લાહના પ્રકોપને પામશે, અને તેનું ઠેકાણું જહન્નમ હશે અને તે ઘણું ખરાબ ઠેકાણું છે.


فَلَمْ تَقْتُلُوْهُمْ وَ لٰكِنَّ اللّٰهَ قَتَلَهُمْ ص وَ مَا رَمَیْتَ اِذْ رَمَیْتَ وَ لٰكِنَّ اللّٰهَ رَمٰى ۚ وَ لِیُبْلِیَ الْمُؤْمِنِیْنَ مِنْهُ بَلَآءً حَسَنًا ؕ اِنَّ اللّٰهَ سَمِیْعٌ عَلِیْمٌ (17)

(૧૭) તો તમે તેમને કતલ નથી કર્યા, પરંતુ અલ્લાહ (તઆલા)એ તેમને કતલ કર્યા,” અને તમે (ધૂળની મુઠ્ઠી) નથી ફેંકી, પરંતુ અલ્લાહ (તઆલા)એ ફેંકી, અને જેથી મુસલમાનોને પોતાના તરફથી તેમની કોશિશનો ઘણો મોટો બદલો આપે, બેશક અલ્લાહ (તઆલા) બધું જ સાંભળનાર અને જાણનાર છે.


ذٰلِكُمْ وَ اَنَّ اللّٰهَ مُوْهِنُ كَیْدِ الْكٰفِرِیْنَ (18)

(૧૮) (એક વાત તો) આ થઈ (બીજી વાત એ છે) કે અલ્લાહ (તઆલા)ને કાફિરોની ચાલને નાકામ કરવી હતી.


اِنْ تَسْتَفْتِحُوْا فَقَدْ جَآءَكُمُ الْفَتْحُ ۚ وَ اِنْ تَنْتَهُوْا فَهُوَ خَیْرٌ لَّكُمْ ۚ وَ اِنْ تَعُوْدُوْا نَعُدْ ۚ وَ لَنْ تُغْنِیَ عَنْكُمْ فِئَتُكُمْ شَیْئًا وَّ لَوْ كَثُرَتْ ۙ وَ اَنَّ اللّٰهَ مَعَ الْمُؤْمِنِیْنَ (19)

(૧૯) જો તમે લોકો ફેંસલો ચાહો છો તો તે ફેંસલો તમારા સામે છે, અને જો અટકી જાઓ તો તમારા માટે ઘણું સારૂ છે અને જો તમે ફરીથી તે જ કામ કરશો તો અમે પણ ફરીથી તે જ કામ કરીશું અને તમારો જથ્થો તમને કામ નહિં આવે, ભલેને તે ગમે તેટલો વધારે હોય, તથા હકીકત વાત એ છે કે અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓના સાથે છે.

(ع-)