Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૨૨) હે ઈસરાઈલના પુત્રો! મેં તમને જે ને'મતો આપી છે તેને યાદ કરો અને એ કે મેં તમને સમગ્ર દુનિયામાં શ્રેષ્ઠતા આપી રાખી હતી.
(૧૨૩) અને તે દિવસથી ડરો જે દિવસે કોઈ માણસ બીજા કોઈ માણસને કોઈ ફાયદો પહોંચાડી શકશે નહિં, ન કોઈ માણસથી બદલો સ્વીકારવામાં આવશે, ન તેને કોઈ ભલામણ ફાયદો પહોંચાડી શકશે, ન તેની મદદ કરવામાં આવશે.
(૧૨૪) અને જયારે ઈબ્રાહીમ (અ.સ.) ની તેમના રબે અનેક વાતોથી પરીક્ષા લીધી[50], અને તેણે દરેકને પૂરી કરી દેખાડી તો (અલ્લાહે) ફરમાવ્યું કે હું તમને લોકોના ઈમામ (સરદાર) બનાવનાર છું, પૂછ્યું અને મારી સંતાનને, જવાબ આપ્યો કે મારૂ વચન જાલિમોના માટે નથી.
(૧૨૫) અને અમે બયતુલ્લાહ (કાઅબા)ને લોકો માટે સવાબ (પુણ્ય) અને અમન (સલામતી)ની જગ્યા બનાવી, તમે “મકામે ઈબ્રાહીમ” (ઈબ્રાહીમનું સ્થળ-મસ્જિદે હરામમાં એક ખાસ જગ્યાનું નામ છે જે કાઅબાના દરવાજાની સામે થોડી ડાબી બાજુ હટીને છે.) ને “મુસલ્લા'' (નમાઝ પઢવાની જગ્યા) મુકર્રર કરી. લો[51], અને અમે ઈબ્રાહીમ અને ઈસ્માઈલ (અ.સ.)થી વચન લીધુ કે મારા ઘરને તવાફ અને એઅતેકાફ કરનારાઓ, અને રૂકૂઅ અને સિજદો કરનારાઓ માટે પવિત્ર અને સ્વચ્છ રાખો.
(૧૨૬) અને જયારે ઈબ્રાહીમે કહ્યું, હે મારા રબ! તુ આ સ્થળને શાંતિમય શહેર બનાવ અને અહિંયા રહેનારાઓને જેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન રાખવાવાળા હોય, ફળોની રોજી આપ.[52] અલ્લાહે કહ્યું કે હું કાફિરોને પણ થોડો ફાયદો આપીશ, પછી તેમને આગના અઝાબ તરફ મજબૂર કરી દઈશ, આ પહોંચવાની ખરાબ જગ્યા છે.
(૧૨૭) જ્યારે ઈબ્રાહીમ (અ.સ.) અને ઈસ્માઈલ (અ.સ.) કાઅબાની બુનિયાદ (અને દિવાલો) ઉઠાવતા જતા હતા અને કહેતા જતા હતા કે, “અય અમારા રબ! તુ અમારાથી કબૂલ કર, તું બધુંજ સાંભળનાર અને બધું જ જાણનાર છે."
(૧૨૮) અય અમારા રબ! અમને તારા ફરમાબરદાર બનાવ અને અમારી સંતાનોમાંથી એક સમૂહને તારા ફરમાબરદાર બનાવ અને અમને તારી બંદગી શીખવ અને અમારી તૌબા કબૂલ કર, તુ તૌબા કબૂલ કરવાવાળો મહેરબાન છે.
(૧૨૯) અય અમારા રબ! એમનામાં એમનામાંથી એક રસૂલ મોકલ[53] જે એમની પાસે તારી આયતો પઢે અને એમને કિતાબ તથા હિકમત[54] શીખવે અને એમને પવિત્ર કરે, બેશક તુ ગાલિબ (પ્રભાવશાળી) અને હિકમતવાળો છે.