Surah At-Tawbah

સૂરહ અત્‌ તૌબા

રૂકૂઅ : ૧૦

આયત ૭૩ થી ૮૦

یٰۤاَیُّهَا النَّبِیُّ جَاهِدِ الْكُفَّارَ وَ الْمُنٰفِقِیْنَ وَ اغْلُظْ عَلَیْهِمْ ؕ وَ مَاْوٰىهُمْ جَهَنَّمُ ؕ وَ بِئْسَ الْمَصِیْرُ (73)

(૭૩) હે નબી! કાફિરો અને મુનાફિકોથી જિહાદ કરતા રહો, અને તેમના ઉપર સખતાઈ કરો, તેમનું અસલ ઠેકાણું જહન્નમ છે. જે ઘણું ખરાબ ઠેકાણું છે.


یَحْلِفُوْنَ بِاللّٰهِ مَا قَالُوْا ؕ وَ لَقَدْ قَالُوْا كَلِمَةَ الْكُفْرِ وَ كَفَرُوْا بَعْدَ اِسْلَامِهِمْ وَ هَمُّوْا بِمَا لَمْ یَنَالُوْا ۚ وَ مَا نَقَمُوْۤا اِلَّاۤ اَنْ اَغْنٰىهُمُ اللّٰهُ وَ رَسُوْلُهٗ مِنْ فَضْلِهٖ ۚ فَاِنْ یَّتُوْبُوْا یَكُ خَیْرًا لَّهُمْ ۚ وَ اِنْ یَّتَوَلَّوْا یُعَذِّبْهُمُ اللّٰهُ عَذَابًا اَلِیْمًا ۙ فِی الدُّنْیَا وَ الْاٰخِرَةِ ۚ وَ مَا لَهُمْ فِی الْاَرْضِ مِنْ وَّلِیٍّ وَّ لَا نَصِیْرٍ (74)

(૭૪) આ લોકો અલ્લાહની ક્સમ ખાઈને કહે છે કે અમે તે વાતનથી કહી, જ્યારે કે બેશક કુફ્રની વાત તેમના મોઢાથી નીકળી ચૂકી છે, અને આ લોકો પોતાના ઈસ્લામ ઉપરાંત પણ કાફિર થઈ ગયા, અને તેઓએ તે કામનો ઈરાદો પણ કર્યો છે જેને પ્રાપ્ત ન કરી શક્યા, તેઓ ફક્ત આ જ વાતનો બદલો લઈ રહ્યા છે કે તેમને અલ્લાહે પોતાની કૃપાથી અને તેના રસૂલે ધનવાન કરી દીધા, જો તેઓ હજુ પણ તૌબા કરી લે તો આ તેમના હકમાં સારૂં છે, અને જો મોઢુ ફેરવી દે તો અલ્લાહ (તઆલા) તેમને દુનિયા અને આખિરતમાં પીડાકારી સજા આપશે, અને સમગ્ર ધરતીમાં તેમનો કોઈ દોસ્ત અને મદદગાર ઊભો નહિં થાય.


وَ مِنْهُمْ مَّنْ عٰهَدَ اللّٰهَ لَئِنْ اٰتٰىنَا مِنْ فَضْلِهٖ لَنَصَّدَّقَنَّ وَ لَنَكُوْنَنَّ مِنَ الصّٰلِحِیْنَ (75)

(૭૫) તેમનામાં એવા લોકો પણ છે જેમણે અલ્લાહથી વાયદો કર્યો હતો કે જો તે અમને પોતાની કૃપાથી માલ પ્રદાન કરશે તો અમે જરૂર સદકો કરીશું અને સંપૂર્ણ રીતે નેક લોકોમાં થઈ જઈશું.


فَلَمَّاۤ اٰتٰىهُمْ مِّنْ فَضْلِهٖ بَخِلُوْا بِهٖ وَ تَوَلَّوْا وَّ هُمْ مُّعْرِضُوْنَ (76)

(૭૬) પરંતુ જ્યારે અલ્લાહે પોતાની કૃપાથી તેમને આપ્યુ તો તેઓ તેમાં કંજૂસી કરવા લાગ્યા અને ટાલમટોલ કરી મોઢુ ફેરવી લીધું.


فَاَعْقَبَهُمْ نِفَاقًا فِیْ قُلُوْبِهِمْ اِلٰى یَوْمِ یَلْقَوْنَهٗ بِمَاۤ اَخْلَفُوا اللّٰهَ مَا وَعَدُوْهُ وَ بِمَا كَانُوْا یَكْذِبُوْنَ (77)

(૭૭) તો તેની સજા રૂપે અલ્લાહે તેમના દિલોમાં દંભ (નિફાક) નાખી દીધો, અલ્લાહને મળવાના દિવસો સુધી, કેમ કે તેમણે અલ્લાહથી કરેલા વાયદાનો ભંગ કર્યો અને જૂઠ બોલતા રહ્યા.


اَلَمْ یَعْلَمُوْۤا اَنَّ اللّٰهَ یَعْلَمُ سِرَّهُمْ وَ نَجْوٰىهُمْ وَ اَنَّ اللّٰهَ عَلَّامُ الْغُیُوْبِۚ (78)

(૭૮) શું આ લોકો નથી જાણતા કે અલ્લાહ (તઆલા) તેમના દિલોના ભેદ અને તેમની ગુસપુસ બધુ જાણે છે અને અલ્લાહ (તઆલા) તમારી છૂપી વાતોનો જાણકાર છે?


اَلَّذِیْنَ یَلْمِزُوْنَ الْمُطَّوِّعِیْنَ مِنَ الْمُؤْمِنِیْنَ فِی الصَّدَقٰتِ وَ الَّذِیْنَ لَا یَجِدُوْنَ اِلَّا جُهْدَهُمْ فَیَسْخَرُوْنَ مِنْهُمْ ؕ سَخِرَ اللّٰهُ مِنْهُمْ ز وَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ (79)

(૭૯) જે લોકો તે મુસલમાનો પર આરોપ લગાવે છે જેઓ દિલ ખોલીને સદકો કરે છે અને તે લોકો પર જેમને પોતાની મહેનત સિવાય કશું જ મળતુ નથી, તો તેઓ તેમની હાંસી ઉડાવે છે, અલ્લાહ પણ હાંસી ઉડાવનારાઓની હાંસી ઉડાવે છે અને તેમના માટે જ પીડાકારી સજા છે.


اِسْتَغْفِرْ لَهُمْ اَوْ لَا تَسْتَغْفِرْ لَهُمْ ؕ اِنْ تَسْتَغْفِرْ لَهُمْ سَبْعِیْنَ مَرَّةً فَلَنْ یَّغْفِرَ اللّٰهُ لَهُمْ ؕ ذٰلِكَ بِاَنَّهُمْ كَفَرُوْا بِاللّٰهِ وَ رَسُوْلِهٖ ؕ وَ اللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۧ (80)

(૮૦) તમે તેમના માટે તૌબા કરો કે ન કરો, જો તમે સિત્તેર વખત પણ તેમના માટે તૌબા કરશો તો પણ અલ્લાહ તેમને કદાપિ માફ નહિ કરે, કેમકે તેમણે અલ્લાહ અને તેના રસૂલ સાથે કુફ્ર કર્યું છે, અને આવા ફાસિકોને અલ્લાહ માર્ગ નથી દેખાડતો. (ع-૧૦)