(૧૦૫) બેશક અમે તમારા તરફ સત્યની સાથે કિતાબ ઉતારી છે, જેથી તમે લોકો વચ્ચે તેના હિસાબથી ફેંસલો કરો જેનાથી અલ્લાહ (તઆલા)એ તમને વાકેફ કર્યા, અને ખયાનત કરનારાઓના હિમાયતી ન બનો.
(૧૦૬) અને અલ્લાહ (તઆલા)થી માફી માંગો, બેશક અલ્લાહ (તઆલા) દરગુજર કરનાર મહેરબાન છે.
(૧૦૭) અને તેમના તરફથી ઝઘડો ન કરો જેઓ પોતે પોતાનો જ વિશ્વાસઘાત કરે છે, બેશક ધોખેબાજ ગુનેહગારને અલ્લાહ (તઆલા) પસંદ નથી કરતો.
(૧૦૮) તેઓ લોકોથી તો છૂપાઈ જાય છે પરંતુ અલ્લાહ (તઆલા)થી છૂપાઈ શકતા નથી, તે તો તેમના સાથે છે જ્યારે તેઓ રાત્રિમાં અપ્રિય વાતોની યોજના બનાવે છે અને અલ્લાહે તેમના કરતૂતોને ઘેરી લીધેલ છે.
(૧૦૯) હા, તમે એ લોકો છો જે એમના અધિકાર માટે દુનિયાથી લડ્યા, પરંતુ ક્યામતના દિવસે એમના તરફથી અલ્લાહ સાથે કોણ તકરાર કરશે ? અને કોણ એમનો વકીલ બનીને ઊભો હશે?[77]
(૧૧૦) અને જે પણ કોઈ બૂરાઈ કરે અથવા પોતે પોતાના ૫૨ જુલમ કરે, પછી અલ્લાહથી માફી માંગે તો અલ્લાહને દરગુજર કરનાર મહેરબાન પામશે.
(૧૧૧) અને જે કોઈ ગુનાહ કરે છે તેનો બોજ તેના ૫૨ છે,[78] અને અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે.
(૧૧૨) અને જે કોઈ બૂરાઈ અથવા ગુનોહ કરે છે પછી કોઈ નિર્દોષ પર થોપી દે છે, તેણે ખુલ્લો આરોપ અને ઘણો મોટો ગુનોહ કર્યો. (ع-૧૬)