Surah An-Naml

સૂરહ અન્-નમમ્લ

રૂકૂઅ : ૩

આયત ૩૨ થી ૪૪

قَالَتْ یٰۤاَیُّهَا الْمَلَؤُا اَفْتُوْنِیْ فِیْۤ اَمْرِیْ ۚ مَا كُنْتُ قَاطِعَةً اَمْرًا حَتّٰى تَشْهَدُوْنِ (32)

(૩૨) તેણે કહ્યું કે, “હે મારા દરબારીઓ ! તમે મારા મામલામાં મને સલાહ આપો, હું કોઈ પણ મામલાનો અંતિમ નિર્ણય નથી લેતી જયાં સુધી તમારી હાજરી અને સલાહ ન હોય.”


قَالُوْا نَحْنُ اُولُوْا قُوَّةٍ وَّ اُولُوْا بَاْسٍ شَدِیْدٍ ۙ٥ وَّ الْاَمْرُ اِلَیْكِ فَانْظُرِیْ مَا ذَا تَاْمُرِیْنَ (33)

(૩૩) તેમણે જવાબ આપ્યો કે, “અમે મજબૂત અને શક્તિશાળી તથા લડવાવાળા લોકો છીએ, આગળ તમને અધિકાર છે તમે પોતે જ વિચારો કે અમને શું આદેશ આપવો છે.”


قَالَتْ اِنَّ الْمُلُوْكَ اِذَا دَخَلُوْا قَرْیَةً اَفْسَدُوْهَا وَ جَعَلُوْۤا اَعِزَّةَ اَهْلِهَاۤ اَذِلَّةً ۚ وَ كَذٰلِكَ یَفْعَلُوْنَ (34)

(૩૪) તેણે કહ્યું કે, “બાદશાહ જ્યારે કોઈ વસ્તીમાં દાખલ થાય છે તો તેને વેરાન કરી દે છે અને ત્યાંના આબરૂદાર લોકોને અપમાનિત કરે છે અને આ લોકો પણ આવું જ કરશે.


وَ اِنِّیْ مُرْسِلَةٌ اِلَیْهِمْ بِهَدِیَّةٍ فَنٰظِرَةٌۢ بِمَ یَرْجِعُ الْمُرْسَلُوْنَ (35)

(૩૫) અને હું તેમને એક ભેટ મોકલુ છું પછી જોઉં છું કે મારા એલચી શુ જવાબ લઈને પાછા ફરે છે.”


فَلَمَّا جَآءَ سُلَیْمٰنَ قَالَ اَتُمِدُّوْنَنِ بِمَالٍ {ز} فَمَاۤ اٰتٰىنَِۧ اللّٰهُ خَیْرٌ مِّمَّاۤ اٰتٰىكُمْ ۚ بَلْ اَنْتُمْ بِهَدِیَّتِكُمْ تَفْرَحُوْنَ (36)

(૩૬) જ્યારે (એલચી) સુલેમાન પાસે પહોંચ્યો તો આપે કહ્યું, “શું તમે ધન વડે મારી મદદ કરવા ચાહો છો? મને તો મારા રબે જે તમને આપ્યુ છે તેના કરતા પણ વધારે આપી રાખ્યુ છે આથી તમે જ તમારી ભેટથી ખુશ રહો.


اِرْجِعْ اِلَیْهِمْ فَلَنَاْتِیَنَّهُمْ بِجُنُوْدٍ لَّا قِبَلَ لَهُمْ بِهَا وَ لَنُخْرِجَنَّهُمْ مِّنْهَاۤ اَذِلَّةً وَّ هُمْ صٰغِرُوْنَ (37)

(૩૭) જા તેમની તરફ પાછો ફર, અમે તેમના પાસે એવી સેના લઈને આવીશું જેનો મુકાબલો કરવાની તેમનામાં તાકાત નહિ હોય, અને અમે તેમને અપમાનિત અને પરાજિત કરીને ત્યાંથી બહાર કાઢીશું.”


قَالَ یٰۤاَیُّهَا الْمَلَؤُا اَیُّكُمْ یَاْتِیْنِیْ بِعَرْشِهَا قَبْلَ اَنْ یَّاْتُوْنِیْ مُسْلِمِیْنَ (38)

(૩૮) (સુલેમાને) કહ્યું, “હે દરબારીઓ! તમારામાંથી કોઈ એવો છે જે તેમના મુસલમાન થઈ મારા સામે હાજર થતાં પહેલા જ તેનું સિંહાસન મને લાવી આપે?”


قَالَ عِفْرِیْتٌ مِّنَ الْجِنِّ اَنَا اٰتِیْكَ بِهٖ قَبْلَ اَنْ تَقُوْمَ مِنْ مَّقَامِكَ ۚ وَ اِنِّیْ عَلَیْهِ لَقَوِیٌّ اَمِیْنٌ (39)

(૩૯) એક શક્તિશાળી જિન્નાત કહેવા લાગ્યો, “તમને પોતાને આ જગ્યાએથી ઊઠતા પહેલા જ હું તેને તમારા પાસે હાજર કરી દઉં છું, વિશ્વાસ રાખો કે હું આની તાકાત ધરાવુ છું અને અમાનતદાર પણ છું.”


قَالَ الَّذِیْ عِنْدَهٗ عِلْمٌ مِّنَ الْكِتٰبِ اَنَا اٰتِیْكَ بِهٖ قَبْلَ اَنْ یَّرْتَدَّ اِلَیْكَ طَرْفُكَ ؕ فَلَمَّا رَاٰهُ مُسْتَقِرًّا عِنْدَهٗ قَالَ هٰذَا مِنْ فَضْلِ رَبِّیْ { ۖقف} لِیَبْلُوَنِیْۤ ءَاَشْكُرُ اَمْ اَكْفُرُ ؕ وَ مَنْ شَكَرَ فَاِنَّمَا یَشْكُرُ لِنَفْسِهٖ ۚ وَ مَنْ كَفَرَ فَاِنَّ رَبِّیْ غَنِیٌّ كَرِیْمٌ (40)

(૪૦) જેના પાસે કિતાબનું ઈલ્મ હતુ તે બોલી ઊઠયો કે, “તમે આંખનો પલકારો મારો તે પહેલા હું તેને તમારા પાસે લાવી શકુ છું” જ્યારે સુલેમાને તેને પોતાના પાસે મુકેલું જોયું તો કહેવા લાગ્યા, “આ મારા રબનો ઉપકાર છે, જેથી તે મને જાણી લે કે હું શુક્રગુજારી કરૂં છું કે નાશુક્રી. શુક્રગુજારી કરવાવાળો પોતાના ફાયદા માટે જ શુક્રગુજારી કરે છે અને જો નાશુક્રી કરે તો મારો રબ બેનિયાઝ અને મહાન છે.


قَالَ نَكِّرُوْا لَهَا عَرْشَهَا نَنْظُرْ اَتَهْتَدِیْۤ اَمْ تَكُوْنُ مِنَ الَّذِیْنَ لَا یَهْتَدُوْنَ (41)

(૪૧) હુકમ આપ્યો કે તેના સિંહાસનમાં થોડો ફેરફાર કરી દો, અમે જોઈશું કે તે માર્ગ પામી લે છે કે જેઓ માર્ગ નથી પામતા તેમનામાંથી થાય છે.


فَلَمَّا جَآءَتْ قِیْلَ اَهٰكَذَا عَرْشُكِ ؕ قَالَتْ كَاَنَّهٗ هُوَ ۚ وَ اُوْتِیْنَا الْعِلْمَ مِنْ قَبْلِهَا وَ كُنَّا مُسْلِمِیْنَ (42)

(૪૨) પછી જયારે તે આવી ગઈ તો તેને પૂછ્યું કે, “શું તારું સિંહાસન આવું જ છે ? ” તેણે જવાબ આપ્યો કે, “આ તો જાણે કે તે જ છે અમને આના પહેલા જ ઈલ્મ આપવામાં આવ્યું હતું અને અમે મુસલમાન હતા.


وَ صَدَّهَا مَا كَانَتْ تَّعْبُدُ مِنْ دُوْنِ اللّٰهِ ؕ اِنَّهَا كَانَتْ مِنْ قَوْمٍ كٰفِرِیْنَ (43)

(૪૩) અને તેને (ઈમાન લાવવાથી) તે વસ્તુએ રોકી રાખી હતી જેમની તે અલ્લાહના સિવાય બંદગી કરી રહી હતી, બેશક તે કાફિર લોકોમાંથી હતી.


قِیْلَ لَهَا ادْخُلِی الصَّرْحَ ۚ فَلَمَّا رَاَتْهُ حَسِبَتْهُ لُجَّةً وَّ كَشَفَتْ عَنْ سَاقَیْهَا ؕ قَالَ اِنَّهٗ صَرْحٌ مُّمَرَّدٌ مِّنْ قَوَارِیْرَ ؕ٥ قَالَتْ رَبِّ اِنِّیْ ظَلَمْتُ نَفْسِیْ وَ اَسْلَمْتُ مَعَ سُلَیْمٰنَ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۧ (44)

(૪૪) તેને કહેવામાં આવ્યું કે મહેલમાં પ્રવેશ કર, જેને જોઈ એવું સમજી કે જળાશય છે તેણે પોતાની પિંડલીઓ ખોલી નાખી, (સુલેમાને) કહ્યું, “આ તો કાચનું બનેલ છે.” કહેવા લાગી, “મારા રબ! મેં મારા જીવ પર જુલ્મ કર્યો, હવે હું સુલેમાન સાથે અલ્લાહ સમગ્ર સૃષ્ટિના રબની આજ્ઞાંકિત બનુ છું.” (ع-)