Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૮

આયત ૫૧ થી ૫૯


اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ اُوْتُوْا نَصِیْبًا مِّنَ الْكِتٰبِ یُؤْمِنُوْنَ بِالْجِبْتِ وَ الطَّاغُوْتِ وَ یَقُوْلُوْنَ لِلَّذِیْنَ كَفَرُوْا هٰۤؤُلَآءِ اَهْدٰى مِنَ الَّذِیْنَ اٰمَنُوْا سَبِیْلًا (51)

(૫૧) શું તમે તેમને નથી જોયા જેમને કિતાબનો કેટલોક ભાગ મળ્યો છે, જેઓ મૂર્તિઓ ૫૨ અને જૂઠા દેવતાઓ પર ઈમાન રાખે છે, અને કાફિરોની તરફેણમાં કહે છે કે આ લોકો ઈમાનવાળાઓથી વધારે સાચા રસ્તા પર છે.


اُولٰٓئِكَ الَّذِیْنَ لَعَنَهُمُ اللّٰهُ ؕ وَ مَنْ یَّلْعَنِ اللّٰهُ فَلَنْ تَجِدَ لَهٗ نَصِیْرًا ؕ (52)

(૫૨) આ તે લોકો છે જેમના ઉપર અલ્લાહ (તઆલા) એ લા'નત કરી છે અને જેમને અલ્લાહ (તઆલા) લા’નતી કહી દે તો તમે તેમનો કોઈ મદદ કરવાવાળો નહિં જુઓ.


اَمْ لَهُمْ نَصِیْبٌ مِّنَ الْمُلْكِ فَاِذًا لَّا یُؤْتُوْنَ النَّاسَ نَقِیْرًاۙ (53)

(૫૩) શું તેમનો કોઈ હિસ્સો રાજયમાં છે ? જો આવું હોય તો પછી તેઓ કોઈને એક ખજૂરની ગુઠલી ના ફાંકા બરાબર પણ કશુ નહિં આપે.


اَمْ یَحْسُدُوْنَ النَّاسَ عَلٰى مَاۤ اٰتٰىهُمُ اللّٰهُ مِنْ فَضْلِهٖ ۚ فَقَدْ اٰتَیْنَاۤ اٰلَ اِبْرٰهِیْمَ الْكِتٰبَ وَ الْحِكْمَةَ وَ اٰتَیْنٰهُمْ مُّلْكًا عَظِیْمًا (54)

(૫૪) અથવા આ લોકોથી ઈર્ષા રાખે છે, તેના પર જે અલ્લાહ (તઆલા)એ પોતાની મહેરબાનીથી તેમને આપ્યું છે તો અમે તો ઈબ્રાહીમની સંતાનને કિતાબ અને હિકમત પણ આપી અને મોટુ રાજ્ય પણ પ્રદાન કર્યું.


فَمِنْهُمْ مَّنْ اٰمَنَ بِهٖ وَ مِنْهُمْ مَّنْ صَدَّ عَنْهُ ؕ وَ كَفٰى بِجَهَنَّمَ سَعِیْرًا (55)

(૫૫) પછી તેમનામાંથી કેટલાકે તો તે કિતાબને માની અને કેટલાક તેનાથી રોકાઈ ગયા અને જહન્નમની ભડકે બળતી આગ જ પૂરતી છે.


اِنَّ الَّذِیْنَ كَفَرُوْا بِاٰیٰتِنَا سَوْفَ نُصْلِیْهِمْ نَارًا ؕ كُلَّمَا نَضِجَتْ جُلُوْدُهُمْ بَدَّلْنٰهُمْ جُلُوْدًا غَیْرَهَا لِیَذُوْقُوا الْعَذَابَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَزِیْزًا حَكِیْمًا (56)

(૫૬) જે લોકોએ અમારી આયતોનો ઈન્કાર કર્યો તેમને અમે જરૂર આગમાં નાખીશું, જયારે તેમની ચામડી બળી જશે, અમે તેના સિવાય બીજી ચામડી બદલી દઈશું, જેથી તેઓ અઝાબનો સ્વાદ ચાખતા રહે, બેશક અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે.


وَ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ سَنُدْخِلُهُمْ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ لَهُمْ فِیْهَاۤ اَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَّ نُدْخِلُهُمْ ظِلًّا ظَلِیْلًا (57)

(૫૭) અને જે લોકો ઈમાન લાવ્યા અને નેક કામો કર્યા, અમે નજીકના ભવિષ્યમાં તેમને તે જન્નતોમાં લઈ જઈશું જેની નીચે નહેરો વહી રહી છે, જેમાં તેઓ હંમેશા રહેશે તેમના માટે ત્યાં પવિત્ર પત્નીઓ હશે અને અમે તેમને ઘટાદાર છાંયડામાં (પૂરી આરામદાયક જગ્યામાં) લઈ જઈશું.


اِنَّ اللّٰهَ یَاْمُرُكُمْ اَنْ تُؤَدُّوا الْاَمٰنٰتِ اِلٰۤى اَهْلِهَا ۙ وَ اِذَا حَكَمْتُمْ بَیْنَ النَّاسِ اَنْ تَحْكُمُوْا بِالْعَدْلِ ؕ اِنَّ اللّٰهَ نِعِمَّا یَعِظُكُمْ بِهٖ ؕ اِنَّ اللّٰهَ كَانَ سَمِیْعًۢا بَصِیْرًا (58)

(૫૮) અલ્લાહ (તઆલા) તમને હુકમ આપે છે કે અમાનત તેમના માલિકોને પહોંચાડી દો, અને જયારે લોકો વચ્ચે ફેંસલો કરો તો ન્યાયપૂર્વક ફેંસલો કરો, બેશક તે સારી વાત છે જેની તાલીમ અલ્લાહ (તઆલા) તમને આપી રહ્યો છે, બેશક અલ્લાહ (તઆલા) સાંભળવાવાળો અને જોવાવાળો છે.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اَطِیْعُوا اللّٰهَ وَ اَطِیْعُوا الرَّسُوْلَ وَ اُولِی الْاَمْرِ مِنْكُمْ ۚ فَاِنْ تَنَازَعْتُمْ فِیْ شَیْءٍ فَرُدُّوْهُ اِلَى اللّٰهِ وَ الرَّسُوْلِ اِنْ كُنْتُمْ تُؤْمِنُوْنَ بِاللّٰهِ وَ الْیَوْمِ الْاٰخِرِ ؕ ذٰلِكَ خَیْرٌ وَّ اَحْسَنُ تَاْوِیْلًا ۧ (59)

(૫૯) અય ઈમાનવાળાઓ! અલ્લાહના હુકમનું પાલન કરો અને રસૂલ (સ.અ.વ.)ના, અને પોતાનામાંથી હાકિમોનો હુકમ માનો, પછી જો કોઈ વાતમાં મતભેદ કરો તો તેને પલટાવો અલ્લાહ (તઆલા) અને રસૂલ (સ.અ.વ.) ની તરફ, જો તમને અલ્લાહ અને કયામતના દિવસ ૫૨ ઈમાન છે, આ સૌથી સારૂ છે અને પરિણામની ર્દષ્ટિએ ઘણું સારૂં છે. (ع-૮)