Surah Al-Bayyinah

સૂરહ અલ-બૈયિનહ

આયત : | રૂકૂ : ૧

સૂરહ અલ-બૈયિનહ (૯)

સ્પષ્ટ પુરાવો

સૂરહ અલ-બૈયિનહ મક્કામાં નાઝીલ થઇ (ઉતરી) હતી. આ સૂરહ માં આઠ () આયતો અને એક (૧) રૂકૂઅ છે.

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

لَمْ یَكُنِ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَ الْمُشْرِكِیْنَ مُنْفَكِّیْنَ حَتّٰى تَاْتِیَهُمُ الْبَیِّنَةُ ۙ (1)

(૧) કિતાબવાળાઓના કાફિર અને મૂર્તિપૂજક લોકો, જ્યાં સુધી કે તેમના પાસે સ્પષ્ટ નિશાની ન આવી જાય અટકવાના ન હતા. (તે નિશાની એ હતી કે)


رَسُوْلٌ مِّنَ اللّٰهِ یَتْلُوْا صُحُفًا مُّطَهَّرَةً ۙ (2)

(૨) અલ્લાહ (તઆલા) તરફથી એક રસુલ જે પવિત્ર કિતાબ પઢે.

فِیْهَا كُتُبٌ قَیِّمَةٌ ؕ (3)

(૩) જેમાં સીધા અને ખરા હુકમો હોય.


وَ مَا تَفَرَّقَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ اِلَّا مِنْۢ بَعْدِ مَا جَآءَتْهُمُ الْبَیِّنَةُ ؕ (4)

(૪) કિતાબવાળાઓ પોતાના પાસે સ્પષ્ટ નિશાની આવી ગયા પછી જ મતભેદ માં પડીને વહેંચાઈ ગયા.


وَ مَاۤ اُمِرُوْۤا اِلَّا لِیَعْبُدُوا اللّٰهَ مُخْلِصِیْنَ لَهُ الدِّیْنَ { ۙ ٥} حُنَفَآءَ وَ یُقِیْمُوا الصَّلٰوةَ وَ یُؤْتُوا الزَّكٰوةَ وَ ذٰلِكَ دِیْنُ الْقَیِّمَةِ ؕ (5)

(૫) તેમને એના સિવાય કોઈ આદેશ ન આપવામાં આવ્યો કે ફક્ત અલ્લાહની બંદગી કરે તેના માટે જ ધર્મને શુદ્ધ (વિશિષ્ટ કરીને. (ઈબ્રાહીમ) એકેશ્વરવાદીના ધર્મ પર, અને નમાઝની પાબંદી રાખે અને ઝકાત આપતા રહે, આ જ ધર્મ સાચો છે.


اِنَّ الَّذِیْنَ كَفَرُوْا مِنْ اَهْلِ الْكِتٰبِ وَ الْمُشْرِكِیْنَ فِیْ نَارِ جَهَنَّمَ خٰلِدِیْنَ فِیْهَا ؕ اُولٰٓئِكَ هُمْ شَرُّ الْبَرِیَّةِ ؕ (6)

() બેશક કિતાબવાળાઓ અને મુશરિકોમાંથી જે લોકોએ કુફ્ર કર્યું, તેઓ જહન્નમની આગમાં જશે જ્યાં તેઓ હંમેશા રહેશે, તે લોકો બહુ જ ખરાબ મખલૂક છે.

اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ ۙ اُولٰٓئِكَ هُمْ خَیْرُ الْبَرِیَّةِ ؕ (7)

() બેશક જે લોકો ઈમાન લાવ્યા અને ભલાઈના કામ કર્યા, તે લોકો બહેતરીન મખલૂક છે.


جَزَآؤُهُمْ عِنْدَ رَبِّهِمْ جَنّٰتُ عَدْنٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَاۤ اَبَدًا ؕ رَضِیَ اللّٰهُ عَنْهُمْ وَ رَضُوْا عَنْهُ ؕ ذٰلِكَ لِمَنْ خَشِیَ رَبَّهٗ ۧ (8)

() તેમનો બદલો તેમના રબ પાસે હંમેશા રહેવાવાળી જન્નત છે. જેની નીચે (ઠંડા પાણીની) નહેરો વહેતી હશે, જેમાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ (તઆલા) તેમનાથી પ્રસન્ન થયો અને તેઓ તેનાથી (અલ્લાહથી), આ છે તેના માટે જે પોતાના રબથી ડરે. (ع-)