Surah Ash-Shuraa

સૂરહ અશ્-શૂરા

રૂકૂ : ૪

આયત ૩૦ થી ૪૩

وَ مَاۤ اَصَابَكُمْ مِّنْ مُّصِیْبَةٍ فَبِمَا كَسَبَتْ اَیْدِیْكُمْ وَ یَعْفُوْا عَنْ كَثِیْرٍ ؕ (30)

(૩૦) અને જે કંઈ પણ મુસીબત તમને પહોંચે તમારા પોતાના હાથોના કરતૂતો (નો બદલો) છે તે ઘણી બધી વાતોને માફ કરી દે છે.


وَ مَاۤ اَنْتُمْ بِمُعْجِزِیْنَ فِی الْاَرْضِ ۖ ۚ وَ مَا لَكُمْ مِّنْ دُوْنِ اللّٰهِ مِنْ وَّلِیٍّ وَّ لَا نَصِیْرٍ (31)

(૩૧) અને તમે અમને ધરતી પર વિવશ કરનારા નથી, અને તમારા માટે અલ્લાહ (તઆલા)ના સિવાય કોઈ સંરક્ષક નથી અને ન મદદ કરનાર.


وَ مِنْ اٰیٰتِهِ الْجَوَارِ فِی الْبَحْرِ كَالْاَعْلَامِ ؕ (32)

(૩૨) અને સમુદ્રમાં ચાલવાવાળા પર્વતો જેવા વહાણો તેની નિશાનીઓમાંથી છે.


اِنْ یَّشَاْ یُسْكِنِ الرِّیْحَ فَیَظْلَلْنَ رَوَاكِدَ عَلٰى ظَهْرِهٖ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیٰتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُوْرٍ ۙ (33)

(૩૩) જો તે ચાહે તો હવા બંધ કરી દે અને આ વહાણો સમુદ્રમાં થોભી જાય, બેશક આમાં સબ્ર કરવાવાળા અને આભાર માનવાવાળા માટે મોટી નિશાનીઓ છે.


اَوْ یُوْبِقْهُنَّ بِمَا كَسَبُوْا وَ یَعْفُ عَنْ كَثِیْرٍ {ز} (34)

(૩૪) અથવા તેમને તેમના કરતૂતોના કારણે બરબાદ કરી દે. તે તો ઘણી બધી ભૂલોને માફ કરી દે છે.


وَّ یَعْلَمَ الَّذِیْنَ یُجَادِلُوْنَ فِیْۤ اٰیٰتِنَا ؕ مَا لَهُمْ مِّنْ مَّحِیْصٍ (35)

(૩૫) અને જે લોકો અમારી આયતોમાં ઝઘડે છે તેઓ જાણી લે કે તેમના માટે કોઈ છૂટકારો નથી.


فَمَاۤ اُوْتِیْتُمْ مِّنْ شَیْءٍ فَمَتَاعُ الْحَیٰوةِ الدُّنْیَا ۚ وَ مَا عِنْدَ اللّٰهِ خَیْرٌ وَّ اَبْقٰى لِلَّذِیْنَ اٰمَنُوْا وَ عَلٰى رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ ۚ (36)

(૩૬) તો તમને જે કંઈ આપવામાં આવ્યું છે તે દુનિયાની જિંદગીનો થોડોક સામાન છે અને અલ્લાહ (તઆલા) પાસે જે છે તે તેનાથી કેટલાય ગણું બહેતર અને બાકી રહેનાર છે, તે એ લોકો માટે છે જેઓ ઈમાન લાવ્યા અને માત્ર પોતાના રબ પર જ ભરોસો કરે છે.


وَ الَّذِیْنَ یَجْتَنِبُوْنَ كَبٰٓئِرَ الْاِثْمِ وَ الْفَوَاحِشَ وَ اِذَا مَا غَضِبُوْا هُمْ یَغْفِرُوْنَ ۚ (37)

(૩૭) અને તેઓ મોટા ગુનાહોથી અને બેશરમીની વાતોથી બચે છે અને ગુસ્સાના સમયે (પણ) માફ કરી દે છે.


وَ الَّذِیْنَ اسْتَجَابُوْا لِرَبِّهِمْ وَ اَقَامُوا الصَّلٰوةَ {ص} وَ اَمْرُهُمْ شُوْرٰى بَیْنَهُمْ {ص} وَ مِمَّا رَزَقْنٰهُمْ یُنْفِقُوْنَ ۚ (38)

(૩૮) અને પોતાના રબના હુકમને સ્વીકારે છે, અને નમાઝ પાબંદીથી કાયમ કરે છે, અને તેમનું દરેક કામ પરસ્પર સલાહ સૂચનથી થાય છે. અને જે કંઈ અમે તેમને આપી રાખ્યું છે તેમાંથી (અમારા નામ પર) ખર્ચ કરે છે.


وَ الَّذِیْنَ اِذَاۤ اَصَابَهُمُ الْبَغْیُ هُمْ یَنْتَصِرُوْنَ (39)

(૩૯) અને જ્યારે તેમના પર દમન (અને અત્યાચાર) થાય તો તેઓ ફક્ત બદલો લઈ લે છે.


وَ جَزٰٓؤُا سَیِّئَةٍ سَیِّئَةٌ مِّثْلُهَا ۚ فَمَنْ عَفَا وَ اَصْلَحَ فَاَجْرُهٗ عَلَى اللّٰهِ ؕ اِنَّهٗ لَا یُحِبُّ الظّٰلِمِیْنَ (40)

(૪૦) અને બૂરાઈનો બદલો તેના જેવી બૂરાઈ છે, અને જો કોઈ માફ કરી દે અને સુધાર કરી લે તો તેનો બદલો અલ્લાહ પર છે, હકીકતમાં અલ્લાહ (તઆલા) જાલિમોને પસંદ નથી કરતો.


وَ لَمَنِ انْتَصَرَ بَعْدَ ظُلْمِهٖ فَاُولٰٓئِكَ مَا عَلَیْهِمْ مِّنْ سَبِیْلٍ ؕ (41)

(૪૧) અને જે લોકો અત્યાચારનો ભોગ બન્યા પછી (બરાબર) બદલો લઈ લે તો આવા લોકો પર (નિંદાનો) કોઈ માર્ગ નથી.


اِنَّمَا السَّبِیْلُ عَلَى الَّذِیْنَ یَظْلِمُوْنَ النَّاسَ وَ یَبْغُوْنَ فِی الْاَرْضِ بِغَیْرِ الْحَقِّ ؕ اُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ اَلِیْمٌ (42)

(૪૨) આ માર્ગ ફક્ત તે લોકો પર છે જે પોતે બીજાઓ પર જુલ્મ કરે અને ધરતી પર નાહક ફસાદ મચાવતા ફરે, આ જ લોકો છે જેમના માટે પીડાકારી સજાઓ છે.


وَ لَمَنْ صَبَرَ وَ غَفَرَ اِنَّ ذٰلِكَ لَمِنْ عَزْمِ الْاُمُوْرِ ۧ (43)

(૪૩) અને જે વ્યક્તિ સબ્ર કરી લે અને માફ કરી દે, તો બેશક આ એક મોટા હિંમતના કામોમાંથી (એક કામ) છે. (ع-)