Surah As-Sajdah
સૂરહ અસ્-સજદહ
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૧૧
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
الٓمّٓۚ (1)
(૧) અલિફ. લામ. મીમ.
تَنْزِیْلُ الْكِتٰبِ لَا رَیْبَ فِیْهِ مِنْ رَّبِّ الْعٰلَمِیْنَؕ (2)
(૨) બેશક આ કિતાબનું ઉતારવું સમગ્ર સૃષ્ટિના રબ તરફથી છે.
اَمْ یَقُوْلُوْنَ افْتَرٰىهُ ۚ بَلْ هُوَ الْحَقُّ مِنْ رَّبِّكَ لِتُنْذِرَ قَوْمًا مَّاۤ اَتٰىهُمْ مِّنْ نَّذِیْرٍ مِّنْ قَبْلِكَ لَعَلَّهُمْ یَهْتَدُوْنَ (3)
(૩) શું આ લોકો કહે છે કે, “આ માણસે આને પોતે ઘડી લીધું છે ?” નહિ, બલ્કે આ તમારા રબ તરફથી સત્ય છે, જેથી તમે તે કોમને સચેત કરો જેના પાસે તમારા પહેલા કોઈ સચેત કરનારા નથી આવ્યા, કદાચ કે તેઓ સીધા માર્ગ પર આવી જાય.
اَللّٰهُ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ وَ مَا بَیْنَهُمَا فِیْ سِتَّةِ اَیَّامٍ ثُمَّ اسْتَوٰى عَلَى الْعَرْشِ ؕ مَا لَكُمْ مِّنْ دُوْنِهٖ مِنْ وَّلِیٍّ وَّ لَا شَفِیْعٍ ؕ اَفَلَا تَتَذَكَّرُوْنَ (4)
(૪) તે અલ્લાહ (તઆલા) જ છે જેણે આકાશો અને ધરતીને અને જે કંઈ તેમના વચ્ચે છે તે તમામ વસ્તુઓને છ દિવસમાં પેદા કર્યા, પછી અર્શ પર બુલંદ થયો, તમારા માટે તેના સિવાય ન કોઈ મદદગાર છે અને ન કોઈ ભલામણ કરનાર, શું પછી પણ તમે નસીહત પ્રાપ્ત કરતા નથી ?
یُدَبِّرُ الْاَمْرَ مِنَ السَّمَآءِ اِلَى الْاَرْضِ ثُمَّ یَعْرُجُ اِلَیْهِ فِیْ یَوْمٍ كَانَ مِقْدَارُهٗۤ اَلْفَ سَنَةٍ مِّمَّا تَعُدُّوْنَ (5)
(૫) તે આકાશથી ધરતી સુધીના મામલાઓની વ્યવસ્થા કરે છે, પછી (તે મામલાઓ) એક એવા દિવસમાં તેના તરફ ચઢે છે જેનો અંદાજો તમારી ગણત્રી મુજબ એક હજાર વર્ષના બરાબર છે.
ذٰلِكَ عٰلِمُ الْغَیْبِ وَ الشَّهَادَةِ الْعَزِیْزُ الرَّحِیْمُۙ (6)
(૬) તે જ પ્રત્યક્ષ અને પરોક્ષ (ગૈબ)નો જાણનાર, જબરજસ્ત અને ઘણો દયાળુ છે.
الَّذِیْۤ اَحْسَنَ كُلَّ شَیْءٍ خَلَقَهٗ وَ بَدَاَ خَلْقَ الْاِنْسَانِ مِنْ طِیْنٍۚ (7)
(૭) જે વસ્તુ પણ તેણે બનાવી ઉમદા બનાવી, તેણે મનુષ્યની પેદાઈશ માટીથી શરૂ કરી.
ثُمَّ جَعَلَ نَسْلَهٗ مِنْ سُلٰلَةٍ مِّنْ مَّآءٍ مَّهِیْنٍۚ (8)
(૮) પછી તેનો વંશ એક તુચ્છ પાણીના નિચોડથી બનાવ્યો.
ثُمَّ سَوّٰىهُ وَ نَفَخَ فِیْهِ مِنْ رُّوْحِهٖ وَ جَعَلَ لَكُمُ السَّمْعَ وَ الْاَبْصَارَ وَ الْاَفْئِدَةَ ؕ قَلِیْلًا مَّا تَشْكُرُوْنَ (9)
(૯) પછી તેને ઠીકઠાક કરી તેમાં પોતાની આત્મા (રૂહ) ફૂંકી, અને તેણે તમારા કાન, આંખો અને દિલ બનાવ્યા, (તેના પર પણ) તમે ખૂબ ઓછો આભાર માનો છો.
وَ قَالُوْۤا ءَاِذَا ضَلَلْنَا فِی الْاَرْضِ ءَاِنَّا لَفِیْ خَلْقٍ جَدِیْدٍ { ؕ٥} بَلْ هُمْ بِلِقَآئِ رَبِّهِمْ كٰفِرُوْنَ (10)
(૧૦) અને તેમણે કહ્યું, “જ્યારે અમે ધરતીમાં ભળી જઈશું તો શું નવેસરથી પેદા કરવામાં આવીશું ? ” બલ્કે (વાત એમ છે કે) આ લોકોને પોતાના રબની મુલાકાતનું યકીન જ નથી.
قُلْ یَتَوَفّٰىكُمْ مَّلَكُ الْمَوْتِ الَّذِیْ وُكِّلَ بِكُمْ ثُمَّ اِلٰى رَبِّكُمْ تُرْجَعُوْنَ ۧ (11)
(૧૧) કહી દો કે, “તમને મૃત્યુનો ફરિશ્તો (યમદૂત) મારશે જે તમારા ઉપર નિયુક્ત કરેલો છે, પછી તમે બધા પોતાના રબ તરફ પાછા ફેરવવામાં આવશો.” (ع-૧)