અલ્લાહના નામથી શરૂ કરુ છું જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.
(૧) અલિફ. લામ.રા., આ (અલ્લાહની) કિતાબની આયતો છે અને સ્પષ્ટ કુરઆનની.
(૨) તે પણ સમય હશે જ્યારે કાફિરો પોતાને મુસલમાન હોવાની કામના કરશે.
(૩) તમે એમને ખાતા-પીતા, ફાયદો ઉઠાવતા અને (જૂઠી) ઉમ્મીદોમાં મશગૂલ થયેલા છોડી દો, તેઓ પોતે હમણાં જાણી લેશે.
(૪) અને કોઈ વસ્તીને અમે બરબાદ નથી કરી, પરંતુ એ કે તેના માટે નિર્ધારિત લેખ હતો.
(૫) કોઈ કોમ પોતાની મોતથી ન આગળ વધે છે, ન પાછળ રહે છે.[1]
(૬) અને તેમણે કહ્યું કે, “હે તે મનુષ્ય! જેના પર કુરઆન ઉતારવામાં આવ્યુ છે, બેશક તમે તો કોઈ દિવાના છો.
(૭) જો તમે સાચા જ હોય, તો અમારા માટે ફરિશ્તાઓને કેમ નથી લાવતા?”
(૮) અમે ફરિશ્તાઓને સત્યના સાથે જ ઉતારીએ છીએ અને તે વખતે એમને મહેતલ આપવામાં આવતી નથી.[1]
(૯) બેશક અમે જ આ કુરઆનને ઉતાર્યુ છે અને અમે જ તેના રક્ષક છીએ.
(૧૦) અને અમે તમારાથી પહેલાની કોમોમાં પણ અમારા રસૂલ (લગાતાર) મોકલ્યા.
(૧૧) અને (પરંતુ) જે પણ રસૂલ આવતા, તેમનો તે લોકો મજાક ઉડાવતા હતા.
(૧૨ ) ગુનેહગારોના દિલોમાં અમે આ પ્રકારે આ જ રચી દઈએ છીએ.
(૧૩) તેઓ આના પર ઈમાન નથી લાવતા, અને બેશક પહેલાના લોકોના તરીકા પર (પસાર )થયા છે.
(૧૪) અને જો અમે તેમના ઉપર આકાશના દરવાજા ખોલી પણ દઈએ અને તેઓ ત્યાં ચઢવા લાગી જાય.
(૧૫) તો પણ તે લોકો આમ જ કહેશે કે, “અમારી નજરબંધી કરી દેવામાં આવી છે, બલ્કે અમારા ઉપર જાદૂ કરી દેવામાં આવ્યુ છે.”(ع-૧)