(૩૩) અને કોમના સરદારોએ જવાબ આપ્યો જેઓ કુફ્ર કરતા હતા અને આખિરતની મુલાકાતને ખોટી ઠેરવતા હતા અને અમે જેમને દુનિયાની જિંદગીમાં સુખી-સંપન્ન બનાવ્યા હતા, તેઓ કહેવા લાગ્યા કે, “આ તો તમારા જેવો મનુષ્ય છે, તમારા ખોરાકમાંથી ખાય છે અને તમારા પીવાનું પાણી આ પણ પીએ છે.
(૩૪) અને જો તમે પોતાના જેવા જ મનુષ્યનું અનુસરણ કબૂલ કરી લીધું તો બેશક તમે નુકસાનમાં છો.
(૩૫) શું આ તમને એ વાતનો વાયદો આપે છે કે જ્યારે તમે મરીને ફક્ત માટી અને હાડકાં બનીને રહી જાઓ, તો તમે ફરીથી જીવતા કરવામાં આવશો?
(૩૬) નહિ નહિ, દૂર અને ઘણું દૂર છે તે જેનો તમને વાયદો આપવામાં આવ્યો છે.
(૩૭) જીવન તો ફક્ત દુનિયાનું જીવન છે જેમાં અમે મરતા અને જીવતા રહીએ છીએ, અને અમે ફરીથી ઉઠાવવામાં આવીશું નહીં.
(૩૮) આ તો બસ તે મનુષ્ય છે જેણે અલ્લાહ પર જૂઠ ઘડી લીધું છે અમે તો તેના પર ઈમાન લાવવાના નથી."
(૩૯) નબીએ દુઆ કરી કે, “રબ! આ લોકોના મારા ખોટા ઠેરવવા પર તું જ મારી મદદ કર.”
(૪૦) જવાબ આપ્યો કે, “આ લોકો ઘણા જલ્દી પોતાની કરણી પર પછતાવો કરશે.”
(૪૧) છેવટે ન્યાયના નિયમ અનુસાર ચીખે[1] તેમને પકડી લીધા અને અમે તેમને કચરો બનાવી નાખ્યા,[2] જાલિમો માટે દૂરી થાય.
(૪૨) ત્યારબાદ અમે તેમના પછી બીજી પણ કોમ પેદા કરી.
(૪૩) ન તો કોઈ કોમ પોતાના સમયથી આગળ વધી અને ન પાછળ રહી.
(૪૪) પછી અમે લગાતાર રસૂલ મોકલ્યા, જે કોમ પાસે જ્યારે પણ તેનો રસૂલ આવ્યો, તેમણે તેને ખોટો ઠેરવ્યો, તો અમે એકને બીજા પાછળ લગાવી દીધા, અને તેમને માત્ર દંતકથા બનાવી દીધા, એ લોકો માટે દૂરી હોય જેઓ ઈમાન કબૂલ કરતા નથી.
(૪૫) પછી અમે મૂસા અને તેના ભાઈ હારૂનને અમારી નિશાનીઓ અને સ્પષ્ટ દલીલ સાથે મોકલ્યા.
(૪૬) ફિરઔન અને તેની સેના તરફ, પરંતુ તેમણે ઘમંડ કર્યો અને હતા પણ તેઓ અભિમાની લોકો.
(૪૭) કહેવા લાગ્યા, “શું અમે અમારા જેવા બે માણસો પર ઈમાન લાવીએ ? જ્યારે કે તેમની કોમ પોતે અમારી ગુલામ છે ?
(૪૮) તો તેમણે બંનેને ખોટા ઠેરવ્યા, અંતમાં તે લોકો પણ તબાહ થયેલા લોકોમાં સામેલ થઈ ગયા.
(૪૯) અને અમે મૂસાને કિતાબ પણ આપી જેથી લોકો સાચા માર્ગ પર આવી જાય.[1]
(૫૦) અને અમે મરયમના પુત્ર અને તેની માતાને એક નિશાની બનાવ્યા[1] અને તે બંનેને ઊંચી રાહતવાળી અને વહેતા પાણીવાળી જગ્યામાં પનાહ આપી. (ع-૩)