(૧૭૬) તેઓ તમારાથી પ્રશ્ન કરે છે, તમે કહી દો તમને અલ્લાહ (તઆલા) કલાલાના બારામાં નિર્દેશ કરે છે કે જો કોઈ પુરૂષનું મૃત્યુ થઈ જાય અને તેના વારસદારોમાં કોઈ સંતાન ન હોય અને તેની એક બહેન હોય તો તેના માટે છોડેલા માલમાંથી અડધું છે, અને તે તેનો (બહેનોનો) વારસદાર છે જો તેને કોઈ સંતાન ન હોય, જો બે બહેનો હોય તો બંને માટે બે તૃતિયાંશ છે તેમાંથી જેને તે છોડીને ગયો અને જો ભાઈ-બહેન બંને હોય, પુરૂષ પણ અને સ્ત્રી પણ, તો પુરૂષ માટે બે સ્ત્રીઓના બરાબર (ભાગ) છે. અલ્લાહ તમારા માટે વર્ણન કરી રહ્યો છે જેથી તમે ભટકી ન જાઓ અને અલ્લાહ બધું જ જાણવાવાળો છે.
(ع-૨૪)