Surah Az-Zumar

સૂરહ અઝ્-ઝુમર

રૂકૂ : ૪

આયત ૩૨ થી ૪૧

فَمَنْ اَظْلَمُ مِمَّنْ كَذَبَ عَلَى اللّٰهِ وَ كَذَّبَ بِالصِّدْقِ اِذْ جَآءَهٗ ؕ اَلَیْسَ فِیْ جَهَنَّمَ مَثْوًى لِّلْكٰفِرِیْنَ (32)

(૩૨) તેનાથી વધારે જાલિમ કોણ હોઈ શકે છે જે અલ્લાહ (તઆલા) પર જૂઠ બોલે અને સત્ય તેના પાસે આવી જાય તો તેને ખોટું ઠેરવે ? શું આવા કાફિરોનું ઠેકાણું જહન્નમ નથી?


وَ الَّذِیْ جَآءَ بِالصِّدْقِ وَ صَدَّقَ بِهٖۤ اُولٰٓئِكَ هُمُ الْمُتَّقُوْنَ (33)

(૩૩) અને જે લોકો સત્ય (ધર્મ) લાવ્યા, અને જેઓએ તેને સત્ય માન્યો, તેઓ જ પરહેઝગાર (સંયમી) છે.


لَهُمْ مَّا یَشَآءُوْنَ عِنْدَ رَبِّهِمْ ؕ ذٰلِكَ جَزٰٓؤُا الْمُحْسِنِیْنَ ۚ ۖ (34)

(૩૪) તેમના માટે તેમના રબ પાસે તે બધીજ વસ્તુઓ છે જેની આ લોકો ઈચ્છા કરશે, પરહેઝગારોનો આ જ બદલો છે.


لِیُكَفِّرَ اللّٰهُ عَنْهُمْ اَسْوَاَ الَّذِیْ عَمِلُوْا وَ یَجْزِیَهُمْ اَجْرَهُمْ بِاَحْسَنِ الَّذِیْ كَانُوْا یَعْمَلُوْنَ (35)

(૩૫) જેથી અલ્લાહ (તઆલા) તેમનાથી તેમના બૂરા કર્મોને દૂર કરી દે અને જે નેક કર્મો તેમણે કર્યા છે તેનો સારો બદલો પ્રદાન કરે.


اَلَیْسَ اللّٰهُ بِكَافٍ عَبْدَهٗ ؕ وَ یُخَوِّفُوْنَكَ بِالَّذِیْنَ مِنْ دُوْنِهٖ ؕ وَ مَنْ یُّضْلِلِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ هَادٍ ۚ (36)

(૩૬) શું અલ્લાહ (તઆલા) પોતાના બંદાઓના માટે પુરતો નથી ? આ લોકો તમને અલ્લાહ સિવાય બીજાઓથી ડરાવી રહ્યા છે, અને જેને અલ્લાહ ગુમરાહ કરી દે તેની હિદાયત કરવાવાળો કોઈ નથી.


وَ مَنْ یَّهْدِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّضِلٍّ ؕ اَلَیْسَ اللّٰهُ بِعَزِیْزٍ ذِی انْتِقَامٍ (37)

(૩૭) અને જેને અલ્લાહ (તઆલા) હિદાયત આપી દે તેને ગુમરાહ કરનાર કોઈ નથી. શું અલ્લાહ (તઆલા) જબરજસ્ત અને બદલો લેનાર નથી ?


وَ لَئِنْ سَاَلْتَهُمْ مَّنْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ لَیَقُوْلُنَّ اللّٰهُ ؕ قُلْ اَفَرَءَیْتُمْ مَّا تَدْعُوْنَ مِنْ دُوْنِ اللّٰهِ اِنْ اَرَادَنِیَ اللّٰهُ بِضُرٍّ هَلْ هُنَّ كٰشِفٰتُ ضُرِّهٖۤ اَوْ اَرَادَنِیْ بِرَحْمَةٍ هَلْ هُنَّ مُمْسِكٰتُ رَحْمَتِهٖ ؕ قُلْ حَسْبِیَ اللّٰهُ ؕ عَلَیْهِ یَتَوَكَّلُ الْمُتَوَكِّلُوْنَ (38)

(૩૮) જો આ લોકોને તમે પૂછો કે, “આકાશો અને ધરતીને કોણે પેદા કર્યા છે?” તો બેશક આ લોકો એ જ જવાબ આપશે કે, “અલ્લાહે”, તમે આમને પૂછો કે, “સારૂં, એ બતાવો કે જેમને તમે અલ્લાહ સિવાય પોકારો છો જો અલ્લાહ (તઆલા) મને નુકસાન પહોંચાડવા ચાહે તો શું તેઓ તેના નુકસાન પહોંચાડવાને હટાવી શકે છે? અથવા અલ્લાહ (તઆલા) મારા પર કૃપા કરવા ચાહે તો શું તેઓ તેની કૃપાને રોકી શકે છે ? કહી દો કે, “અલ્લાહ મને કાફી છે.” ભરોસો કરનારાઓ તેના ઉપર જ ભરોસો કરે છે.


قُلْ یٰقَوْمِ اعْمَلُوْا عَلٰى مَكَانَتِكُمْ اِنِّیْ عَامِلٌ ۚ فَسَوْفَ تَعْلَمُوْنَ ۙ (39)

(૩૯) કહી દો કે, “હે મારી કોમના લોકો! તમે પોતાના સ્થાન પર પોતાનું કર્મ કરતા જાઓ. હું પણ કર્મ કરી રહ્યો છું. ટૂંક સમયમાં તમે જાણી લેશો.


مَنْ یَّاْتِیْهِ عَذَابٌ یُّخْزِیْهِ وَ یَحِلُّ عَلَیْهِ عَذَابٌ مُّقِیْمٌ (40)

(૪૦) કે કોના ઉપર અપમાનિત કરનાર અઝાબ આવે છે અને કોના ઉપર કાયમી અઝાબ થાય છે.


اِنَّاۤ اَنْزَلْنَا عَلَیْكَ الْكِتٰبَ لِلنَّاسِ بِالْحَقِّ ۚ فَمَنِ اهْتَدٰى فَلِنَفْسِهٖ ۚ وَ مَنْ ضَلَّ فَاِنَّمَا یَضِلُّ عَلَیْهَا ۚ وَ مَاۤ اَنْتَ عَلَیْهِمْ بِوَكِیْلٍ ۧ (41)

(૪૧) બેશક તમારા ઉપર અમે સત્યના સાથે આ કિતાબ લોકોના માટે ઉતારી છે, તો જે વ્યક્તિ સીધા માર્ગ પર આવી જાય તે તેના પોતાના (ફાયદા) માટે છે, અને જે ભટકી જાય તેના ભટકવાનો (બોજ) તેના પર જ છે તમે તેના જવાબદાર નથી. (ع-)