(૧૧) અને અમે તમને પેદા કર્યા, પછી તમારી સૂરત બનાવી, પછી અમે ફરિશ્તાઓને કહ્યું કે, “આદમને સિજદો કરો”, તો બધાએ સિજદો કર્યો સિવાય ઈબ્લીસના, કે તે સિજદો કરનારાઓમાં સામેલ ન થયો.
(૧૨) (અલ્લાહે) પૂછ્યું કે, “જ્યારે મેં તને સિજદો કરવાનો હુકમ આપ્યો તો કયા કારણે તને સિજદો કરવાથી રોકી દીધો ?” તેણે કહ્યું, “હું તેનાથી બહેતર છું, તેં મને આગથી પેદા કર્યો અને તેને માટીથી પેદા કર્યો છે.”
(૨૦) પછી શેતાને બંનેમાં વસવસો! પેદા કર્યો જેથી બંને માટે તેમની શર્મગાહોને જાહેર કરી દે, અને કહ્યું કે, “તમારા બંનેના રબે તમને આ વૃક્ષથી એટલા માટે રોક્યા છે કે ક્યાંક તમે બંને ફરિશ્તા ન બની જાઓ અથવા હંમેશા રહેનારા ન બની જાઓ.
(૨૨) આ રીતે ધોખાથી બંનેને નીચે લાવ્યો, જેવો બંનેએ વૃક્ષનો સ્વાદ ચાખ્યો તો બંને માટે તેમની શર્મગાહો જાહેર થઈ ગઈ, અને તેઓ પોતાના ઉપર જન્નતના પાંદડાઓ ચિપકાવવા લાગ્યા અને તેમના રબે બંનેને પોકાર્યા, “શું મેં તમને બંનેને આ વૃક્ષથી રોક્યા ન હતા અને તમને નહોતું કહ્યું કે શેતાન તમારો ખુલ્લો દુશ્મન છે ?”
(૨૩) બંનેએ કહ્યું, “અમારા રબ! અમે અમારા ઉપર જુલમ કર્યો, અને જો તું અમને માફ નહિ કરે અને અમારા ઉપર દયા નહિં કરે તો અમે નુક્સાન ઉઠાવનારાઓમાંથી થઈ જઈશું.”