Surah Al-A'raf

સૂરહ અલ અ્રાફ

રૂકૂઅ : ૨

આયત ૧૧ થી ૨૫


وَ لَقَدْ خَلَقْنٰكُمْ ثُمَّ صَوَّرْنٰكُمْ ثُمَّ قُلْنَا لِلْمَلٰٓئِكَةِ اسْجُدُوْا لِاٰدَمَ ۖۗ فَسَجَدُوْۤا اِلَّاۤ اِبْلِیْسَ ؕ لَمْ یَكُنْ مِّنَ السّٰجِدِیْنَ (11)

(૧૧) અને અમે તમને પેદા કર્યા, પછી તમારી સૂરત બનાવી, પછી અમે ફરિશ્તાઓને કહ્યું કે, “આદમને સિજદો કરો”, તો બધાએ સિજદો કર્યો સિવાય ઈબ્લીસના, કે તે સિજદો કરનારાઓમાં સામેલ ન થયો.


قَالَ مَا مَنَعَكَ اَلَّا تَسْجُدَ اِذْ اَمَرْتُكَ ؕ قَالَ اَنَا خَیْرٌ مِّنْهُ ۚ خَلَقْتَنِیْ مِنْ نَّارٍ وَّ خَلَقْتَهٗ مِنْ طِیْنٍ (12)

(૧૨) (અલ્લાહે) પૂછ્યું કે, “જ્યારે મેં તને સિજદો કરવાનો હુકમ આપ્યો તો કયા કારણે તને સિજદો કરવાથી રોકી દીધો ?” તેણે કહ્યું, “હું તેનાથી બહેતર છું, તેં મને આગથી પેદા કર્યો અને તેને માટીથી પેદા કર્યો છે.”



قَالَ فَاهْبِطْ مِنْهَا فَمَا یَكُوْنُ لَكَ اَنْ تَتَكَبَّرَ فِیْهَا فَاخْرُجْ اِنَّكَ مِنَ الصّٰغِرِیْنَ (13)

(૧૩) (અલ્લાહે) હુકમ આપ્યો કે, “તું આકાશ! થી ઉતર, તને કોઈ અધિકાર નથી કે આકાશમાં રહીને ઘમંડ કરે, એટલા માટે નીકળ, બેશક તું અપમાનિતોમાંથી છે.


قَالَ اَنْظِرْنِیْۤ اِلٰى یَوْمِ یُبْعَثُوْنَ (14)

(૧૪) (શેતાને) કહ્યું કે, “મને (કયામત સુધી) મહેતલ આપ જ્યારે લોકોને ફરીથી જીવતા કરવામાં આવશે.”


قَالَ اِنَّكَ مِنَ الْمُنْظَرِیْنَ (15)

(૧૫) (અલ્લાહે) ફરમાવ્યું કે “તને મહેતલ આપી દેવામાં આવી.”


قَالَ فَبِمَاۤ اَغْوَیْتَنِیْ لَاَقْعُدَنَّ لَهُمْ صِرَاطَكَ الْمُسْتَقِیْمَۙ (16)

(૧૬) (શેતાને) કહ્યું, “તારા મને ધિક્કારવાના કારણે હું. તેમના માટે તારા સીધા માર્ગ ઉપર બેસીશ.


ثُمَّ لَاٰتِیَنَّهُمْ مِّنْۢ بَیْنِ اَیْدِیْهِمْ وَ مِنْ خَلْفِهِمْ وَ عَنْ اَیْمَانِهِمْ وَ عَنْ شَمَآئِلِهِمْ ؕ وَ لَا تَجِدُ اَكْثَرَهُمْ شٰكِرِیْنَ (17)

(૧૭) પછી તેમના આગળ અને પાછળ તથા જમણે અને ડાબે એમ દરેક બાજુએથી હુમલો કરીશ અને તું તેમનામાંથી વધારે પડતાને શુક્રગુજર નહિં જુએ.”


قَالَ اخْرُجْ مِنْهَا مَذْءُوْمًا مَّدْحُوْرًا ؕ لَمَنْ تَبِعَكَ مِنْهُمْ لَاَمْلَئَنَّ جَهَنَّمَ مِنْكُمْ اَجْمَعِیْنَ (18)

(૧૮) (અલ્લાહે) ફરમાવ્યું, “તું અહીંથી અપમાનિત થઈ નીકળી જા, જેઓ આમાંથી તારૂ અનુસરણ કરશે હું તે બધાથી જહન્નમને જરૂર ભરી દઈશ.”


وَ یٰۤاٰدَمُ اسْكُنْ اَنْتَ وَ زَوْجُكَ الْجَنَّةَ فَكُلَا مِنْ حَیْثُ شِئْتُمَا وَ لَا تَقْرَبَا هٰذِهِ الشَّجَرَةَ فَتَكُوْنَا مِنَ الظّٰلِمِیْنَ (19)

(૧૯) અને (અમે કહ્યું કે) “હે આદમ! તમે અને તમારી પત્ની જન્નતમાં રહો, પછી જ્યાંથી ઈચ્છો ખાઓ, અને આ વૃક્ષની નજીક ન જતા નહિતર જાલિમોમાંથી થઈ જશો.”


فَوَسْوَسَ لَهُمَا الشَّیْطٰنُ لِیُبْدِیَ لَهُمَا مَاوٗرِیَ عَنْهُمَا مِنْ سَوْاٰتِهِمَا وَ قَالَ مَا نَهٰىكُمَا رَبُّكُمَا عَنْ هٰذِهِ الشَّجَرَةِ اِلَّاۤ اَنْ تَكُوْنَا مَلَكَیْنِ اَوْ تَكُوْنَا مِنَ الْخٰلِدِیْنَ (20)

(૨૦) પછી શેતાને બંનેમાં વસવસો! પેદા કર્યો જેથી બંને માટે તેમની શર્મગાહોને જાહેર કરી દે, અને કહ્યું કે, “તમારા બંનેના રબે તમને આ વૃક્ષથી એટલા માટે રોક્યા છે કે ક્યાંક તમે બંને ફરિશ્તા ન બની જાઓ અથવા હંમેશા રહેનારા ન બની જાઓ.


وَ قَاسَمَهُمَاۤ اِنِّیْ لَكُمَا لَمِنَ النّٰصِحِیْنَۙ (21)

(૨૧) તેણે તે બંનેના સામે સોગંદ ખાધા કે હું તમારા બંનેનો હિતેચ્છુ છું.


فَدَلّٰىهُمَا بِغُرُوْرٍ ۚ فَلَمَّا ذَاقَا الشَّجَرَةَ بَدَتْ لَهُمَا سَوْاٰتُهُمَا وَ طَفِقَا یَخْصِفٰنِ عَلَیْهِمَا مِنْ وَّرَقِ الْجَنَّةِ ؕ وَ نَادٰىهُمَا رَبُّهُمَاۤ اَلَمْ اَنْهَكُمَا عَنْ تِلْكُمَا الشَّجَرَةِ وَ اَقُلْ لَّكُمَاۤ اِنَّ الشَّیْطٰنَ لَكُمَا عَدُوٌّ مُّبِیْنٌ (22)

(૨૨) આ રીતે ધોખાથી બંનેને નીચે લાવ્યો, જેવો બંનેએ વૃક્ષનો સ્વાદ ચાખ્યો તો બંને માટે તેમની શર્મગાહો જાહેર થઈ ગઈ, અને તેઓ પોતાના ઉપર જન્નતના પાંદડાઓ ચિપકાવવા લાગ્યા અને તેમના રબે બંનેને પોકાર્યા, “શું મેં તમને બંનેને આ વૃક્ષથી રોક્યા ન હતા અને તમને નહોતું કહ્યું કે શેતાન તમારો ખુલ્લો દુશ્મન છે ?”


قَالَا رَبَّنَا ظَلَمْنَاۤ اَنْفُسَنَا {سكتة} وَ اِنْ لَّمْ تَغْفِرْ لَنَا وَ تَرْحَمْنَا لَنَكُوْنَنَّ مِنَ الْخٰسِرِیْنَ (23)

(૨૩) બંનેએ કહ્યું, “અમારા રબ! અમે અમારા ઉપર જુલમ કર્યો, અને જો તું અમને માફ નહિ કરે અને અમારા ઉપર દયા નહિં કરે તો અમે નુક્સાન ઉઠાવનારાઓમાંથી થઈ જઈશું.”


قَالَ اهْبِطُوْا بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۚ وَ لَكُمْ فِی الْاَرْضِ مُسْتَقَرٌّ وَّ مَتَاعٌ اِلٰى حِیْنٍ (24)

(૨૪) (અલ્લાહે) ફરમાવ્યું, “તમે નીચે ઉતરો, તમે એકબીજાના દુશ્મન છો અને તમારે એક મુદ્દત સુધી ધરતીમાં રહેવાનું અને ફાયદો ઉઠાવવાનો છે.”


قَالَ فِیْهَا تَحْیَوْنَ وَ فِیْهَا تَمُوْتُوْنَ وَ مِنْهَا تُخْرَجُوْنَ ۧ (25)

(૨૫) ફરમાવ્યું કે, “તમે તેમાં જ જિંદગી પસાર કરશો અને તેમાં જ મૃત્યુ પામશો અને તેમાંથી જ કાઢવામાં આવશો.” (ع-)