Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૧૯

આયત ૧૮૧ થી ૧૮૯


لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا وَقَتْلَهُمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَنَقُولُ ذُوقُوا عَذَابَ الْحَرِيقِ (181)

(૧૮૧) બેશક અલ્લાહે તે લોકોની વાત સાંભળી લીધી છે જેમણે કહ્યું કે અલ્લાહ ગરીબ છે અને અમે માલદાર છીએ, અમે તેમની આ વાત લખી લઈશું અને તેમના વડે રસૂલોના નાહક કતલને પણ, અને અમે કહીશુ કે આગનો અઝાબ ચાખો.


ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ (182)

(૧૮૨) આ તમારા કરતૂતો છે અને બેશક અલ્લાહ પોતાના બંદાઓ ૫૨ જરા પણ જુલમ નથી કરતો.


الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ عَهِدَ إِلَيْنَا أَلَّا نُؤْمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأْتِيَنَا بِقُرْبَانٍ تَأْكُلُهُ النَّارُ ۗ قُلْ قَدْ جَاءَكُمْ رُسُلٌ مِّن قَبْلِي بِالْبَيِّنَاتِ وَبِالَّذِي قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوهُمْ إِن كُنتُمْ صَادِقِينَ (183)

(૧૮૩) તેમણે કહ્યું કે અમારાથી અલ્લાહે વચન લીધું છે કે અમે કોઈ રસૂલને નહીં માનીએ જયાં સુધી કે તેઓ અમારા સામે એવી કુરબાની ન લાવે જેને આગ ખાઈ જાય, તમે કહી દો કે તમારા પાસે મારાથી પહેલા રસૂલ દલીલો અને તેના સાથે તે પણ લાવ્યા જે તમે કહ્યું તો તમે તેઓને કેમ કતલ કર્યો? જો તમે સાચા છો.


فَإِن كَذَّبُوكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّن قَبْلِكَ جَاءُوا بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ وَالْكِتَابِ الْمُنِيرِ (184)

(૧૮૪) પછી પણ જો આ લોકો તમને જૂઠાડે, તો તમારાથી પહેલા ઘણા રસૂલો જૂઠાડવામાં આવ્યા, જેઓ પોતાની સાથે સ્પષ્ટ દલીલ, સહીફા અને રોશન કિતાબ લઈને આવ્યા.


كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ(185)

(૧૮૫) દરેક જીવને મોતની મજા ચાખવાની જ છે અને કયામતના દિવસે તમને પૂરેપૂરો બદલો આપી દેવામાં આવશે, પરંતુ જે વ્યક્તિ આગથી હટાવી દેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો, બેશક તે સફળ થઈ ગયો અને દુનિયાની જિંદગી ફક્ત ધોખાનો સામાન છે.


لَتُبْلَوُنَّ فِي أَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا أَذًى كَثِيرًا ۚ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا فَإِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ (186)

(૧૮૬) બેશક તમારા માલ તથા જાનમાં તમારી પરીક્ષા કરવામાં આવશે, અને જરૂર તમારે તે લોકોની જેમને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી અને મૂર્તિપૂજકોની ધણી દુઃખ આપવાવાળી વાતો સાંભળવી પડશે અને જો તમે સબ્ર કરો અને હુકમ માનો, તો જરૂર આ ઘણી હિમ્મતનું કામ છે.


وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَبِئْسَ مَا يَشْتَرُونَ (187)

(૧૮૭) અને જયારે અલ્લાહે કિતાબવાળાઓથી વચન લીધું કે તમે તેને બધા લોકો પાસે જરૂર વર્ણન કરશો અને તેને છુપાવશો નહિં, પછી પણ તે લોકોએ તે વચનને પીઠ પાછળ નાખી દીધું અને તેને ઘણી ઓછી કિંમતમાં વેચી નાખ્યું, તેમનો આ વેપાર ઘણો ખરાબ છે.


لَا تَحْسَبَنَّ الَّذِينَ يَفْرَحُونَ بِمَا أَتَوا وَّيُحِبُّونَ أَن يُحْمَدُوا بِمَا لَمْ يَفْعَلُوا فَلَا تَحْسَبَنَّهُم بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ (188)

(૧૮૮) તે લોકો જેઓ પોતાના કરતૂતોથી ખુશ છે અને ઈચ્છે છે કે જે તેઓએ નથી કર્યું તેના ૫૨ પણ તેમના વખાણ કરવામાં આવે, તમે તેમને સજાથી આઝાદ ન સમજો, તેમના માટે તો પીડાકારક સજા છે.


وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ (189)

(૧૮૯) અને આકાશો તથા ધરતીનો માલિક અલ્લાહ (તઆલા) જ છે અને અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર કુદરત (વર્ચસ્વ) ધરાવે છે.