Surah Al-Kahf

સૂરહ અલ-કહ્ફ

રૂકૂઅ : ૧

આયત ૧ થી ૧૨

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

اَلْحَمْدُ لِلّٰهِ الَّذِیْۤ اَنْزَلَ عَلٰى عَبْدِهِ الْكِتٰبَ وَ لَمْ یَجْعَلْ لَّهٗ عِوَجًاؕ (1)

(૧) તમામ પ્રશંસા અલ્લાહના માટે જ છે જેણે પોતાના બંદા ઉપર આ કુરઆન ઉતાર્યુ અને તેમાં કોઈ કસર બાકી ન રાખી.


قَیِّمًا لِّیُنْذِرَ بَاْسًا شَدِیْدًا مِّنْ لَّدُنْهُ وَ یُبَشِّرَ الْمُؤْمِنِیْنَ الَّذِیْنَ یَعْمَلُوْنَ الصّٰلِحٰتِ اَنَّ لَهُمْ اَجْرًا حَسَنًاۙ (2)

(૨) બલ્કે બધું જ ઠીક-ઠાક રાખ્યુ જેથી તે લોકોને અમારા પાસેની સખત સજાથી ચેતવી દે અને ઈમાન લાવનારા અને નેક કામો કરનારાઓને ખુશખબર સંભળાવી દે કે તેમના માટે ઉત્તમ બદલાઓ છે.


مَّاكِثِیْنَ فِیْهِ اَبَدًاۙ (3)

(૩) જેમાં તેઓ કાયમી રૂપે હંમેશા રહેશે.


وَّ یُنْذِرَ الَّذِیْنَ قَالُوا اتَّخَذَ اللّٰهُ وَلَدًا ق(4)

(૪) અને તે લોકોને પણ ડરાવી દો જેઓ કહે છે અલ્લાહ (તઆલા) સંતાન ધરાવે છે.


مَا لَهُمْ بِهٖ مِنْ عِلْمٍ وَّ لَا لِاٰبَآئِهِمْ ؕ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ اَفْوَاهِهِمْ ؕ اِنْ یَّقُوْلُوْنَ اِلَّا كَذِبًا (5)

(૫) હકીકતમાં ન તો તેમને પોતાને આ વાતનું ઈલ્મ છે ન તેમના બાપ-દાદાઓને, આ આરોપ ઘણો ખરાબ છે જે તેમના મોઢાંમાંથી નીકળી રહ્યો છે, તેઓ ફક્ત જૂઠ બોલી રહ્યા છે.


فَلَعَلَّكَ بَاخِعٌ نَّفْسَكَ عَلٰۤى اٰثَارِهِمْ اِنْ لَّمْ یُؤْمِنُوْا بِهٰذَا الْحَدِیْثِ اَسَفًا (6)

(૬) પછી જો આ લોકો આ વાત પર ઈમાન ન લાવે તો શું તમે એમના પાછળ આ દુઃખમાં પોતાનો જીવ હલાક કરી નાખશો ?


اِنَّا جَعَلْنَا مَا عَلَى الْاَرْضِ زِیْنَةً لَّهَا لِنَبْلُوَهُمْ اَیُّهُمْ اَحْسَنُ عَمَلًا (7)

(૭) ધરતી પર જે કંઈ છે અમે તેને ધરતીની શોભા માટે બનાવ્યું છે કે અમે તેમની પરીક્ષા લઈએ કે તેમનામાંથી કોણ નેક કામ કરનારો છે.


وَ اِنَّا لَجٰعِلُوْنَ مَا عَلَیْهَا صَعِیْدًا جُرُزًاؕ (8)

(૮) અને આના પર જે કંઈ છે અમે તેને સપાટ મેદાન કરી નાખવાના છીએ.


اَمْ حَسِبْتَ اَنَّ اَصْحٰبَ الْكَهْفِ وَ الرَّقِیْمِ ۙ كَانُوْا مِنْ اٰیٰتِنَا عَجَبًا (9)

(૯) શું તમે પોતાના વિચારમાં ગુફા અને શિલા લેખવાળાઓને અમારી નિશાનીઓમાંથી કોઈ મોટી અદ્ભૂત નિશાની સમજી રહ્યા છો ?


اِذْ اَوَى الْفِتْیَةُ اِلَى الْكَهْفِ فَقَالُوْا رَبَّنَاۤ اٰتِنَا مِنْ لَّدُنْكَ رَحْمَةً وَّ هَیِّئْ لَنَا مِنْ اَمْرِنَا رَشَدًا (10)

(૧૦) તે નવયુવાનોએ જ્યારે ગુફામાં પનાહ લીધી તો દુઆ કરી કે, “હે અમારા પાલનહાર! અમને પોતાના પાસેથી કૃપા પ્રદાન કર અને અમારા કામમાં અમારા માટે રસ્તો આસાન કરી દે."


فَضَرَبْنَا عَلٰۤى اٰذَانِهِمْ فِی الْكَهْفِ سِنِیْنَ عَدَدًاۙ (11)

(૧૧) પછી અમે તેમના કાનો પર ગણતરીના કેટલાય વર્ષો સુધી તે જ ગુફામાં પડદા નાખી દીધા.


ثُمَّ بَعَثْنٰهُمْ لِنَعْلَمَ اَیُّ الْحِزْبَیْنِ اَحْصٰى لِمَا لَبِثُوْۤا اَمَدًا ۧ (12)

(૧૨) પછી અમે તેમને ઊઠાડી ઊભા કરી દીધા કે અમે એ જાણી લઈએ કે બે જૂથોમાંથી આ મોટી મુદતને જે તેમણે પસાર કરી છે, કોણે વધારે યાદ રાખી છે ? (ع-)