Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૨૧

આયત ૧૬૯ થી ૧૭૬


إِنَّمَا يَأْمُرُكُم بِالسُّوءِ وَالْفَحْشَاءِ وَأَن تَقُولُوا عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ (169)

(૧૬૯) તે તમને ફક્ત બુરાઈનો અને બેહયાઈનો અને અલ્લાહ (તઆલા) પર એવી વાતોને કહેવાનો આદેશ આપે છે જેનું તમને ઇલ્મ નથી.


وَإِذَا قِيلَ لَهُمُ اتَّبِعُوا مَا أَنزَلَ اللَّهُ قَالُوا بَلْ نَتَّبِعُ مَا أَلْفَيْنَا عَلَيْهِ آبَاءَنَا ۗ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْقِلُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ (170)

(૧૭૦) અને તેમનાથી જ્યારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ(તઆલા)ની ઉતારેલી કિતાબ પર અમલ કરો તો જવાબ આપે છે કે અમે તો તે રસ્તાને અનુસરીશુ જેના પર અમારા બાપ-દાદાઓ હતા,જ્યારે કે તેમના બાપ-દાદા બેવકૂફ અને ભટકેલા રહ્યા હોય.


وَمَثَلُ الَّذِينَ كَفَرُوا كَمَثَلِ الَّذِي يَنْعِقُ بِمَا لَا يَسْمَعُ إِلَّا دُعَاءً وَنِدَاءً ۚ صُمٌّ بُكْمٌ عُمْيٌ فَهُمْ لَا يَعْقِلُونَ (171)

(૧૭૧) અને કાફિરો તે જાનવરો જેવા છે જે પોતાના ચરવાહાની ફક્ત પોકાર અને અવાજને જ સાંભળે છે (સમજતા નથી) તેઓ બહેરા, મૂંગા અને આંધળા છે, તેમને અકલ નથી.


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَاشْكُرُوا لِلَّهِ إِن كُنتُمْ إِيَّاهُ تَعْبُدُونَ (172)

(૧૭૨) અય ઈમાનવાળાઓ ! જે (પવિત્ર) વસ્તુ અમે તમને આપી છે, તેને ખાઓ-પીઓ અને અલ્લાહ (તઆલા)ના આભારી રહો, જો તમે ફક્ત તેની જ બંદગી કરતા હોવ.


إِنَّمَا حَرَّمَ عَلَيْكُمُ الْمَيْتَةَ وَالدَّمَ وَلَحْمَ الْخِنزِيرِ وَمَا أُهِلَّ بِهِ لِغَيْرِ اللَّهِ ۖ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَلَا إِثْمَ عَلَيْهِ ۚ إِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ (173)

(૧૭૩) તમારા પર મુરદાર અને લોહી (વહી ગયેલું), સુવ્વરનું માંસ અને તે દરેક વસ્તુ જેના પર અલ્લાહના નામ સિવાય બીજાઓના નામ પોકારવામાં આવે તે હરામ છે, પરંતુ જેઓ મજબૂર થઈ જાય અને તેઓ સીમાનુ ઉલ્લંઘન કરનાર અને જાલિમ ન હોય, તેઓને તેને ખાવામાં કોઈ ગુનોહ નથી, અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.


إِنَّ الَّذِينَ يَكْتُمُونَ مَا أَنزَلَ اللَّهُ مِنَ الْكِتَابِ وَيَشْتَرُونَ بِهِ ثَمَنًا قَلِيلًا ۙ أُولَٰئِكَ مَا يَأْكُلُونَ فِي بُطُونِهِمْ إِلَّا النَّارَ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ (174)

(૧૭૪) બેશક જે લોકો અલ્લાહ (તઆલા)ની ઉતારેલી કિતાબને છુપાવે છે, અને તને થોડી-થોડી કિંમતો પર વેચે છે, યકીન કરો તેઓ પોતાના પેટમાં આગ ભરે છે, કયામતના દિવસે અલ્લાહ તઆલા તેમનાથી વાત પણ નહિં કરે, ન તેમને પવિત્ર કરશે, તેમના માટે સખત અઝાબ છે.


أُولَٰئِكَ الَّذِينَ اشْتَرَوُا الضَّلَالَةَ بِالْهُدَىٰ وَالْعَذَابَ بِالْمَغْفِرَةِ ۚ فَمَا أَصْبَرَهُمْ عَلَى النَّارِ (175)

(૧૭૫) આ તે લોકો છે જેમણે ગુમરાહીને હિદાયતના બદલે અને અઝાબને મગફિરત (મોક્ષ)ને બદલે ખરીદી લીધા છે, આ લોકો આગનો અઝાબ કેટલો સહન કરશે ?


ذَٰلِكَ بِأَنَّ اللَّهَ نَزَّلَ الْكِتَابَ بِالْحَقِّ ۗ وَإِنَّ الَّذِينَ اخْتَلَفُوا فِي الْكِتَابِ لَفِي شِقَاقٍ بَعِيدٍ (176)

(૧૭૬) આ અઝાબોનું કારણ એ જ છે કે અલ્લાહ તઆલાએ સાચી કિતાબ ઉતારી અને આ કિતાબમાં મતભેદ રાખવાવાળા જરૂર દૂરના હઠ (હકથી અલગ થઈ ફંટાઈ જવું) માં છે.