Surah An-Nahl

સૂરહ અન્-નહલ

રૂકૂઅ : ૯

આયત ૬૬ થી ૭૦

وَ اِنَّ لَكُمْ فِی الْاَنْعَامِ لَعِبْرَةً ؕ نُسْقِیْكُمْ مِّمَّا فِیْ بُطُوْنِهٖ مِنْۢ بَیْنِ فَرْثٍ وَّ دَمٍ لَّبَنًا خَالِصًا سَآئِغًا لِّلشّٰرِبِیْنَ (66)

(૬૬) અને તમારા માટે તો જાનવરોમાં પણ મોટો બોધપાઠ છે કે અમે તમને તેમના પેટમાં જે કંઈ છે તેમાંથી ગોબર અને લોહીના વચ્ચેથી શુદ્ધ દૂધ પીવડાવીએ છીએ, જે પીનારાઓ માટે આસાનીથી પચી જાય છે.


وَ مِنْ ثَمَرٰتِ النَّخِیْلِ وَ الْاَعْنَابِ تَتَّخِذُوْنَ مِنْهُ سَكَرًا وَّ رِزْقًا حَسَنًا ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّقَوْمٍ یَّعْقِلُوْنَ (67)

(૬૭) અને ખજૂર અને દ્રાક્ષના વૃક્ષોના ફળોમાંથી તમે શરાબ બનાવી લો છો અને બહેતરીન રોજીનો સામાન પણ, જે લોકો અકલ રાખે છે તેમના માટે તો આમાં પણ ઘણી મોટી નિશાની છે.


وَ اَوْحٰى رَبُّكَ اِلَى النَّحْلِ اَنِ اتَّخِذِیْ مِنَ الْجِبَالِ بُیُوْتًا وَّ مِنَ الشَّجَرِ وَ مِمَّا یَعْرِشُوْنَۙ (68)

(૬૮) અને તમારા રબે મધમાખીને એ સમજ આપી કે પહાડોમાં, વૃક્ષોમાં અને લોકોના બનાવેલા ઊંચા ઊંચા છાપરાઓ ઉપર પોતાના ઘર (મધપૂડા) બનાવે.


ثُمَّ كُلِیْ مِنْ كُلِّ الثَّمَرٰتِ فَاسْلُكِیْ سُبُلَ رَبِّكِ ذُلُلًا ؕ یَخْرُجُ مِنْۢ بُطُوْنِهَا شَرَابٌ مُّخْتَلِفٌ اَلْوَانُهٗ فِیْهِ شِفَآءٌ لِّلنَّاسِ ؕ اِنَّ فِیْ ذٰلِكَ لَاٰیَةً لِّقَوْمٍ یَّتَفَكَّرُوْنَ (69)

(૬૯) અને દરેક પ્રકારના ફળ ખાય, અને પોતાના (રબ)ના આસાન માર્ગ પર હરતી-ફરતી રહે, તેમના પેટમાંથી (પીવાનો પદાર્થ) નીકળે છે, જેના ઘણા રંગ છે અને જેમાં લોકો માટે રોગ નિવારણ (શિફા) છે. ચિંતન-મનન કરનારાઓ માટે આમાં પણ ઘણી મોટી નિશાની છે.


وَ اللّٰهُ خَلَقَكُمْ ثُمَّ یَتَوَفّٰىكُمْ ۙقف وَ مِنْكُمْ مَّنْ یُّرَدُّ اِلٰۤى اَرْذَلِ الْعُمُرِ لِكَیْ لَا یَعْلَمَ بَعْدَ عِلْمٍ شَیْئًا ؕ اِنَّ اللّٰهَ عَلِیْمٌ قَدِیْرٌ ۧ (70)

(૭૦) અને અલ્લાહ (તઆલા)એ જ તમને બધાને પેદા કર્યા છે, તે જ તમને મૃત્યુ આપશે, અને તમારામાં એવા પણ છે જેમને સૌથી ખરાબ ઉંમર તરફ પહોંચાડવામાં આવે છે, કે ઘણું બધું જાણ્યા પછી પણ કંઈ ન જાણે,” બેશક અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને તાકાતવાળો છે. (ع-)