Surah An-Nazi'at
સૂરહ અન્-નાઝિઆત
સૂરહ અન્-નાઝિઆત
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૭) શું તમારું પેદા કરવું કઠિન છે કે આકાશનું ? અલ્લાહ (તઆલા) એ તેને બનાવ્યું.
(૨૮) તેની ઊંચાઈ વધારી પછી તેને વ્યવસ્થિત કરી દીધું.[8]
(૨૯) અને તેની રાતને અંધકારમય બનાવી અને તેના દિવસને પ્રકાશમય બનાવ્યો.
(૩૦) અને તેના પછી ધરતીને (બરાબર) પાથરી દીધી.[9]
(૩૧) તેમાંથી પાણી અને ઘાસચારો કાઢયા.
(૩૨) અને પર્વતોને મજબૂત રીતે ખોસી દીધા.
(૩૩) આ બધુ તમારા અને તમારા જાનવરોના ફાયદા માટે જ છે.
(૩૪) તો જ્યારે તે મહા મુસીબત (કયામત) આવી જશે.
(૩૫) જે દિવસે મનુષ્ય પોતાના કરેલા કર્મોને યાદ કરશે.
(૩૬) અને (દરેક) જોનારના સામે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.
(૩૬) અને (દરેક) જોનારના સામે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે.
(૩૭) તો જે માણસે વિદ્રોહ અપનાવ્યો હશે.
(૩૮) અને દુનિયાના જીવનને પ્રાથમિક્તા આપી હશે.
(૩૯) તો (તેનું) ઠેકાણું જહન્નમ હશે.
(૪૦) પરંતુ જે માણસ પોતાના રબના સમક્ષ ઊભો રહેવાથી ડરતો રહ્યો હશે અને પોતાના મનને ઈચ્છાઓથી રોક્યું હશે.
(૪૧) તો તેનું ઠેકાણું જન્નત જ હશે.
(૪૨) લોકો તમને કયામત કાયમ (સ્થાપિત) થવાનો સમય પૂછે છે.
(૪૩) તમને તેના વિશે વર્ણન કરવાથી શું સંબંધ ?
(૪૪) તેનો (જ્ઞાનનો) અંત તો તમારા રબ તરફ જ છે.
(૪૫) તમે તો ફક્ત તેનાથી ડરનારાઓને સાવધાન (આગાહ) કરવાવાળા છો.[10]
(૪૬) જે દિવસે તેઓ તેને જોઈ લેશે તો એવો અહેસાસ થશે કે માત્ર દિવસનો છેલ્લો ભાગ (સાંજ) અથવા પહેલો ભાગ (સવાર) જ (દુનિયામાં) રહ્યા છે. (ع-૨)