Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૧૫

આયત ૧૪૪ થી ૧૪૮


وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ ۚ أَفَإِن مَّاتَ أَوْ قُتِلَ انقَلَبْتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ ۚ وَمَن يَنقَلِبْ عَلَىٰ عَقِبَيْهِ فَلَن يَضُرَّ اللَّهَ شَيْئًا ۗ وَسَيَجْزِي اللَّهُ الشَّاكِرِينَ (144)

(૧૪૪) અને મુહંમદ(અ.સ.) તો ફકત એક રસૂલ છે, એમના પહેલા ઘણા રસૂલ પસાર થઈ ગયા છે તો જો તે મૃત્યુ પામે અથવા કતલ કરી દેવામાં આવે તો શું તમે (ઇસ્લામથી) ઉલ્ટા પગે પાછા ફરી જશો ? અને જે કોઈ ઉલટા પગે પાછા ફરશે તે અલ્લાહને કોઈ નુકશાન નહિં પહોંચાડી શકે, અને અલ્લાહ શુક્રગુજારોને જલ્દી બદલો આપશે.

وَمَا كَانَ لِنَفْسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذْنِ اللَّهِ كِتَابًا مُّؤَجَّلًا ۗ وَمَن يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْهَا ۚ وَسَنَجْزِي الشَّاكِرِينَ (145)

(૧૪૫) અને અલ્લાહ (તઆલા)ના હુકમ વગર કોઈ જીવ મરી શકતો નથી, નક્કી કરેલ સમય લખેલ છે, દુનિયાથી મોહાબ્બત કરવાવાળાઓને અમે થોડી દુનિયા આપી દઈએ છીએ અને આખિરતનો બદલો ચાહવાવાળાને અમે તે પણ આપીશું અને આભાર વ્યક્ત કરનારાઓને અમે જલ્દીથી સારો બદલો આપીશું.


وَكَأَيِّن مِّن نَّبِيٍّ قَاتَلَ مَعَهُ رِبِّيُّونَ كَثِيرٌ فَمَا وَهَنُوا لِمَا أَصَابَهُمْ فِي سَبِيلِ اللَّهِ وَمَا ضَعُفُوا وَمَا اسْتَكَانُوا ۗ وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ (146)

(૧૪૬) અને ઘણા નબીઓના સાથે ઘણા અલ્લાહવાળા જિહાદ કરી ચૂક્યા છે, તેમને પણ અલ્લાહના માર્ગમાં તકલીફ પહોંચી, પરંતુ ન તો તેઓએ હિમ્મત હારી ન કમજોર થયા અને ન નમ્યા અને અલ્લાહ સબ્ર કરનારાઓને પસંદ કરે છે.


وَمَا كَانَ قَوْلَهُمْ إِلَّا أَن قَالُوا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ (147)

(૧૪૭) અને તેઓ આ જ કહેતા રહ્યા કે “અય અમારા રબ! અમારા ગુનાહોને માફ કરી દે અને અમારાથી અમારા કામોમાં વગર કારણે અત્યાચાર થયો હોય, તેને માફ કર અને અમારા કદમ જમાવી દે અને અમને કાફિરોની કોમ ૫૨ મદદ કર.


فَآتَاهُمُ اللَّهُ ثَوَابَ الدُّنْيَا وَحُسْنَ ثَوَابِ الْآخِرَةِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ (148)

(૧૪૮) અને અલ્લાહ (તઆલા)એ તેમને દુનિયાનો બદલો આપ્યો અને આખિરતના બદલાની વિશેષતા પણ પ્રદાન કરી અને અલ્લાહ (તઆલા) નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.