Surah Ali 'Imran
સૂરહ આલે ઈમરાન
સૂરહ આલે ઈમરાન
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૪૪) અને મુહંમદ તો ફક્ત એક રસૂલ છે,[63] એમના પહેલા ઘણા રસૂલ પસાર થઈ ગયા છે તો જો તે મૃત્યુ પામે અથવા કતલ કરી દેવામાં આવે તો શું તમે (ઇસ્લામથી) ઉલટા પગે પાછા ફરી જશો ? અને જે કોઈ ઉલટા પગે પાછા ફરશે તે અલ્લાહને કોઈ નુકશાન નહિં પહોંચાડી શકે, અને અલ્લાહ શુક્રગુજારોને જલ્દી બદલો આપશે.
(૧૪૫) અને અલ્લાહ (તઆલા)ના હુકમ વગર કોઈ જીવ મરી શકતો નથી, નક્કી કરેલ સમય લખેલ છે, દુનિયાથી મોહબ્બત કરવાવાળાઓને અમે થોડી દુનિયા આપી દઈએ છીએ અને આખિરતનો બદલો ચાહવાવાળાને અમે તે પણ આપીશું અને આભાર વ્યક્ત કરનારાઓને અમે જલ્દીથી સારો બદલો આપીશું.
(૧૪૬) અને ઘણા નબીઓના સાથે ઘણા અલ્લાહવાળા જિહાદ કરી ચૂકયા છે, તેમને પણ અલ્લાહના માર્ગમાં તકલીફ પહોંચી, પરંતુ ન તો તેઓએ હિમ્મત હારી ન કમજોર થયા અને ન નમ્યા અને અલ્લાહ સબ્ર કરનારાઓને પસંદ કરે છે.
(૧૪૭) અને તેઓ આ જ કહેતા રહ્યા કે “અય અમારા રબ! અમારા ગુનાહોને માફ કરી દે અને અમારાથી અમારા કામોમાં વગર કારણે અત્યાચાર થયો હોય, તેને માફ કર અને અમારા કદમ જમાવી દે અને અમને કાફિરોની કોમ પર મદદ કર.
(૧૪૮) અને અલ્લાહ (તઆલા)એ તેમને દુનિયાનો બદલો આપ્યો અને આખિરતના બદલાની વિશેષતા પણ પ્રદાન કરી અને અલ્લાહ (તઆલા) નેકી કરનારાઓને દોસ્ત રાખે છે.