Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૧૪

આયત ૧૦૧ થી ૧૦૮


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَسْئَلُوْا عَنْ اَشْیَآءَ اِنْ تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ ۚ وَ اِنْ تَسْئَلُوْا عَنْهَا حِیْنَ یُنَزَّلُ الْقُرْاٰنُ تُبْدَ لَكُمْ ؕ عَفَا اللّٰهُ عَنْهَا ؕ وَ اللّٰهُ غَفُوْرٌ حَلِیْمٌ (101)

(૧૦૧) અય ઈમાનવાળાઓ! એવા વિષયમાં ન પૂછો કે જેને જાહેર કરી દેવામાં આવે તો તમને ખોટું લાગી જાય અને જો કુરઆન ઉતરતી વખતે પૂછશો તો તમારા ઉપર જાહેર કરી દેવામાં આવશે, જે થઈ ગયુ અલ્લાહે તેને માફ કરી દીધું અને અલ્લાહ માફ કરવાવાળો સહનશીલ છે.


قَدْ سَاَلَهَا قَوْمٌ مِّنْ قَبْلِكُمْ ثُمَّ اَصْبَحُوْا بِهَا كٰفِرِیْنَ (102)

(૧૦૨) તમારા પહેલા કેટલાક લોકોએ આવા જ સવાલ કર્યા પછી તેના ઈન્કારી થઈ ગયા.


مَا جَعَلَ اللّٰهُ مِنْۢ بَحِیْرَةٍ وَّ لَا سَآئِبَةٍ وَّ لَا وَصِیْلَةٍ وَّ لَا حَامٍ ۙ وَّ لٰكِنَّ الَّذِیْنَ كَفَرُوْا یَفْتَرُوْنَ عَلَى اللّٰهِ الْكَذِبَ ؕ وَ اَكْثَرُهُمْ لَا یَعْقِلُوْنَ (103)

(૧૦૩) અલ્લાહે હુકમ નથી આપ્યો બહીરાનો, ન સાએબાનો, ન વસીલાનો, ન હામનો, પરંતુ કાફિરો અલ્લાહ ૫૨ જૂઠો આરોપ લગાવે છે અને તેમનામાં વધારે પડતા અકલ નથી ધરાવતા.


وَ اِذَا قِیْلَ لَهُمْ تَعَالَوْا اِلٰى مَاۤ اَنْزَلَ اللّٰهُ وَ اِلَى الرَّسُوْلِ قَالُوْا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَیْهِ اٰبَآءَنَا ؕ اَوَ لَوْ كَانَ اٰبَآؤُهُمْ لَا یَعْلَمُوْنَ شَیْئًا وَّ لَا یَهْتَدُوْنَ (104)

(૧૦૪) અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેના (પવિત્ર કુરઆન) અને રસૂલ (મોહંમદ સ.અ.વ.)ના તરફ આવો તો તેઓએ કહ્યું કે જે (રીત) ૫૨ અમે અમારા બાપદાદાઓને જોયા છે તે અમને પૂરતી છે, ભલે ને તેમના બાપદાદા કશુ જાણતા ન હોય અને સાચા રસ્તા પર ન હોય.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا عَلَیْكُمْ اَنْفُسَكُمْ ۚ لَا یَضُرُّكُمْ مَّنْ ضَلَّ اِذَا اهْتَدَیْتُمْ ؕ اِلَى اللّٰهِ مَرْجِعُكُمْ جَمِیْعًا فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ (105)

(૧૦૫) અય ઈમાનવાળાઓ! પોતાની ફિકર કરો, જયારે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો તો જે વ્યક્તિ ભટકી જાય તેનાથી તમારૂ કોઈ નુકસાન નથી, અલ્લાહ તરફ જ તમારા બધાએ પાછા કરવાનું છે, પછી તે તમને બધાને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا شَهَادَةُ بَیْنِكُمْ اِذَا حَضَرَ اَحَدَكُمُ الْمَوْتُ حِیْنَ الْوَصِیَّةِ اثْنٰنِ ذَوَا عَدْلٍ مِّنْكُمْ اَوْ اٰخَرٰنِ مِنْ غَیْرِكُمْ اِنْ اَنْتُمْ ضَرَبْتُمْ فِی الْاَرْضِ فَاَصَابَتْكُمْ مُّصِیْبَةُ الْمَوْتِ ؕ تَحْبِسُوْنَهُمَا مِنْۢ بَعْدِ الصَّلٰوةِ فَیُقْسِمٰنِ بِاللّٰهِ اِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِیْ بِهٖ ثَمَنًا وَّ لَوْ كَانَ ذَا قُرْبٰى ۙ وَ لَا نَكْتُمُ شَهَادَةَ ۙ اللّٰهِ اِنَّاۤ اِذًا لَّمِنَ الْاٰثِمِیْنَ (106)

(૧૦૬) અય ઈમાનવાળાઓ! જયારે તમારામાં કોઈના મૃત્યુનો સમય નજીક હોય તો વસીયતના સમયે તમારામાંથી બે આદિલ (ન્યાયી) વ્યક્તિએ ગવાહ રહેવું જોઈએ અથવા તમારા સિવાય બે બીજાએ જો તમે જમીન પર મુસાફરી કરી રહ્યા હોય અને તમારા પર મૃત્યુની મુસીબત આવી જાય, (શંકાની હાલતમાં) તમે બંને (ગવાહો)ને (જમાઅતની) નમાઝ પછી રોકશો પછી બંને અલ્લાહની કસમ લેશે કે, “અમે આ (ગવાહી)ના બદલે કોઈ કિંમત લેવા ઈચ્છતા નથી, ભલેને તેઓ નજીકના હોય અને અમે અલ્લાહની ગવાહી છુપાવી શકતા નથી, જો અમે આવું કરીશું તો અમે ગુનેહગારોમાં ગણાઈશું.”


فَاِنْ عُثِرَ عَلٰۤى اَنَّهُمَا اسْتَحَقَّاۤ اِثْمًا فَاٰخَرٰنِ یَقُوْمٰنِ مَقَامَهُمَا مِنَ الَّذِیْنَ اسْتَحَقَّ عَلَیْهِمُ الْاَوْلَیٰنِ فَیُقْسِمٰنِ بِاللّٰهِ لَشَهَادَتُنَاۤ اَحَقُّ مِنْ شَهَادَتِهِمَا وَ مَا اعْتَدَیْنَاۤ ۖ } اِنَّاۤ اِذًا لَّمِنَ الظّٰلِمِیْنَ (107)

(૧૦૭) પછી જો ખબર પડી જાય કે તે બંને (ગવાહો) કોઈ ગુનાહને પાત્ર થયા છે તો જેની ઉપર ગુનાહને પાત્ર થયા છે એમનામાંથી બે નજીકના રિશ્તેદારો બંને (ગવાહો)ની જગ્યાએ ઊભા રહેશે અને અલ્લાહની કસમ લેશે કે અમારી ગવાહી આ બંનેની ગવાહી કરતા વધારે સાચી છે અને અમે હદથી વધી ગયા નથી, અમે આ હાલતમાં જાલિમોમાંથી હોઈશું.


ذٰلِكَ اَدْنٰۤى اَنْ یَّاْتُوْا بِالشَّهَادَةِ عَلٰى وَجْهِهَاۤ اَوْ یَخَافُوْۤا اَنْ تُرَدَّ اَیْمَانٌۢ بَعْدَ اَیْمَانِهِمْ ؕ وَ اتَّقُوا اللّٰهَ وَ اسْمَعُوْا ؕ وَ اللّٰهُ لَا یَهْدِی الْقَوْمَ الْفٰسِقِیْنَ ۧ (108)

(૧૦૮) આ સૌથી નજીકનો જરીઓ છે કે તે લોકો સાચી ગવાહી આપે અથવા તેમને એવો ડર હોય કે કસમોના પછી ફરી કસમ ઉલ્ટી પડી જશે અને અલ્લાહથી ડરો અને સાંભળી લો કે અલ્લાહ ફાસિકોને હિદાયત નથી આપતો. (ع-૧૪)