(૧૦૧) અય ઈમાનવાળાઓ! એવા વિષયમાં ન પૂછો કે જેને જાહેર કરી દેવામાં આવે તો તમને ખોટું લાગી જાય અને જો કુરઆન ઉતરતી વખતે પૂછશો તો તમારા ઉપર જાહેર કરી દેવામાં આવશે,[75] જે થઈ ગયુ અલ્લાહે તેને માફ કરી દીધું અને અલ્લાહ માફ કરવાવાળો સહનશીલ છે.
(૧૦૨) તમારા પહેલા કેટલાક લોકોએ આવા જ સવાલ કર્યા પછી તેના ઈન્કારી થઈ ગયા.
(૧૦૩) અલ્લાહે હુકમ નથી આપ્યો બહીરાનો, ન સાએબાનો, ન વસીલાનો, ન હામનો,[76] પરંતુ કાફિરો અલ્લાહ ૫૨ જૂઠો આરોપ લગાવે છે અને તેમનામાં વધારે પડતા અકલ નથી ધરાવતા.
(૧૦૪) અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તેના (પવિત્ર કુરઆન) અને રસૂલ (મોહંમદ (ﷺ))ના તરફ આવો તો તેઓએ કહ્યું કે જે (રીત) ૫૨ અમે અમારા બાપદાદાઓને જોયા છે તે અમને પૂરતી છે, ભલે ને તેમના બાપદાદા કશુ જાણતા ન હોય અને સાચા રસ્તા પર ન હોય.
(૧૦૫) અય ઈમાનવાળાઓ! પોતાની ફિકર કરો, જયારે તમે સાચા રસ્તા પર ચાલી રહ્યા છો તો જે વ્યક્તિ ભટકી જાય તેનાથી તમારૂ કોઈ નુકસાન નથી, અલ્લાહ તરફ જ તમારા બધાએ પાછા કરવાનું છે, પછી તે તમને બધાને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા.
(૧૦૬) અય ઈમાનવાળાઓ! જયારે તમારામાં કોઈના મૃત્યુનો સમય નજીક હોય તો વસીયતના સમયે તમારામાંથી બે આદિલ (ન્યાયી) વ્યક્તિએ ગવાહ રહેવું જોઈએ[77] અથવા તમારા સિવાય બે બીજાએ જો તમે જમીન પર મુસાફરી કરી રહ્યા હોય અને તમારા પર મૃત્યુની મુસીબત આવી જાય,[78] (શંકાની હાલતમાં) તમે બંને (ગવાહો)ને (જમાઅતની) નમાઝ પછી રોકશો પછી બંને અલ્લાહની કસમ લેશે કે, “અમે આ (ગવાહી)ના બદલે કોઈ કિંમત લેવા ઈચ્છતા નથી,[79] ભલેને તેઓ નજીકના હોય અને અમે અલ્લાહની ગવાહી છુપાવી શકતા નથી, જો અમે આવું કરીશું તો અમે ગુનેહગારોમાં ગણાઈશું.”
(૧૦૭) પછી જો ખબર પડી જાય કે તે બંને (ગવાહો) કોઈ ગુનાહને પાત્ર થયા છે તો જેની ઉપર ગુનાહને પાત્ર થયા છે[80] એમનામાંથી બે નજીકના રિશ્તેદારો બંને (ગવાહો)ની જગ્યાએ ઊભા રહેશે અને અલ્લાહની કસમ લેશે કે અમારી ગવાહી આ બંનેની ગવાહી કરતા વધારે સાચી છે અને અમે હદથી વધી ગયા નથી, અમે આ હાલતમાં જાલિમોમાંથી હોઈશું.
(૧૦૮) આ સૌથી નજીકનો જરીઓ છે કે તે લોકો સાચી ગવાહી આપે અથવા તેમને એવો ડર હોય કે કસમોના પછી ફરી કસમ ઉલ્ટી પડી જશે અને અલ્લાહથી ડરો અને સાંભળી લો કે અલ્લાહ ફાસિકોને હિદાયત નથી આપતો. (ع-૧૪)