Surah Al-Hajj

સૂરહ અલ-હજ્જ

રૂકૂઅ : ૨

આયત ૧૧ થી ૨૨

وَ مِنَ النَّاسِ مَنْ یَّعْبُدُ اللّٰهَ عَلٰى حَرْفٍ ۚ فَاِنْ اَصَابَهٗ خَیْرُ اِن طْمَاَنَّ بِهٖ ۚ وَ اِنْ اَصَابَتْهُ فِتْنَةُ اِ۟نْقَلَبَ عَلٰى وَجْهِهٖ ۚقف خَسِرَ الدُّنْیَا وَ الْاٰخِرَةَ ؕ ذٰلِكَ هُوَ الْخُسْرَانُ الْمُبِیْنُ (11)

(૧૧) અને કેટલાક લોકો એવા પણ છે કે એક કિનારા ઉપર રહીને અલ્લાહની બંદગી કરે છે, જો કોઈ ફાયદો પહોંચી જાય તો આકર્ષિત થાય છે અને જો કોઈ દુઃખ આવી પહોંચે તો તે જ સમયે વિમૂખ થઈ જાય છે. તેમણે દુનિયા અને આખિરતનું નુકસાન ઉઠાવી લીધું, હકીકતમાં આ સ્પષ્ટ નુકસાન છે.


یَدْعُوْا مِنْ دُوْنِ اللّٰهِ مَا لَا یَضُرُّهٗ وَ مَا لَا یَنْفَعُهٗ ؕ ذٰلِكَ هُوَ الضَّلٰلُ الْبَعِیْدُۚ (12)

(૧૨) પછી તેઓ અલ્લાહને છોડી તેમને પોકારે છે જે ન નુક્સાન પહોંચાડી શકે ન ફાયદો, આ જ તો દૂરનો ભટકાવ છે.


یَدْعُوْا لَمَنْ ضَرُّهٗۤ اَقْرَبُ مِنْ نَّفْعِهٖ ؕ لَبِئْسَ الْمَوْلٰى وَ لَبِئْسَ الْعَشِیْرُ (13)

(૧૩) તેઓ તેમને પોકારે છે જેનું નુક્સાન તેના ફાયદા કરતા વધારે છે , બેશક તે બૂરા સંરક્ષક છે અને બૂરા સાથી.


اِنَّ اللّٰهَ یُدْخِلُ الَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ ؕ اِنَّ اللّٰهَ یَفْعَلُ مَا یُرِیْدُ (14)

(૧૪) બેશક ઈમાન લાવનારાઓ અને નેક કામો કરનારાઓને અલ્લાહ (તઆલા) એવી જન્નતોમાં લઈ જશે જેની નીચે નહેરો વહેતી હશે, અલ્લાહ જે ઈરાદો કરે છે તેને કરીને જ રહે છે.


مَنْ كَانَ یَظُنُّ اَنْ لَّنْ یَّنْصُرَهُ اللّٰهُ فِی الدُّنْیَا وَ الْاٰخِرَةِ فَلْیَمْدُدْ بِسَبَبٍ اِلَى السَّمَآءِ ثُمَّ لْیَقْطَعْ فَلْیَنْظُرْ هَلْ یُذْهِبَنَّ كَیْدُهٗ مَا یَغِیْظُ (15)

(૧૫) જેનો એવો ખયાલ હોય કે અલ્લાહ (તઆલા) પોતાના રસૂલની દુનિયા અને આખિરતમાં મદદ નહિ કરે, તે ઊંચાઈ ઉપર એક દોરડું બાંધીને (પોતાના ગળામાં ફંદો નાખી લે) અને ગળું ઘોંટી નાખે પછી જુએ કે તેની ચાલાકીથી એ વાત હટી જાય છે, જે તેને તડપાવી રહી છે.


وَ كَذٰلِكَ اَنْزَلْنٰهُ اٰیٰتٍۭ بَیِّنٰتٍ ۙ وَّ اَنَّ اللّٰهَ یَهْدِیْ مَنْ یُّرِیْدُ (16)

(૧૬) અને અમે આ કુરઆનને સ્પષ્ટ આયતોમાં ઉતાર્યુ છે, અને જેને અલ્લાહ ચાહે હિદાયત આપે છે.


اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَ الَّذِیْنَ هَادُوْا وَ الصّٰبِئِیْنَ وَ النَّصٰرٰى وَ الْمَجُوْسَ وَ الَّذِیْنَ اَشْرَكُوْۤا ۖق اِنَّ اللّٰهَ یَفْصِلُ بَیْنَهُمْ یَوْمَ الْقِیٰمَةِ ؕ اِنَّ اللّٰهَ عَلٰى كُلِّ شَیْءٍ شَهِیْدٌ (17)

(૧૭) ઈમાનવાળાઓ અને યહૂદી અને વિધર્મી અને ઈસાઈ અને અગ્નિપૂજક અને મૂર્તિપૂજક, આ બધાની વચ્ચે કયામતના દિવસે અલ્લાહ (તઆલા) પોતે ફેંસલો કરી દેશે, અલ્લાહ (તઆલા) દરેક વસ્તુનો ગવાહ છે.


اَلَمْ تَرَ اَنَّ اللّٰهَ یَسْجُدُ لَهٗ مَنْ فِی السَّمٰوٰتِ وَ مَنْ فِی الْاَرْضِ وَ الشَّمْسُ وَ الْقَمَرُ وَ النُّجُوْمُ وَ الْجِبَالُ وَ الشَّجَرُ وَ الدَّوَآبُّ وَ كَثِیْرٌ مِّنَ النَّاسِ ؕ وَ كَثِیْرٌ حَقَّ عَلَیْهِ الْعَذَابُ ؕ وَ مَنْ یُّهِنِ اللّٰهُ فَمَا لَهٗ مِنْ مُّكْرِمٍ ؕ اِنَّ اللّٰهَ یَفْعَلُ مَا یَشَآءُؕ ۩ {السجدة-ع} ۞ (18)

(૧૮) શું તમે નથી જોઈ રહ્યા કે અલ્લાહના આગળ સિજદામાં છે તમામ આકાશોવાળા અને ધરતીવાળા અને સૂર્ય અને ચંદ્ર અને તારાઓ અને પર્વતો અને વૃક્ષો અને જાનવરો અને ઘણા બધા મનુષ્યો પણ. હા, ઘણા એવા પણ છે જેમના ઉપર અઝાબ સાબિત થઈ ચૂક્યો છે અને જેને રબ અપમાનિત કરી દે તેને કોઈ સન્માન આપનાર નથી. અલ્લાહ જે ચાહે છે તે કરે છે. {સિજદો-}


هٰذٰنِ خَصْمٰنِ اخْتَصَمُوْا فِیْ رَبِّهِمْ {ز} فَالَّذِیْنَ كَفَرُوْا قُطِّعَتْ لَهُمْ ثِیَابٌ مِّنْ نَّارٍ ؕ یُصَبُّ مِنْ فَوْقِ رُءُوْسِهِمُ الْحَمِیْمُۚ (19)

(૧૯) આ બંને જૂથો પોતાના રબના વિષયમાં મતભેદ રાખવાવાળા છે, તો કાફિરો માટે આગના કપડાં માપીને વેતરવામાં આવ્યા છે, અને તેમના માથાંઓ પર ગરમ પાણી રેડવામાં આવશે.


یُصْهَرُ بِهٖ مَا فِیْ بُطُوْنِهِمْ وَ الْجُلُوْدُؕ (20)

(૨૦) જેનાથી તેમના પેટની બધી વસ્તુઓ અને ચામડી ઓગળી જશે.


وَ لَهُمْ مَّقَامِعُ مِنْ حَدِیْدٍ (21)

(૨૧) અને તેમની સજા માટે લોખંડના હથોડા હશે.


كُلَّمَاۤ اَرَادُوْۤا اَنْ یَّخْرُجُوْا مِنْهَا مِنْ غَمٍّ اُعِیْدُوْا فِیْهَا ق وَ ذُوْقُوْا عَذَابَ الْحَرِیْقِ ۧ (22)

(૨૨) આ લોકો જ્યારે પણ ત્યાંના દુઃખોથી ભાગી નીકળવાનો ઈરાદો કરશે, તેમાંજ પાછા ધકેલી દેવામાં આવશે અને (કહેવામાં આવશે) બળવાના અઝાબની મજા ચાખો. (ع-૨)