Surah An-Nahl

સૂરહ અન્-નહલ

રૂકૂઅ : ૬

આયત ૪૧ થી ૫૦

وَ الَّذِیْنَ هَاجَرُوْا فِی اللّٰهِ مِنْۢ بَعْدِ مَا ظُلِمُوْا لَنُبَوِّئَنَّهُمْ فِی الدُّنْیَا حَسَنَةً ؕ وَ لَاَجْرُ الْاٰخِرَةِ اَكْبَرُ ۘ لَوْ كَانُوْا یَعْلَمُوْنَۙ (41)

(૪૧) અને જે લોકો એ જુલમ સહન કર્યા પછી અલ્લાહના માર્ગમાં હિજરત કરી છે, અમે તેમને સૌથી સારી જગ્યા દુનિયામાં પ્રદાન કરીશું, અને આખિરતનો બદલો તો ઘણો મોટો છે, કાશ ! લોકો આનાથી વાકેફ હોત.


الَّذِیْنَ صَبَرُوْا وَ عَلٰى رَبِّهِمْ یَتَوَكَّلُوْنَ (42)

(૪૨) તે લોકો જેમણે સબ્ર કર્યું અને પોતાના રબ પર જ ભરોસો કરતા રહ્યા.


وَ مَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ اِلَّا رِجَالًا نُّوْحِیْۤ اِلَیْهِمْ فَسْئَلُوْۤا اَهْلَ الذِّكْرِ اِنْ كُنْتُمْ لَا تَعْلَمُوْنَۙ (43)

(૪૩) અને તમારાથી પહેલા પણ અમે પુરૂષોને જ મોકલતા રહ્યા જેમના તરફ વહી ઉતાર્યા કરતા હતા, જો તમે નથી જાણતા તો ઈલ્મવાળાઓને પૂછી લો.


بِالْبَیِّنٰتِ وَ الزُّبُرِ ؕ وَ اَنْزَلْنَاۤ اِلَیْكَ الذِّكْرَ لِتُبَیِّنَ لِلنَّاسِ مَا نُزِّلَ اِلَیْهِمْ وَ لَعَلَّهُمْ یَتَفَكَّرُوْنَ (44)

(૪૪) નિશાનીઓ અને કિતાબો સાથે, આ ઝીક્ર (કિતાબ) અમે તમારા તરફ ઉતારી છે કે લોકોના તરફ જે ઉતારવામાં આવ્યુ છે તમે તેને સ્પષ્ટ રીતે વર્ણન કરી દો, કદાચ તેઓ ચિંતન-મનન કરે.


اَفَاَمِنَ الَّذِیْنَ مَكَرُوا السَّیِّاٰتِ اَنْ یَّخْسِفَ اللّٰهُ بِهِمُ الْاَرْضَ اَوْ یَاْتِیَهُمُ الْعَذَابُ مِنْ حَیْثُ لَا یَشْعُرُوْنَۙ (45)

(૪૫) છળકપટ કરનારા શું આ વાતથી નિર્ભય થઈ ગયા છે કે અલ્લાહ (તઆલા) તેમને ધરતીમાં ખૂપાવી દે અથવા તેમના પાસે એવી જગ્યાઓથી અઝાબ આવી પહોંચે જ્યાંથી તેમને કલ્પના પણ ન હોય.


اَوْ یَاْخُذَهُمْ فِیْ تَقَلُّبِهِمْ فَمَا هُمْ بِمُعْجِزِیْنَۙ (46)

(૪૬) અથવા તેમને હરતાં-ફરતાં પકડી લે, આ લોકો કોઈ રીતે પણ અલ્લાહને મજબૂર નથી કરી શકતા.


اَوْ یَاْخُذَهُمْ عَلٰى تَخَوُّفٍ ؕ فَاِنَّ رَبَّكُمْ لَرَءُوْفٌ رَّحِیْمٌ (47)

(૪૭) અથવા તેમને ડરાવી-ધમકાવીને પકડી લે, પછી બેશક તમારો રબ ઘણો નમ્ર અને દયાળુ છે.


اَوَ لَمْ یَرَوْا اِلٰى مَا خَلَقَ اللّٰهُ مِنْ شَیْءٍ یَّتَفَیَّؤُا ظِلٰلُهٗ عَنِ الْیَمِیْنِ وَ الشَّمَآئِلِ سُجَّدًا لِّلّٰهِ وَ هُمْ دٰخِرُوْنَ (48)

(૪૮) શું તેઓએ અલ્લાહની સૃષ્ટિમાંથી કોઈને પણ નથી જોયા કે તેમના પડછાયા ડાબે-જમણે ઝૂકીને અલ્લાહને સિજદો કરે છે અને વિનમ્રતાનું પ્રદર્શન કરે છે.


وَ لِلّٰهِ یَسْجُدُ مَا فِی السَّمٰوٰتِ وَ مَا فِی الْاَرْضِ مِنْ دَآبَّةٍ وَّ الْمَلٰٓئِكَةُ وَ هُمْ لَا یَسْتَكْبِرُوْنَ (49)

(૪૯) અને બેશક આકાશો અને ધરતીના તમામ સજીવો અને તમામ ફરિશ્તાઓ અલ્લાહ (તઆલા)ને સિજદો કરે છે અને જરા પણ ઘમંડ કરતા નથી.


یَخَافُوْنَ رَبَّهُمْ مِّنْ فَوْقِهِمْ وَ یَفْعَلُوْنَ مَا یُؤْمَرُوْنَ ۩ {السجدة-ع} ۞ ۧ (50)

(૫૦) અને પોતાના રબથી જે તેમના ઉપર છે ડરતા રહે છે અને જે હુકમ મળી જાય તેનું પાલન કરવામાં લાગેલા રહે છે.(ع-) {સિજદો-}