Surah Al-Muddaththir

સૂરહ અલ-મુદ્દસ્સિર

રૂકૂ : ૧

આયત ૧ થી ૩૧

بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

یٰۤاَیُّهَا الْمُدَّثِّرُ ۙ (1)

(૧) હે કાપડ ઓઢવાવાળા !


قُمْ فَاَنْذِرْ { ۙص} (2)

(૨) ઊભા થઈ જાઓ અને હોંશિયાર કરી દો.


وَ رَبَّكَ فَكَبِّرْ { ۙص} (3)

(૩) અને પોતાના રબની જ મહિમા (ગુણગાન) વર્ણન કરો.


وَ ثِیَابَكَ فَطَهِّرْ { ۙص} (4)

(૪) અને પોતાના કપડા પવિત્ર રાખ્યા કરો.


وَ الرُّجْزَ فَاهْجُرْ { ۙص} (5)

(૫) અને અપવિત્રતા (નાપાકી) ને છોડી દો.


وَ لَا تَمْنُنْ تَسْتَكْثِرُ { ۙص} (6)

(૬) અને ઉપકાર કરીને વધુ મેળવવાની ઈચ્છા ન કરો.


وَ لِرَبِّكَ فَاصْبِرْ ؕ (7)

(૭) અને પોતાના રબના માર્ગમાં સબ્ર કરો.


فَاِذَا نُقِرَ فِی النَّاقُوْرِ ۙ (8)

(૮) અને જયારે રણશિંગુ (શૂર) ફૂંકવામાં આવશે.


فَذٰلِكَ یَوْمَئِذٍ یَّوْمٌ عَسِیْرٌ ۙ (9)

(૯) તો તે દિવસ ખૂબ જ ભારે દિવસ હશે.


عَلَى الْكٰفِرِیْنَ غَیْرُ یَسِیْرٍ (10)

(૧૦) (જે) કાફિરો પર હળવો નહિં હોય.


ذَرْنِیْ وَ مَنْ خَلَقْتُ وَحِیْدًا ۙ (11)

(૧૧) મને અને તેને છોડી દો, જેને મેં એકલો પેદા કર્યા છે.


وَّ جَعَلْتُ لَهٗ مَالًا مَّمْدُوْدًا ۙ (12)

(૧૨) અને તેને ખૂબ જ ધન આપી રાખ્યું છે.


وَّ بَنِیْنَ شُهُوْدًا ۙ (13)

(૧૩) અને હાજર રહેવાવાળા દીકરાઓ પણ


وَّ مَهَّدْتُّ لَهٗ تَمْهِیْدًا ۙ (14)

(૧૪) અને મેં તેમને ખૂબ જ વધુ વિશાળતા આપી રાખી છે.


ثُمَّ یَطْمَعُ اَنْ اَزِیْدَ ۙ } (15)

(૧૫) પછી પણ તેની ઈચ્છા (લાલચ) છે કે હું તેને હજુ વધારે આપું.


كَلَّا ؕ اِنَّهٗ كَانَ لِاٰیٰتِنَا عَنِیْدًا ؕ (16)

(૧૬) કદાપિ નહિં, તે અમારી આયતોનો વિરોધી છે.


سَاُرْهِقُهٗ صَعُوْدًا ؕ (17)

(૧૭) નજીકમાં જ હું તેને એક સખત ચઢાઈ ચઢાવીશ.


اِنَّهٗ فَكَّرَ وَ قَدَّرَ ۙ (18)

(૧૮) તેણે વિચારીને અંદાજો લગાવ્યો.


فَقُتِلَ كَیْفَ قَدَّرَ ۙ (19)

(૧૯) તેનો નાશ થાય, તેણે કેવો અંદાજો લગાવ્યો ?


ثُمَّ قُتِلَ كَیْفَ قَدَّرَ ۙ (20)

(૨૦) તેનો ફરીથી નાશ થાય,કેવી રીતે અંદાજો લગાવ્યો ?


ثُمَّ نَظَرَ ۙ (21)

(૨૧) તેણે ફરીથી જોયું.


ثُمَّ عَبَسَ وَ بَسَرَ ۙ (22)

(૨૨) પછી તેણે મોઢું બગાડ્યું અને કપાળ ઉપર વળ ચઢાવ્યા.


ثُمَّ اَدْبَرَ وَ اسْتَكْبَرَ ۙ (23)

(૨૩) પછી તે પાછો ફર્યો અને ઘમંડમાં પડ્યો.


فَقَالَ اِنْ هٰذَاۤ اِلَّا سِحْرٌ یُّؤْثَرُ ۙ (24)

(૨૪) અને કહેવા લાગ્યો કે આ તો ફક્ત જાદૂ છે જે નકલ કરવામાં આવે છે.


اِنْ هٰذَاۤ اِلَّا قَوْلُ الْبَشَرِ ؕ (25)

(૨૫) (આ) મનુષ્યની વાણી સિવાય કંઈજ નથી.


سَاُصْلِیْهِ سَقَرَ (26)

(૨૬) હું જલ્દીથી તેને જહન્નમમાં નાખીશ.


وَ مَاۤ اَدْرٰىكَ مَا سَقَرُ ؕ (27)

(૨૭) અને તમને શું ખબર કે જહન્નમ કેવી વસ્તુ છે ?


لَا تُبْقِیْ وَ لَا تَذَرُ ۚ (28)

(૨૮) ન તે બાકી રાખે છે અને ન છોડે છે.


لَوَّاحَةٌ لِّلْبَشَرِ ۚ ۖ (29)

(૨૯) ચામડીને બાળી મૂકનાર છે.


عَلَیْهَا تِسْعَةَ عَشَرَ ؕ (30)

(૩૦) અને તેના પર ઓગણીસ (ફરિશ્તાઓ) નિયુક્ત છે.


وَ مَا جَعَلْنَاۤ اَصْحٰبَ النَّارِ اِلَّا مَلٰٓئِكَةً {ص} وَّ مَا جَعَلْنَا عِدَّتَهُمْ اِلَّا فِتْنَةً لِّلَّذِیْنَ كَفَرُوْا ۙ لِیَسْتَیْقِنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ وَ یَزْدَادَ الَّذِیْنَ اٰمَنُوْۤا اِیْمَانًا وَّ لَا یَرْتَابَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ وَ الْمُؤْمِنُوْنَ ۙ وَ لِیَقُوْلَ الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّ الْكٰفِرُوْنَ مَا ذَاۤ اَرَادَ اللّٰهُ بِهٰذَا مَثَلًا ؕ كَذٰلِكَ یُضِلُّ اللّٰهُ مَنْ یَّشَآءُ وَ یَهْدِیْ مَنْ یَّشَآءُ ؕ وَ مَا یَعْلَمُ جُنُوْدَ رَبِّكَ اِلَّا هُوَ ؕ وَ مَا هِیَ اِلَّا ذِكْرٰى لِلْبَشَرِ ۧ (31)

(૩૧) અને અમે જહન્નમના રક્ષક ફક્ત ફરિશ્તાઓને રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફક્ત કાફિરોની ક્સોટી માટે નિર્ધારિત કરી રાખી છે, જેથી ક્તિબવાળાઓ યકીન કરી લે અને ઈમાનવાળાઓનું ઈમાન હજુ વધી જાય અને ક્તાિબવાળાઓ અને ઈમાનવાળાઓ શંકા ન કરે અને જેમના દિલોમાં (શંકાનો) રોગ છે તેઓ અને કાફિરો કહે છે કે આ ઉદાહરણથી અલ્લાહ (તઆલા)નો હેતુ (મક્સદ) શું છે ? આ રીતે અલ્લાહ (તઆલા) જેને ચાહે ભટકાવી દે છે અને જેને ચાહે સીધો માર્ગ બતાવી દે છે અને તમારા રબના લશ્કરોને તેના સિવાય કોઈ નથી જાણતું આ બધા જ મનુષ્યો માટે (સરાસર) ઉપદેશ (અને ભલાઈ) છે. (ع-)