(૮૩) યાદ કરો બની ઈસરાઈલ પાસેથી અમે પાકુ વચન લીધુ હતુ કે અલ્લાહ સિવાય કોઈની ઈબાદત (ઉપાસના) ન કરશો, માં-બાપ ની સાથે, સગા સંબંધી ઓ ની સાથે, અનાથો અને ગરીબો ની સાથે સદવર્તન કરશો, અને લોકો ને સારી વાત કહેશો, નમાઝ કાયમ કરશો, અને ઝકાત આપશો, પરંતુ થોડાક લોકો સિવાય તમે સૌ આ વચનમાં થી ફરી ગયા અને તમારા મોઢાં ને ફેરવી લીધાં.
(૮૪) અને જયારે તમારી પાસેથી વચન લીધું કે અંદરો અંદર લોહી ન વહેવડાવશો (કતલ ન કરશો) અને એક બીજાને દેશનિકાલ ન કરશો, તમે એકરાર કર્યો અને તમે એના સાક્ષી બન્યા.
(૮૫) પરંતુ પછી પણ તમે અંદરો અંદર કતલ કર્યાં અને અંદરના એક જૂથને દેશનિકાલ પણ કરી દીધું અને પાપ અને અત્યાચાર ના કામોમાં તેમના વિરૂદ્ધ બીજાને સાથ આપ્યો. હાં, જ્યારે તેઓ કેદી બનીને તમારી પાસે આવ્યા તો તમે તેઓ માટે મુક્તિદંડ (જેને ફિદિયા તરીકે ઓળખાય છે) આપ્યો, પરંતુ તેઓનો દેશનિકાલ, જે તમારા ઉપર હરામ હતું (તેનો વિચાર પણ ન કર્યો),શું તમે થોડાક આદેશોનું પાલન કરો છો અને થોડાક આદેશોને નથી માનતા ? તમારા માંથી જે પણ આવું કરે તેની સજા તે સિવાય શું હોઈ શકે કે દુનિયામાં અપમાન અને કયામતના દિવસે સખત યાતનાની માર ! અને અલ્લાહ તઆલા તમારા કાર્યોથી અજાણ નથી.