Surah Al-Hijr

સૂરહ અલ-હિજ્ર

રૂકૂઅ : ૪

આયત ૪૭ થી ૬૦

اِنَّ الْمُتَّقِیْنَ فِیْ جَنّٰتٍ وَّ عُیُوْنٍؕ (45)

(૪૫) બેશક પરહેઝગાર લોકો બાગો અને ઝરણાઓમાં હશે.


اُدْخُلُوْهَا بِسَلٰمٍ اٰمِنِیْنَ (46)

(૪૬) (તેમને કહેવામાં આવશે) સલામતી અને શાંતિ સાથે તેમાં દાખલ થઈ જાઓ.


وَ نَزَعْنَا مَا فِیْ صُدُوْرِهِمْ مِّنْ غِلٍّ اِخْوَانًا عَلٰى سُرُرٍ مُّتَقٰبِلِیْنَ (47)

(૪૭) અને તેમના દિલોમાં જે કંઈ પણ દોષ અને કપટ હશે અમે બધું જ કાઢી નાખીશું, તેઓ ભાઈ-ભાઈ બનીને એકબીજાના સામે આસનો પર બેઠેલા હશે.


لَا یَمَسُّهُمْ فِیْهَا نَصَبٌ وَّ مَا هُمْ مِّنْهَا بِمُخْرَجِیْنَ (48)

(૪૮) ન તો ત્યાં તેમને કોઈ દુઃખ પહોંચી શકશે અને ન તો ત્યાંથી તેમને કાઢવામાં આવશે.


نَبِّئْ عِبَادِیْۤ اَنِّیْۤ اَنَا الْغَفُوْرُ الرَّحِیْمُۙ (49)

(૪૯) મારા બંદાઓને જાણ કરી દો કે, “હું ઘણો માફ કરનાર અને દયાળુ છું.


وَ اَنَّ عَذَابِیْ هُوَ الْعَذَابُ الْاَلِیْمُ (50)

(૫૦) અને સાથે જ મારો અઝાબ પણ ઘણો પીડાકારી છે."


وَ نَبِّئْهُمْ عَنْ ضَیْفِ اِبْرٰهِیْمَۘ (51)

(૫૧) અને એમને ઈબ્રાહીમના મહેમાનોની (પણ) ખબર સંભળાવી દો.


اِذْ دَخَلُوْا عَلَیْهِ فَقَالُوْا سَلٰمًا ؕ قَالَ اِنَّا مِنْكُمْ وَ جِلُوْنَ (52)

(૫૨) કે જ્યારે તેઓએ તેમના પાસે આવીને સલામ કરી તો તેમણે કહ્યું કે, “અમને તો તમારાથી ડર લાગે છે.”


قَالُوْا لَا تَوْجَلْ اِنَّا نُبَشِّرُكَ بِغُلٰمٍ عَلِیْمٍ (53)

(૫૩) (ફરિશ્તાઓએ) કહ્યું, “ડરો નહિ, અમે તમને એક ઈલ્મવાળા પુત્રની ખુશખબર આપીએ છીએ.”


قَالَ اَبَشَّرْتُمُوْنِیْ عَلٰۤى اَنْ مَّسَّنِیَ الْكِبَرُ فَبِمَ تُبَشِّرُوْنَ (54)

(૫૪) કહ્યું, “શું આ વૃધ્ધાવસ્થા પછી પણ તમે મને ખુશખબર આપો છો ! આ ખુશખબર તમે કેવી રીતે આપી રહ્યા છો?”


قَالُوْا بَشَّرْنٰكَ بِالْحَقِّ فَلَا تَكُنْ مِّنَ الْقٰنِطِیْنَ (55)

(૫૫) તેમણે કહ્યું, “અમે તમને બિલકુલ સાચી ખુશખબર સંભળાવીએ છીએ, તમે નિરાશ થનારા લોકોમાં સામેલ ન થાઓ.”


قَالَ وَ مَنْ یَّقْنَطُ مِنْ رَّحْمَةِ رَبِّهٖۤ اِلَّا الضَّآلُّوْنَ (56)

(૫૬) કહ્યું, “પોતાના રબની કૃપાથી નિરાશ તો કફત ભટકી ગયેલા લોકો જ થાય છે.”


قَالَ فَمَا خَطْبُكُمْ اَیُّهَا الْمُرْسَلُوْنَ (57)

(૫૭) પૂછ્યું કે, “હે અલ્લાહના મોકલેલાઓ (ફરિશ્તાઓ) ! તમારું એવું શું ખાસ કામ છે ?”


قَالُوْۤا اِنَّاۤ اُرْسِلْنَاۤ اِلٰى قَوْمٍ مُّجْرِمِیْنَۙ (58)

(૫૮) તેમણે જવાબ આપ્યો કે, “અમે ગુનેહગાર લોકો તરફ મોકલવામાં આવ્યા છીએ.


اِلَّاۤ اٰلَ لُوْطٍ١ؕ اِنَّا لَمُنَجُّوْهُمْ اَجْمَعِیْنَۙ (59)

(૫૯) પરંતુ લૂતના પરિવારને અમે જરૂર બચાવી લઈશું.


اِلَّا امْرَاَتَهٗ قَدَّرْنَاۤ ۙ اِنَّهَا لَمِنَ الْغٰبِرِیْنَ ۧ (60)

(૬૦) સિવાય લૂતની પત્નીના કે અમે તેને રોકાઈ જનારા અને પાછળ રહી જનારા લોકોમાં નક્કી કરી લીધી છે.” (ع-)