Surah An-Nisa

સૂરહ અન્ નિસા

રૂકૂઅ : ૯

આયત ૬૦ થી ૭૦


اَلَمْ تَرَ اِلَى الَّذِیْنَ یَزْعُمُوْنَ اَنَّهُمْ اٰمَنُوْا بِمَاۤ اُنْزِلَ اِلَیْكَ وَ مَاۤ اُنْزِلَ مِنْ قَبْلِكَ یُرِیْدُوْنَ اَنْ یَّتَحَاكَمُوْۤا اِلَى الطَّاغُوْتِ وَ قَدْ اُمِرُوْۤا اَنْ یَّكْفُرُوْا بِهٖ ؕ وَ یُرِیْدُ الشَّیْطٰنُ اَنْ یُّضِلَّهُمْ ضَلٰلًۢا بَعِیْدًا (60)

(૬૦) શું તમે તેમને નથી જોયા જેમનો દાવો છે કે જે કંઈ તમારા પર અને જે કંઈ તમારા પહેલા ઉતારવામાં આવ્યું છે, તેના પર તેમનું ઈમાન છે, પરંતુ તે પોતાના ફેંસલા અલ્લાહના સિવાય બીજાઓની પાસે લઈ જવા ઈચ્છે છે, ભલેને તેમને હુકમ આપવામાં આવ્યો હોય કે તેઓ તેનો (શયતાનનો) ઈન્કાર કરે, શયતાન તો એવું ઈચ્છે છે કે તેમને ભટકાવીને દૂર નાખી દે.


وَ اِذَا قِیْلَ لَهُمْ تَعَالَوْا اِلٰى مَاۤ اَنْزَلَ اللّٰهُ وَ اِلَى الرَّسُوْلِ رَاَیْتَ الْمُنٰفِقِیْنَ یَصُدُّوْنَ عَنْكَ صُدُوْدً ۚ (61)

(૬૧) અને તેમનાથી જ્યારે પણ કહેવામાં આવે છે કે અલ્લાહ (તઆલા) એ જે (પવિત્ર કિતાબ) ઉતાર્યું છે તેના તરફ અને રસૂલ તરફ આવો, તો તમે જોશો કે આ મુનાફિકો (દંભીઓ) તમારાથી મોઢું ફેરવી રોકાઈ જાય છે.


فَكَیْفَ اِذَاۤ اَصَابَتْهُمْ مُّصِیْبَةٌۢ بِمَا قَدَّمَتْ اَیْدِیْهِمْ ثُمَّ جَآءُوْكَ یَحْلِفُوْنَ ۖۗ بِاللّٰهِ اِنْ اَرَدْنَاۤ اِلَّاۤ اِحْسَانًا وَّ تَوْفِیْقًا (62)

(૬૨) પછી શું કારણ છે કે જયારે તેમના પર તેમના કાર્યોને કારણે કોઈ મુસીબત આવી પડે છે, તો પછી તેઓ તમારા પાસે આવીને અલ્લાહ (તઆલા)ની કસમ લે છે કે અમારો ઈરાદો તો ફકત ભલાઈ અને સારા સંબંધનો જ હતો.


اُولٰٓئِكَ الَّذِیْنَ یَعْلَمُ اللّٰهُ مَا فِیْ قُلُوْبِهِمْ ۗ فَاَعْرِضْ عَنْهُمْ وَ عِظْهُمْ وَ قُلْ لَّهُمْ فِیْۤ اَنْفُسِهِمْ قَوْلًۢا بَلِیْغًا (63)

(૬૩) આ તે લોકો છે જેમના દિલોનો ભેદ અલ્લાહ (તઆલા)ને સારી રીતે ખબર છે, તમે તેમનાથી વાત સાંભળી ટાળ્યા કરો, અને તેઓને તાલીમ આપતા રહો અને તેઓને તે વાત કહો જે તેમના દિલોમાં ઉતરવાવાળી હોય.


وَ مَاۤ اَرْسَلْنَا مِنْ رَّسُوْلٍ اِلَّا لِیُطَاعَ بِاِذْنِ اللّٰهِ ؕ وَ لَوْ اَنَّهُمْ اِذْ ظَّلَمُوْۤا اَنْفُسَهُمْ جَآءُوْكَ فَاسْتَغْفَرُوا اللّٰهَ وَ اسْتَغْفَرَ لَهُمُ الرَّسُوْلُ لَوَجَدُوا اللّٰهَ تَوَّابًا رَّحِیْمًا (64)

(૬૪) અને અમે દરેક રસૂલને ફકત એટલા માટે મોકલ્યા કે અલ્લાહ (તઆલા)ના હુકમથી તેમનું આજ્ઞાપાલન કરવામાં આવે અને જો આ લોકો જેમણે પોતાની જાનો ૫૨ જુલમ કર્મો તમારી પાસે આવી જતાં, અને અલ્લાહ (તઆલા)થી તૌબા કરતા અને રસૂલ પણ તેમના માટે માફી માગી લેતા, તો બેશક આ લોકો અલ્લાહ (તઆલા)ને માફ કરનાર અને રહમ કરનાર પામતા.


فَلَا وَ رَبِّكَ لَا یُؤْمِنُوْنَ حَتّٰى یُحَكِّمُوْكَ فِیْمَا شَجَرَ بَیْنَهُمْ ثُمَّ لَا یَجِدُوْا فِیْۤ اَنْفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَیْتَ وَ یُسَلِّمُوْا تَسْلِیْمًا (65)

(૬૫) તો કસમ છે તમારા રબની! આ લોકો (ત્યાં સુધી) ઈમાનવાળા નથી હોઈ શકતા જયાં સુધી બધા પરસ્પરના મતભેદોમાં તમને ફેંસલો કરનાર ન સ્વીકારી લે, પછી જે ફેંસલો તમે કરી દો તેનાથી પોતાના દિલોમાં જરા પણ તંગી અને નાખુશી ન અનુભવે બલ્કે ફરમાબરદારની જેમ કબૂલ કરી લે.


وَ لَوْ اَنَّا كَتَبْنَا عَلَیْهِمْ اَنِ اقْتُلُوْۤا اَنْفُسَكُمْ اَوِ اخْرُجُوْا مِنْ دِیَارِكُمْ مَّا فَعَلُوْهُ اِلَّا قَلِیْلٌ مِّنْهُمْ ؕ وَ لَوْ اَنَّهُمْ فَعَلُوْا مَا یُوْعَظُوْنَ بِهٖ لَكَانَ خَیْرًا لَّهُمْ وَ اَشَدَّ تَثْبِیْتًا ۙ (66)

(૬૬) અને જો અમે તેમના ૫૨ અનિવાર્ય કરી દેતા કે પોતે પોતાને કતલ કરી દો અથવા પોતાના ઘરોમાંથી નીકળી જાઓ, તો તેનું પાલન તેમનામાંથી ઘણા ઓછા લોકો કરતા, અને જો તેઓ એ જ કરતાં જેની તેઓને તાલીમ આપવામાં આવે છે, તો જરૂર તેમના માટે ઘણું સારૂ હોત, અને ઘણું વધારે મજબૂત હોત.


وَّ اِذًا لَّاٰتَیْنٰهُمْ مِّنْ لَّدُنَّاۤ اَجْرًا عَظِیْمًا ۙ (67)

(૬૭) અને ત્યારે તો અમે તેમને પોતાના પાસેથી ઘણો મોટો બદલો આપતા.


وَّ لَهَدَیْنٰهُمْ صِرَاطًا مُّسْتَقِیْمًا (68)

(૬૮) અને બેશક તેમને સાચો સીધો રસ્તો દેખાડી દેતા.


وَ مَنْ یُّطِعِ اللّٰهَ وَ الرَّسُوْلَ فَاُولٰٓئِكَ مَعَ الَّذِیْنَ اَنْعَمَ اللّٰهُ عَلَیْهِمْ مِّنَ النَّبِیّٖنَ وَ الصِّدِّیْقِیْنَ وَ الشُّهَدَآءِ وَ الصّٰلِحِیْنَ ۚ وَ حَسُنَ اُولٰٓئِكَ رَفِیْقًا ؕ (69)

(૬૯) અને જેઓ પણ અલ્લાહ (તઆલા) અને રસૂલ (સ.અ.વ.)ના હુક્મનું અનુસરણ કરે, તેઓ તે લોકોની સાથે હશે, જેમના પર અલ્લાહ (તઆલા) એ પોતાની કૃપા કરી છે, જેવા કે નબીઓ, સિદ્દીકો, શહીદો અને નેક લોકોની (સાથે), આ ઉત્તમ સાથીઓ છે.


ذٰلِكَ الْفَضْلُ مِنَ اللّٰهِ ؕ وَ كَفٰى بِاللّٰهِ عَلِیْمًا۠ ۧ (70)

(૭૦) આ અલ્લાહ તરફથી મહેરબાની છે અને અલ્લાહ (તઆલા) જ પૂરતો જાણકાર છે. (ع-૯)