Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૧૧

આયત ૧૦૨ થી ૧૦૯


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ (102)

(૧૦૨) અય ઈમાનવાળાઓ ! અલ્લાહથી એટલું ડરો જેટલું તેનાથી ડરવું જોઈએ અને (જૂઓ) મૃત્યુ સુધી મુસલમાન જ રહેજો.


وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَأَنقَذَكُم مِّنْهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَهْتَدُونَ (103)

(૧૦૩) અને અલ્લાહ (તઆલા)ની રસ્સીને બધા ભેગા મળીને મજબૂતીથી પકડી લો, અને જૂથબંધી ન કરો, અને અલ્લાહ (તઆલા)ના તે વખતના ઉપકારને યાદ કરો જયારે તમે લોકો પરસ્પર એકબીજાના દુશ્મન હતા, તેણે તમારા દિલોમાં મોહબ્બત નાખી દીધી અને તમે તેની કૃપાથી ભાઈ-ભાઈ બની ગયા અને તમે આગના એક ખાડાના કિનારા સુધી પહોંચી ગયા હતા તો તેણે તમને બચાવી લીધા. અલ્લાહ (તઆલા) આ રીતે પોતાની નિશાનીઓનું વર્ણન કરે છે જેથી તમે હિદાયત પામી શકો.


وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ (104)

(૧૦૪) અને તમારામાં એક જૂથ એવું હોવું જોઈએ, જે ભલાઈની તરફ બોલાવે અને નેક કામોનો હુકમ આપે અને બૂરા કામોથી રોકે અને આ જ લોકો સફળ થનાર છે.


وَلَا تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا وَاخْتَلَفُوا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ (105)

(૧૦૫) અને તમે તે લોકોના જેવા ન થઈ જતા જેઓ પોતાના પાસે સ્પષ્ટ દલીલ આવી જવા છતાં પણ મતભેદમાં પડી ગયા, તેમના માટે સખત અઝાબ છે.


يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ ۚ فَأَمَّا الَّذِينَ اسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ (106)

(૧૦૬) જે દિવસે કેટલાક ચહેરા સફેદ હશે અને કેટલાક કાળાં, કાળાં ચહેરાવાળાઓને (કહેવામાં આવશે) કે તમે ઈમાન લાવ્યા પછી ફુફ્ર કેમ કર્યું? પોતાના ઈન્કારની સજા માણો.


وَأَمَّا الَّذِينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفِي رَحْمَةِ اللَّهِ هُمْ فِيهَا خَالِدُونَ (107)

(૧૦૭) અને સફેદ ચહેરાવાળા અલ્લાહ (તઆલા)ની રહમતમાં હશે અને તેમાં હંમેશા રહેશે.


تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۗ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِّلْعَالَمِينَ (108)

(૧૦૮) (અય નબી!) અમે આ સાચી આયતોને તમારા પર પઢી રહ્યા છીએ અને અલ્લાહ (તઆલા)નો ઈરાદો લોકો ૫૨ જુલમ કરવાનો નથી.


وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ (109)

(૧૦૯) અને જે કંઈ આકાશોમાં અને ધરતીમાં છે તે અલ્લાહ (તઆલા)ના માટે છે અને અલ્લાહ (તઆલા)ના તરફ બધા કામોનું પાછા ફરવું છે.