Surah Ali 'Imran

સૂરહ આલે ઈમરાન

રૂકૂઅ : ૧૬

આયત ૧૪૯ થી ૧૫૫


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا الَّذِينَ كَفَرُوا يَرُدُّوكُمْ عَلَىٰ أَعْقَابِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ (149)

(૧૪૯) અય ઈમાનવાળાઓ! જો તમે કાફિરોની વાતો માનશો તો તેઓ તમને ઉલટા પગે ફેરવી દેશે (એટલે કે તમને મુર્તદ બનાવી દેશે) પછી તમે નુકશાન ઉઠાવનારા થઈ જશે.


بَلِ اللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ خَيْرُ النَّاصِرِينَ (150)

(૧૫૦) પરંતુ અલ્લાહ (તઆલા) તમારો માલિક છે અને તે જ સૌથી સારો મદદગાર છે.


سَنُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ بِمَا أَشْرَكُوا بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا ۖ وَمَأْوَاهُمُ النَّارُ ۚ وَبِئْسَ مَثْوَى الظَّالِمِينَ (151)

(૧૫૧) અમે જલ્દીથી કાફિરોના દિલોમાં ડર નાખી દઈશું, એ કારણથી કે તેઓ અલ્લાહના સાથે તે વસ્તુઓને પણ શરીક કરે છે, જેની અલ્લાહે કોઈ દલીલ નથી ઉતારી, તેમનુ ઠેકાણું જહન્નમ છે અને જાલીમો માટે તે ખરાબ જગ્યા છે.


وَلَقَدْ صَدَقَكُمُ اللَّهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِ ۖ حَتَّىٰ إِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَعَصَيْتُم مِّن بَعْدِ مَا أَرَاكُم مَّا تُحِبُّونَ ۚ مِنكُم مَّن يُرِيدُ الدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ الْآخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ ۖ وَلَقَدْ عَفَا عَنكُمْ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَلَى الْمُؤْمِنِينَ (152)

(૧૫૨) અને અલ્લાહ (તઆલા)એ પોતાનું વચન સાચુ કરી બતાવ્યુ. જયારે કે તમે તેના હુક્મથી તેઓને કતલ કરી રહ્યા હતા, ત્યાં સુધી કે તમે પોતાની હિમ્મત ખોઈ રહ્યા હતા અને કામમાં ઝઘડવા લાગ્યા, અને નાફરમાની કરી તેના પછી કે તેણે તમારી મનપસંદ વસ્તુઓ તમને બતાવી દીધી, તમારામાંથી કેટલાક દુનિયા ચાહતા હતા અને કેટલાકનો આખિરતનો વિચાર હતો તો પછી તેણે તમને તેનાથી ફેરવી દીધા જેથી તમારી કસોટી કરે અને બેશક તેણે તમારી ભૂલને માફ કરી દીધી અને ઈમાનવાળાઓ ૫૨ અલ્લાહ (તઆલા) ઘણો મહેરબાન છે.


إِذْ تُصْعِدُونَ وَلَا تَلْوُونَ عَلَىٰ أَحَدٍ وَالرَّسُولُ يَدْعُوكُمْ فِي أُخْرَاكُمْ فَأَثَابَكُمْ غَمًّا بِغَمٍّ لِّكَيْلَا تَحْزَنُوا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا مَا أَصَابَكُمْ ۗ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ (153)

(૧૫૩) જ્યારે કે તમે ભાગતા જઈ રહ્યા હતા, કોઈની તરફ ધ્યાન સુદ્ધાં કરતા ન હતા અને અલ્લાહના રસૂલ તમને પાછળથી પોકારી રહ્યા હતા, બસ તમને દુઃખ પર દુઃખ પહોંચ્યું જેથી તમે પોતાના ખોવાયેલ (વિજય) ૫૨ ગમ ન કરો અને ન તેના ૫૨ (ગમ) જે તમને પહોંચ્યું અને અલ્લાહ (તઆલા) તમારા બધા કાર્યોને જાણે છે.


ثُمَّ أَنزَلَ عَلَيْكُم مِّن بَعْدِ الْغَمِّ أَمَنَةً نُّعَاسًا يَغْشَىٰ طَائِفَةً مِّنكُمْ ۖ وَطَائِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِاللَّهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ الْأَمْرِ مِن شَيْءٍ ۗ قُلْ إِنَّ الْأَمْرَ كُلَّهُ لِلَّهِ ۗ يُخْفُونَ فِي أَنفُسِهِم مَّا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الْأَمْرِ شَيْءٌ مَّا قُتِلْنَا هَاهُنَا ۗ قُل لَّوْ كُنتُمْ فِي بُيُوتِكُمْ لَبَرَزَ الَّذِينَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِيَ اللَّهُ مَا فِي صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ (154)

(૧૫૪) આ દુઃખ પછી તમારા પર શાંતિ ઉતારી અને તમારામાંથી એક જૂથને શાંતિની ઉંધ આવવા લાગી, અને હા, કેટલાક એવા લોકો પણ હતા જેમને પોતાના જીવની પડી હતી. તેઓ અલ્લાહ (તઆલા)ના માટે નાહક મૂર્ખતા જેવા ખોટા વિચારો કરવા લાગ્યા અને કહેતા હતા કે અમને પણ કેટલોક હક છે, તમે કહી દો તમામ કામો તો અલ્લાહના અધિકારમાં છે, આ લોકો પોતાના દિલોના રહસ્યો તમને નથી બતાવતા, કહે છે કે જો અમને થોડો અધિકાર હોત તો અહિયા કતલ કરવામાં ન આવતા. તમે કહી દો કે જો તમે પોતાના ઘરોમાં હોત તો પણ જેના નસીબમાં કતલ થવાનું હતું તે કતલની જગ્યા તરફ ચાલીને આવતા. અલ્લાહ (તઆલા)ને તમારા દિલોમાં જે છુપાયેલુ હતુ તેની કસોટી કરવી હતી અને જે કંઈ તમારા દિલોમાં છે તેનાથી પવિત્ર કરવું હતું, અને અલ્લાહ (તઆલા) ગૈબને જાણવાવાળો છે (દિલોના રહસ્યોને સારી રીતે જાણે છે .)


إِنَّ الَّذِينَ تَوَلَّوْا مِنكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ إِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّيْطَانُ بِبَعْضِ مَا كَسَبُوا ۖ وَلَقَدْ عَفَا اللَّهُ عَنْهُمْ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ (155)

(૧૫૫) તમારામાંથી જે લોકોએ તે દિવસે પીઠ બતાવી જે દિવસે બંને જૂથોમાં મુકાબલો થયો હતો, આ લોકો પોતાના કેટલાક કર્મોના કારણે શયતાનના બહેકાવામાં આવી ગયા, પરંતુ યકીન કરો કે અલ્લાહ (તઆલા)એ તેમને માફ કરી દીધા, અલ્લાહ (તઆલા) માફ કરનાર અને સહનશીલ છે.