(૧૪૮) મુશરિકો કહેશે કે, “જો અલ્લાહ ચાહત તો અમે અને અમારા બાપદાદાઓ શિર્ક ન કરતા, ન કોઈ વસ્તુ ને હરામ ઠેરવતા”, આ રીતે આનાથી પહેલાના લોકોએ પણ જૂઠાડયા ત્યાં સુધી કે અમારો અઝાબ ચાખી લીધો. કહો કે, “શું તમારા પાસે કોઈ ઈલ્મ (જ્ઞાન) છે તો તેને અમારા માટે નીકાળો (જાહેર કરો), તમે કલ્પનાઓનું અનુસરણ કરો છો અને ફક્ત અટકળો કરો છો.