Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૨૪૩) શું તમે તેમને નથી જોયા જેઓ હજારોની સંખ્યામાં મોતના કારણે પોતાના ઘરોમાંથી નીકળી પડ્યા અલ્લાહે તેમને કહ્યુ કે મરી જાઓ પછી તેમને જીવતા કરી દીધા.[126] બેશક અલ્લાહ લોકો પર મોટો ફઝલવાળો છે પરંતુ ઘણા લોકો આભાર વ્યક્ત કરતા નથી.
(૨૪૪) અને અલ્લાહના માર્ગમાં લડો અને એ જાણી લો કે અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે.
(૨૪૫) કોણ અલ્લાહને સારૂ કરજ આપશે,[127] જેને તે પછી તેને અનેક ઘણું વધારે આપશે અને અલ્લાહ જ ઘટાડો અને વધારો કરે છે અને તેના તરફ જ પાછા ફરવાનું છે.
(૨૪૬) શું તમે ઈસરાઈલના વંશની 'મૂસા'ના પછીની જમાઅતને નથી જોઈ જયારે તેમણે પોતાના નબીથી કહ્યું કે અમારો એક રાજા બનાવી આપો જેથી અમે અલ્લાહના માર્ગમાં લડીએ, તેમણે કહ્યું કે બની શકે કે જિહાદ ફર્ઝ થઈ ગયા પછી તમે જિહાદ ન કરો. તેમણે કહ્યું ભલા અમે અલ્લાહના માર્ગમાં જિહાદ કેમ નહિ કરીએ ? અમને તો પોતાના ઘરોમાંથી ઉજાડી દેવામાં આવ્યા છે, અને સંતાનોથી દૂર કરી દીધા છે. પછી જયારે તેમના પર જિહાદ ફર્ઝ થયુ, તો સિવાય થોડા માણસોના બધાજ ફરી ગયા અને અલ્લાહ જાલિમોને સારી રીતે જાણે છે.
(૨૪૭) અને તેઓને તેમના નબીએ કહ્યું કે અલ્લાહ (તઆલા)એ તાલૂત (એક નામ છે)ને તમારો બાદશાહ બનાવી દીધો છે તો કહેવા લાગ્યા ભલા તેનું અમારા પર રાજય કેવી રીતે હોઈ શકે? તેનાથી ઘણા વધારે રાજયના અમે હકદાર છીએ તેને તો ધનની વિપુલતા પણ નથી આપવામાં આવી. તે નબીએ કહ્યું, સાંભળો! અલ્લાહ તઆલાએ તેને તમારા પર શ્રેષતા આપી છે અને તેને ઈલ્મ તથા શારીરિક શક્તિ પણ વધારે આપી છે.[128] હકીકત વાત એ છે કે અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે પોતાનો મુલ્ક આપે, અલ્લાહ (તઆલા) કુશાદગીવાળો અને ઈલ્મવાળો છે.
(૨૪૮) અને તેઓના નબીએ ફરી તેમને કહ્યું, તેના મુલ્કની સ્પષ્ટ નિશાની એ છે કે તમારા પાસે તે સંદૂક આવી જશે[129] જેમાં તમારા રબ તરફથી દિલના સુકૂનનો સામાન છે અને મૂસાની સંતાન અને હારૂનની સંતાને બાકી છોડેલો સામાન છે, ફરિશ્તાઓ તેને ઉઠાવીને લાવશે, બેશક આ તો તમારા માટે સ્પષ્ટ નિશાની છે જો તમે ઈમાનવાળા છો.