(૧૧૦) જ્યારે અલ્લાહ કહેશે કે, “હે મરયમના પુત્ર ઈસા! તમારા અને તમારી માતા ઉપર મારી ને’મતને યાદ કરો જયારે મેં પવિત્ર આત્મા (જીબ્રઈલ)ના જરીએ તમારી મદદ કરી, તમે પારણમાં અને આધેડ ઉંમરમાં લોકોથી વાત કરતા રહ્યા. અને જયારે અમે કિતાબ અને હિકમત અને તૌરાત અને ઈન્જીલનું ઈલ્મ આપ્યુ અને જ્યારે તમે મારા હુકમથી પક્ષીની પ્રતિમા માટીથી બનાવતા હતા અને તેમાં ફૂંકતા હતા તો મારા હુકમથી પક્ષી બની જતુ હતું અને તમે મારા હુકમથી જન્મજાત આંધળા અને કોઢીને તંદુરસ્ત કરી રહ્યા હતા અને મારા હુકમથી મડદાંઓને નીકાળતા હતા અને જયારે મેં ઈસરાઈલના પુત્રોને તમારાથી રોકયા જ્યારે તમે તેમની પાસે સ્પષ્ટ નિશાની લાવ્યા તો તેમનામાંથી કાફિરોએ કહ્યું કે આ ફક્ત ખુલ્લો જાદુ છે.