(૧૧૬) અને (તે સમય પણ યાદ કરો) જયારે કે અલ્લાહ (તઆલા) કહેશે કે હે ઈસા ઈબ્ને મરયમ, શું તમે તે લોકોને કહ્યું હતું કે મને અને મારી માતાને અલ્લાહના સિવાય મા’બૂદ બનાવી લેશો ? (ઈસા) કહેશે કે, “હું તો તને પવિત્ર સમજુ છું, મને કેવી રીતે શોભા આપતીકે હું આવી વાત કહેતો જેને કહેવાનો મને હક નથી, જો મેં કહ્યું હશે તો તને તેનું ઈલ્મ હશે, તું તો મારા દિલની વાત જાણે છે, હું તારા મનમાં જે કંઈ છે તેને નથી જાણતો, ફક્ત તું જ ગૈબનો જાણકાર છે.