(૧૨૩) અય ઈમાનવાળાઓ! તે કાફિરોથી લડો જેઓ તમારા આસપાસ છે, અને તેઓ તમારા અંદર સખ્તાઈ જુએ અને યકીન કરો કે અલ્લાહ (તઆલા) તેમના સાથે છે જેઓ તેનાથી ડરે છે.
(૧૨૪)અને જ્યારે કોઈ સૂરહ ઉતારવામાં આવે છે તો કેટલાક (મુનાફિકો) કહે છે કે, “આ સૂરહે તમારામાંથી કોના ઈમાનમાં વધારો કર્યો ?”[1] તો જે લોકો ઈમાનવાળા છે આ સૂરહે તેમના ઈમાનમાં વધારો કર્યો છે, અને તેઓ ખુશ થઈ રહ્યા છે.
(૧૨૫) અને જેમના દિલોમાં રોગ છે, આ સૂરહે તેમનામાં તેમની ગંદકી સાથે બીજી ગંદકી વધારી દીધી છે અને તેઓ કુફ્રની હાલતમાં જ મૃત્યુ પામ્યા.[1]
(૧૨૬) અને શું તેમને નથી દેખાતું કે આ લોકો દર વર્ષે એક-બે વખતે કોઈને કોઈ મુસીબતમાં નાખવામાં આવે છે? પછી પણ ન તૌબા કરે છે ન નસીહત પ્રાપ્ત કરે છે.
(૧૨૭) અને જ્યારે કોઈ સૂરહ ઉતારવામાં આવે છે તો એકબીજાને જોવા લાગે છે કે તેમને કોઈ જોઈ રહ્યું તો નથી ને, પછી ચાલી નીકળે છે, અલ્લાહ (તઆલા)એ તેમના દિલ ફેરવી દીધા છે, કેમકે તેઓ નાસમજ લોકો છે.
(૧૨૮) તમારા પાસે એક એવા પયગંબરની પધરામણી થઈ છે જે તમારામાંથી જ છે,[1] જેમને તમારા નુકસાનની વાતો અસહ્ય લાગે છે, જે તમારા ફાયદાના ઘણા આતુર છે, ઈમાનવાળાઓ માટે ઘણા માયાળુ અને દયાળુ છે.
(૧૧૭) પછી જો તેઓ મોઢુ ફેરવે તો તમે કહી દો કે, “મારા માટે અલ્લાહ પૂરતો છે, તેના સિવાય કોઈ સાચો મા'બૂદ નથી, મેં તેના ઉપર જ ભરોસો કર્યો અને તે ઘણા મોટા અર્શે-અઝીમ (મહાન સિંહાસન) નો માલિક છે.[1] (ع-૧૬)