Surah Al-Ahzab
સૂરહ અલ-અહ્ઝાબ
રૂકૂઅ : ૧
આયત ૧ થી ૮
بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે
یٰۤاَیُّهَا النَّبِیُّ اتَّقِ اللّٰهَ وَ لَا تُطِعِ الْكٰفِرِیْنَ وَ الْمُنٰفِقِیْنَ ؕ اِنَّ اللّٰهَ كَانَ عَلِیْمًا حَكِیْمًاۙ (1)
(૧) હે નબી! અલ્લાહ (તઆલા) થી ડરતા રહો અને કાફિરો અને મુનાફિકોની વાતોમાં ન આવી જતા, અલ્લાહ (તઆલા) ઘણો જાણવાવાળો અને હિકમતવાળો છે.
وَّ اتَّبِعْ مَا یُوْحٰۤى اِلَیْكَ مِنْ رَّبِّكَ ؕ اِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعْمَلُوْنَ خَبِیْرًاۙ (2)
(૨) અને જે કંઈ તમારા તરફ તમારા રબ તરફથી વહી કરવામાં આવે છે તેનું અનુસરણ કરો, (યકીન કરો) કે અલ્લાહ તમારા દરેક કર્મોથી વાકેફ છે.
وَّ تَوَكَّلْ عَلَى اللّٰهِ ؕ وَ كَفٰى بِاللّٰهِ وَكِیْلًا (3)
(૩) અને તમે અલ્લાહ ઉપર જ ભરોસો રાખો, અલ્લાહ (તઆલા) કામ બનાવવા માટે પૂરતો છે.
مَا جَعَلَ اللّٰهُ لِرَجُلٍ مِّنْ قَلْبَیْنِ فِیْ جَوْفِهٖ ۚ وَ مَا جَعَلَ اَزْوَاجَكُمُ الّٰٓئِیْ تُظٰهِرُوْنَ مِنْهُنَّ اُمَّهٰتِكُمْ ۚ وَ مَا جَعَلَ اَدْعِیَآءَكُمْ اَبْنَآءَكُمْ ؕ ذٰلِكُمْ قَوْلُكُمْ بِاَفْوَاهِكُمْ ؕ وَ اللّٰهُ یَقُوْلُ الْحَقَّ وَ هُوَ یَهْدِی السَّبِیْلَ (4)
(૪) કોઈ વ્યક્તિની છાતીમાં અલ્લાહે બે દિલ નથી મૂક્યાં અને તમારી જે પત્નીઓને તમે માતા કહી બેસો છો, તેમને અલ્લાહે તમારી માતા નથી બનાવી અને ન તમારા પાલક પુત્રોને તમારા સગા પુત્રો બનાવ્યા છે, આ તો તમારા પોતાના મોઢાંની વાતો છે, અલ્લાહ (તઆલા) સાચી વાત કહે છે, અને તે જ સીધો માર્ગ દેખાડે છે.
اُدْعُوْهُمْ لِاٰبَآئِهِمْ هُوَ اَقْسَطُ عِنْدَ اللّٰهِ ۚ فَاِنْ لَّمْ تَعْلَمُوْۤا اٰبَآءَهُمْ فَاِخْوَانُكُمْ فِی الدِّیْنِ وَ مَوَالِیْكُمْ ؕ وَ لَیْسَ عَلَیْكُمْ جُنَاحٌ فِیْمَاۤ اَخْطَاْتُمْ بِهٖ ۙ وَ لٰكِنْ مَّا تَعَمَّدَتْ قُلُوْبُكُمْ ؕ وَ كَانَ اللّٰهُ غَفُوْرًا رَّحِیْمًا (5)
(૫) પાલક પુત્રોને તેમના વાસ્તવિક પિતાઓના સંબંધથી બોલાવો, અલ્લાહની નજીક આ પૂરા ન્યાયની વાત છે, પછી જો તમને તેમના પિતાની ખબર જ ન હોય તો તેઓ તમારા દીનીભાઈ અને દોસ્ત છે, તમારાથી ભૂલમાં જે કંઈ થઈ જાય તેમાં તમારા ઉપર કોઈ ગુનોહ નથી, પરંતુ ગુનોહ એ છે કે જેનો તમે ઈરાદો કરો અને ઈરાદો દિલથી કરો, અલ્લાહ (તઆલા) માફ કરનાર અને દયાળુ છે.
اَلنَّبِیُّ اَوْلٰى بِالْمُؤْمِنِیْنَ مِنْ اَنْفُسِهِمْ وَ اَزْوَاجُهٗۤ اُمَّهٰتُهُمْ ؕ وَ اُولُوا الْاَرْحَامِ بَعْضُهُمْ اَوْلٰى بِبَعْضٍ فِیْ كِتٰبِ اللّٰهِ مِنَ الْمُؤْمِنِیْنَ وَ الْمُهٰجِرِیْنَ اِلَّاۤ اَنْ تَفْعَلُوْۤا اِلٰۤى اَوْلِیٰٓئِكُمْ مَّعْرُوْفًا ؕ كَانَ ذٰلِكَ فِی الْكِتٰبِ مَسْطُوْرًا (6)
(૬) પયગંબર ઈમાનવાળાઓ ઉપર તેમના પોતાનાથી પણ વધારે હક રાખે છે, અને પયગંબરની પત્નીઓ ઈમાનવાળાઓની માતાઓ છે. અને રિશ્તેદારો અલ્લાહની કિતાબના આધારે બીજા ઈમાનવાળાઓની અને મુહાજિરોની સરખામણીમાં વધારે હકદાર છે. (હાં) તમને તમારા દોસ્તો સાથે ભલાઈ કરવાની છૂટ છે આ હુકમ સુરક્ષિત પુસ્તક (લૌહે મહફ્ઝ)માં લખેલો છે.
وَ اِذْ اَخَذْنَا مِنَ النَّبِیّٖنَ مِیْثَاقَهُمْ وَ مِنْكَ وَ مِنْ نُّوْحٍ وَّ اِبْرٰهِیْمَ وَ مُوْسٰى وَ عِیْسَى ابْنِ مَرْیَمَ {ص} وَ اَخَذْنَا مِنْهُمْ مِّیْثَاقًا غَلِیْظًاۙ (7)
(૭) અને જયારે કે અમે તમામ નબીઓ પાસેથી વચન લીધું (ખાસ કરીને) તમારાથી અને નૂહથી અને ઈબ્રાહીમથી અને મૂસાથી અને મરિયમના પુત્ર ઈસાથી અને અમે તેમનાથી વચન પણ પાકું અને મજબૂત લીધું.
لِّیَسْئَلَ الصّٰدِقِیْنَ عَنْ صِدْقِهِمْ ۚ وَ اَعَدَّ لِلْكٰفِرِیْنَ عَذَابًا اَلِیْمًا ۧ (8)
(૮) જેથી અલ્લાહ (તઆલા) સાચા લોકોને તેમની સચ્ચાઈના વિશે પૂછે અને ઈન્કાર કરનારાઓ માટે અમે દુઃખદાયી સજાઓ તૈયાર કરી રાખી છે. (ع-૧)