Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂ : ૯

આયત ૭૨ થી ૮૨


وَإِذْ قَتَلْتُمْ نَفْسًا فَادَّارَأْتُمْ فِيهَا ۖ وَاللَّهُ مُخْرِجٌ مَّا كُنتُمْ تَكْتُمُونَ (72)

(૭૨) અને જ્યારે તમે એક માણસને મારી નાખ્યો હતો, પછી એકબીજા ની ઉપર ખૂન (કતલ) નો આરોપ મૂકવા લાગ્યા હતા, અને અલ્લાહએ નિર્ણય કરી લીધો હતો કે જે કઈ તમે છુપાઓ છો તેને જાહેર કરી દેશે.


فَقُلْنَا اضْرِبُوهُ بِبَعْضِهَا ۚ كَذَٰلِكَ يُحْيِي اللَّهُ الْمَوْتَىٰ وَيُرِيكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ (73)

(૭૩) તે વખતે અમે આદેશ આપ્યો કે કતલ થનાર ની લાશને તેના (ઝબહ કરેલી ગાય ના) એક ભાગ વડે ફટકો મારી જુઓ આવી રીતે અલ્લાહ તઆલા મુર્દાઓ (મૃત વ્યક્તિઓ) ને જીવન આપે છે અને તમને પોતાની નિશાનીઓ દેખાડે છે, જેથી તમે સમજી શકો.


ثُمَّ قَسَتْ قُلُوبُكُم مِّن بَعْدِ ذَٰلِكَ فَهِيَ كَالْحِجَارَةِ أَوْ أَشَدُّ قَسْوَةً ۚ وَإِنَّ مِنَ الْحِجَارَةِ لَمَا يَتَفَجَّرُ مِنْهُ الْأَنْهَارُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَشَّقَّقُ فَيَخْرُجُ مِنْهُ الْمَاءُ ۚ وَإِنَّ مِنْهَا لَمَا يَهْبِطُ مِنْ خَشْيَةِ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ (74)

(૭૪) પરંતુ આવી નિશાનીઓ જોયા પછી પણ તમારા હૃદય (દિલ) પથ્થરોની જેમ કઠ્ઠણ થઈ ગયા, પરંતુ તેનાથી પણ થોડા વધારે કઠ્ઠણ કારણ કે પથ્થરો માં કોઈ એવો હોઈ છે જેમાં થી ઝરણાં ફૂટી વહે છે, કોઈ ફાટે છે અને તેમાંથી પાણી નીકળી આવે છે અને કોઈ અલ્લાહ ના ડર થી ધ્રૂજી ને પડી પણ જાય છે અલ્લાહ તમારા કરતૂતો થી અજાણ નથી.


أَفَتَطْمَعُونَ أَن يُؤْمِنُوا لَكُمْ وَقَدْ كَانَ فَرِيقٌ مِّنْهُمْ يَسْمَعُونَ كَلَامَ اللَّهِ ثُمَّ يُحَرِّفُونَهُ مِن بَعْدِ مَا عَقَلُوهُ وَهُمْ يَعْلَمُونَ (75)

(૭૫) હે મુસલમાનો ! હવે શું તમે આ લોકો (યહૂદી) પાસે એ આશા રાખો છો કે એ તમારા દિન ના આમંત્રણ ઉપર ઈમાન (વિશ્વાસ) લઈ આવશે, જોકે તેમનામાં એક જૂથ એવુ પણ છે કે જે અલ્લાહ ની વાણી (કુરઆન) સાંભળી અને ત્યાર પછી બરાબર સમજી વિચારીને ઇરાદાપૂર્વક (જાણી જોઈને) તેમાં ફેરફાર કરી દે છે.


وَإِذَا لَقُوا الَّذِينَ آمَنُوا قَالُوا آمَنَّا وَإِذَا خَلَا بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ قَالُوا أَتُحَدِّثُونَهُم بِمَا فَتَحَ اللَّهُ عَلَيْكُمْ لِيُحَاجُّوكُم بِهِ عِندَ رَبِّكُمْ ۚ أَفَلَا تَعْقِلُونَ (76)

(૭૬) અને જયારે તેઓ (યહૂદી) ઈમાન લાવનારાઓને મળે છે તો કહે છે અમે પણ તેમને (મુહમ્મદ સ.અ.વ ને) માનીએ છીએ અને જયારે એકાંતમાં એક બીજા સાથે વાતો કરે છે તો કહે છે કે તમે કેમ મુસલમાનો (ઈમાન વાળા) સુધી તે વાતો ને પહોંચાડો છો જે અલ્લાહે તમારી ઉપર જાહેર કરી છે જેથી તમારા રબની સમક્ષ તમારી સામે એને પુરાવા (સબૂત) રૂપે રજૂ કરે.


أَوَلَا يَعْلَمُونَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا يُسِرُّونَ وَمَا يُعْلِنُونَ (77)

(૭૭) અને શું એ જાણતા નથી કે જે કંઈ તે છુપાવે છે અને જે કંઈ જાહેર કરે છે અલ્લાહને સર્વ વાતોની ખબર છે.


وَمِنْهُمْ أُمِّيُّونَ لَا يَعْلَمُونَ الْكِتَابَ إِلَّا أَمَانِيَّ وَإِنْ هُمْ إِلَّا يَظُنُّونَ (78)

(૭૮) એમનામાંથી એક બીજુ જૂથ એવા અભણ લોકો નું છે, જેઓ ગ્રંથ નુ તો જ્ઞાન ધરાવતા નથી બસ પોતાની અજ્ઞાની આશાઓ અને ઇચ્છાઓ ને લઈ બેઠા છે અને ફક્ત ધારણાઓ અને કલ્પનાઓ ઉપર જઈ રહયા છે.


فَوَيْلٌ لِّلَّذِينَ يَكْتُبُونَ الْكِتَابَ بِأَيْدِيهِمْ ثُمَّ يَقُولُونَ هَٰذَا مِنْ عِندِ اللَّهِ لِيَشْتَرُوا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَوَيْلٌ لَّهُم مِّمَّا كَتَبَتْ أَيْدِيهِمْ وَوَيْلٌ لَّهُم مِّمَّا يَكْسِبُونَ (79)

(૭૯) પછી વિનાશ છે એ લોકો માટે જેઓ પોતાના હાથે ધર્મનો કાનુન લખે છે પછી લોકોને કહે છે, કે આ અલ્લાહ તરફથી આવેલુ છે જેથી તેના બદલે થોડો ફાયદો મેળવી લે, એમના હાથો નું લખાણ પણ તેમના માટે વિનાશ ની સામગ્રી છે અને એમની આ કમાણી પણ એમના માટે વિનાશ નુ કારણ છે.


وَقَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَةً ۚ قُلْ أَتَّخَذْتُمْ عِندَ اللَّهِ عَهْدًا فَلَن يُخْلِفَ اللَّهُ عَهْدَهُ ۖ أَمْ تَقُولُونَ عَلَى اللَّهِ مَا لَا تَعْلَمُونَ (80)

(૮૦) તેઓ કહે છે કે દોજખની આગ અમને કદાપી સ્પર્શી નહી શકે સિવાય કે થોડા દિવસો ની સજા મળે... તો મળે, એમને પૂછો શું તમે અલ્લાહ પાસેથી કંઈ વચન લઈ લિધુ છે ? અને જો વચન લીધુ છે તો બેશક અલ્લાહ તઆલા તેના વચન નું ભંગ નહીં કરે, અથવા વાત એમ છે કે તમે અલ્લાહના નામે એવી વાતો કહી દો છો જેમના વિષે તમને જ્ઞાન નથી કે તેણે આ વાતો કહી છે તો શા માટે તેમને દોઝખ ની આગ સ્પર્શ નહીં કરી શકે.


بَلَىٰ مَن كَسَبَ سَيِّئَةً وَأَحَاطَتْ بِهِ خَطِيئَتُهُ فَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ (81)

(૮૧) ખરેખર, જે કોઈ પાપ કમાશે અને પોતાના પાપ કર્મો માં ઘેરાયેલો રેહશે તે દોઝખી છે, અને દોઝખમાં જ તે હંમેશા રહેશે.


وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ (82)

(૮૨) અને જે લોકો ઈમાન લાવ્યા અને સારા કર્મો કર્યા તેઓ જન્નતી છે તેઓ હંમેશા જન્નતમાં રહેશે.