Surah Ya-Sin
સૂરહ યાસીન
રૂકૂઅ : ૫
આયત ૬૮ થી ૮૩
وَ مَنْ نُّعَمِّرْهُ نُنَكِّسْهُ فِی الْخَلْقِ ؕ اَفَلَا یَعْقِلُوْنَ (68)
(૬૮) અને જેને અમે વૃદ્ધ કરી દઈએ તેને જન્મના સમયની હાલત તરફ બીજીવાર પાછો ફેરવી દઈએ છીએ, શું પછી પણ તેઓ સમજતા નથી ?
وَ مَا عَلَّمْنٰهُ الشِّعْرَ وَ مَا یَنْۢبَغِیْ لَهٗ ؕ اِنْ هُوَ اِلَّا ذِكْرٌ وَّ قُرْاٰنٌ مُّبِیْنٌۙ (69)
(૬૯) અને ન તો અમે આ પયગંબરને કવિતા શીખવાડી અને ન તો એને લાયક છે, આ તો ફક્ત શિખામણ અને સ્પષ્ટ કુરઆન છે.
لِّیُنْذِرَ مَنْ كَانَ حَیًّا وَّ یَحِقَّ الْقَوْلُ عَلَى الْكٰفِرِیْنَ (70)
(૭૦) જેથી તે દરેક વ્યક્તિને ખબરદાર કરી દે જે જીવિત હોય અને કાફિરો પર સત્ય સાબિત થઈ જાય.
اَوَ لَمْ یَرَوْا اَنَّا خَلَقْنَا لَهُمْ مِّمَّا عَمِلَتْ اَیْدِیْنَاۤ اَنْعَامًا فَهُمْ لَهَا مٰلِكُوْنَ (71)
(૭૧) શું આ લોકો જોતા નથી કે અમે અમારા હાથોથી બનાવેલ વસ્તુઓમાંથી તેમના માટે ચોપાયા (પશુઓ) પેદા કરી દીધા, જેના આ લોકો માલિક થઈ ગયા છે ?
وَ ذَلَّلْنٰهَا لَهُمْ فَمِنْهَا رَكُوْبُهُمْ وَ مِنْهَا یَاْكُلُوْنَ (72)
(૭૨) અને તે જાનવરોને અમે એમના કાબૂમાં કરી દીધા છે, તેમનામાંથી કોઈના ઉપર આ લોકો સવારી કરે છે અને કોઈનું માંસ ખાય છે.
وَ لَهُمْ فِیْهَا مَنَافِعُ وَ مَشَارِبُ ؕ اَفَلَا یَشْكُرُوْنَ (73)
(૭૩) અને તેમનામાં એમના માટે બીજા પણ ઘણાં ફાયદાઓ છે અને પીવાની વસ્તુઓ પણ. શું પછી (પણ) આ લોકો આભારી થતા નથી ?
وَ اتَّخَذُوْا مِنْ دُوْنِ اللّٰهِ اٰلِهَةً لَّعَلَّهُمْ یُنْصَرُوْنَؕ (74)
(૭૪) અને એમણે અલ્લાહના સિવાય બીજાઓને મા'બૂદ બનાવી લીધા છે એ આશાએ કે એમની મદદ કરવામાં આવે.
لَا یَسْتَطِیْعُوْنَ نَصْرَهُمْ ۙ وَ هُمْ لَهُمْ جُنْدٌ مُّحْضَرُوْنَ (75)
(૭૫) (જો કે) તેઓમાં આમની મદદ કરવાની તાકાત નથી પછી પણ (મૂર્તિપૂજકો) તેમની હાજર સેના છે.
فَلَا یَحْزُنْكَ قَوْلُهُمْ ۘ اِنَّا نَعْلَمُ مَا یُسِرُّوْنَ وَ مَا یُعْلِنُوْنَ (76)
(૭૬) એટલા માટે તમને એમની વાત ગમગીન ન કરે, અમે આમની છૂપી અને જાહેર તમામ વાતોને (સારી રીતે) જાણીએ છીએ.
اَوَ لَمْ یَرَ الْاِنْسَانُ اَنَّا خَلَقْنٰهُ مِنْ نُّطْفَةٍ فَاِذَا هُوَ خَصِیْمٌ مُّبِیْنٌ (77)
(૭૭) શું મનુષ્ય જોતો નથી કે અમે તેને વિર્યમાંથી પેદા કર્યો છે ? પછી પણ તે ખુલ્લો ઝઘડાખોર બની બેઠો.
وَ ضَرَبَ لَنَا مَثَلًا وَّ نَسِیَ خَلْقَهٗ ؕ قَالَ مَنْ یُّحْیِ الْعِظَامَ وَ هِیَ رَمِیْمٌ (78)
(૭૮) અને તેણે અમારા માટે ઉદાહરણ ઘડી લીધા છે અને પોતાની પેદાઈશને ભૂલી ગયો, કહેવા લાગ્યો કે, “આ સડેલા જર્જરિત હાડકાંઓને કોણ જીવતા કરી શકે છે ?”
قُلْ یُحْیِیْهَا الَّذِیْۤ اَنْشَاَهَاۤ اَوَّلَ مَرَّةٍ ؕ وَ هُوَ بِكُلِّ خَلْقٍ عَلِیْمُۙ (79)
(૭૯) કહી દો કે, “એમને તે જીવતા કરશે જેણે એમને પહેલી વખત પેદા કર્યા, જે તમામ સૃષ્ટિની પેદાઈશને સારી રીતે જાણે છે.”
اِ۟لَّذِیْ جَعَلَ لَكُمْ مِّنَ الشَّجَرِ الْاَخْضَرِ نَارًا فَاِذَاۤ اَنْتُمْ مِّنْهُ تُوْقِدُوْنَ (80)
(૮૦) તે જ છે જેણે તમારા માટે લીલાછમ વૃક્ષમાંથી આગ પેદા કરી દીધી જેનાથી તમે આગ સળગાવો છો.
اَوَ لَیْسَ الَّذِیْ خَلَقَ السَّمٰوٰتِ وَ الْاَرْضَ بِقٰدِرٍ عَلٰۤى اَنْ یَّخْلُقَ مِثْلَهُمْ ؐؕ بَلٰى{ق} وَ هُوَ الْخَلّٰقُ الْعَلِیْمُ (81)
(૮૧) જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા, શું તે આમના જેવાને પેદા કરવા માટે શક્તિમાન નથી ? કેમ નહીં અને તે જ તો પેદા કરનાર અને જાણનાર છે.
اِنَّمَاۤ اَمْرُهٗۤ اِذَاۤ اَرَادَ شَیْئًا اَنْ یَّقُوْلَ لَهٗ كُنْ فَیَكُوْنُ (82)
(૮૨) જ્યારે તે કોઈ વસ્તુનો ઈરાદો કરે છે તો તેનું આટલું કહી દેવું પૂરતું છે કે, “થઈ જા” તો તે તરત થઈ જાય છે.
فَسُبْحٰنَ الَّذِیْ بِیَدِهٖ مَلَكُوْتُ كُلِّ شَیْءٍ وَّ اِلَیْهِ تُرْجَعُوْنَ ۧ (83)
(૮૩) પવિત્ર છે તે અલ્લાહ જેના હાથમાં દરેક વસ્તુનું રાજય છે અને તેના જ તરફ તમે બધા પાછા લઈ જવામાં આવશો. (ع-૫)