Surah Al-Munafiqun

સૂરહ અલ-મુનાફિકૂન

રૂકૂ :

આયત થી ૧૧

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تُلْهِكُمْ اَمْوَالُكُمْ وَ لَاۤ اَوْلَادُكُمْ عَنْ ذِكْرِ اللّٰهِ ۚ وَ مَنْ یَّفْعَلْ ذٰلِكَ فَاُولٰٓئِكَ هُمُ الْخٰسِرُوْنَ (9)

() હે ઈમાનવાળાઓ ! તમારો માલ અને તમારી સંતાન તમને અલ્લાહની યાદથી ગાફેલ ન કરી દે, અને જે લોકો આવું કરશે તેઓ ખૂબ જ નુકસાન ઉઠાવવાવાળા છે.


وَ اَنْفِقُوْا مِنْ مَّا رَزَقْنٰكُمْ مِّنْ قَبْلِ اَنْ یَّاْتِیَ اَحَدَكُمُ الْمَوْتُ فَیَقُوْلَ رَبِّ لَوْ لَاۤ اَخَّرْتَنِیْۤ اِلٰۤى اَجَلٍ قَرِیْبٍ ۙ فَاَصَّدَّقَ وَ اَكُنْ مِّنَ الصّٰلِحِیْنَ (10)

(૧૦) અને જે કંઈ અમે તમને આપી રાખ્યું છે, તેમાંથી ખર્ચ કરો એના પહેલા કે તમારામાંથી કોઈને મોત આવી જાય, તો કહેવા લાગે કે, “મારા રબ ! તે મને થોડા સમયની મહેતલ કેમ ન આપી, કે હું દાન કરતો અને સદાચારી (નેક) લોકોમાં સામેલ થઈ જતો ?”


وَ لَنْ یُّؤَخِّرَ اللّٰهُ نَفْسًا اِذَا جَآءَ اَجَلُهَا ؕ وَ اللّٰهُ خَبِیْرٌۢ بِمَا تَعْمَلُوْنَ ۧ (11)

(૧૧) અને જયારે કોઈનો નિર્ધારિત સમય આવી જાય છે પછી તેને અલ્લાહ (તઆલા) કદી મોકો નથી આપતો, અને જે કંઈ તમે કરો છો તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે. (ع-)