Surah Al-Ahzab

સૂરહ અલ-અહ્ઝાબ

રૂકૂ : ૪

આયત ૨૮ થી ૩૪

یٰۤاَیُّهَا النَّبِیُّ قُلْ لِّاَزْوَاجِكَ اِنْ كُنْتُنَّ تُرِدْنَ الْحَیٰوةَ الدُّنْیَا وَ زِیْنَتَهَا فَتَعَالَیْنَ اُمَتِّعْكُنَّ وَ اُسَرِّحْكُنَّ سَرَاحًا جَمِیْلًا (28)

(૨૮) હે નબી! પોતાની પત્નીઓને કહી દો કે જો તમારી ઈચ્છા દુનિયાની જિંદગી અને દુનિયાની શોભાની છે તો આવો હું તમને કંઈક આપી-અપાવી દઉં અને તમને ભલાઈ સાથે છોડી દઉં.


وَ اِنْ كُنْتُنَّ تُرِدْنَ اللّٰهَ وَ رَسُوْلَهٗ وَ الدَّارَ الْاٰخِرَةَ فَاِنَّ اللّٰهَ اَعَدَّ لِلْمُحْسِنٰتِ مِنْكُنَّ اَجْرًا عَظِیْمًا (29)

(૨૯) અને જો તમારી ઈચ્છા અલ્લાહ અને તેના રસૂલ અને આખિરતનું ઘર છે તો (વિશ્વાસ કરો કે) તમારામાંથી નેક કામ કરવાવાળીઓ માટે અલ્લાહ (તઆલા)એ ઘણો સારો બદલો રાખી મૂક્યો છે.


یٰنِسَآءَ النَّبِیِّ مَنْ یَّاْتِ مِنْكُنَّ بِفَاحِشَةٍ مُّبَیِّنَةٍ یُّضٰعَفْ لَهَا الْعَذَابُ ضِعْفَیْنِ ؕ وَ كَانَ ذٰلِكَ عَلَى اللّٰهِ یَسِیْرًا (30)

(૩૦) હે નબીની પત્નીઓ ! તમારામાંથી જે કોઈ ખુલ્લી બેશરમી કરશે તેને બમણો અઝાબ આપવામાં આવશે. અલ્લાહ (તઆલા)ની નજીક આ ઘણી સરળ વાત છે.


وَ مَنْ یَّقْنُتْ مِنْكُنَّ لِلّٰهِ وَ رَسُوْلِهٖ وَ تَعْمَلْ صَالِحًا نُّؤْتِهَاۤ اَجْرَهَا مَرَّتَیْنِ ۙ وَ اَعْتَدْنَا لَهَا رِزْقًا كَرِیْمًا (31)

(૩૧) અને તમારામાંથી જે કોઈ પણ અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરશે અને નેક કામ કરશે, અમે તેને બમણો બદલો આપીશું અને તેના માટે અમે બહેતરીન રોજી તૈયાર કરી રાખી છે.


یٰنِسَآءَ النَّبِیِّ لَسْتُنَّ كَاَحَدٍ مِّنَ النِّسَآءِ اِنِ اتَّقَیْتُنَّ فَلَا تَخْضَعْنَ بِالْقَوْلِ فَیَطْمَعَ الَّذِیْ فِیْ قَلْبِهٖ مَرَضٌ وَّ قُلْنَ قَوْلًا مَّعْرُوْفًاۚ (32)

(૩૨) હે નબીની પત્નીઓ ! તમે સામાન્ય સ્ત્રીઓ જેવી નથી, જો તમે અલ્લાહથી ડરવાવાળી હોવ તો નરમ લહેજામાં વાત ન કરો, કે જેના દિલમાં રોગ હોય તો તે કોઈ બૂરો ઈરાદો કરી લે, પરંતુ કાયદા મુજબ વાત કરો.


وَ قَرْنَ فِیْ بُیُوْتِكُنَّ وَ لَا تَبَرَّجْنَ تَبَرُّجَ الْجَاهِلِیَّةِ الْاُوْلٰى وَ اَقِمْنَ الصَّلٰوةَ وَ اٰتِیْنَ الزَّكٰوةَ وَ اَطِعْنَ اللّٰهَ وَ رَسُوْلَهٗ ؕ اِنَّمَا یُرِیْدُ اللّٰهُ لِیُذْهِبَ عَنْكُمُ الرِّجْسَ اَهْلَ الْبَیْتِ وَ یُطَهِّرَكُمْ تَطْهِیْرًاۚ (33)

(૩૩) અને પોતાના ઘરોમાં ટકીને રહો, અને અગાઉના અજ્ઞાનતાના જમાનાની જેમ પોતાના શણગારને જાહેર ન કરો, અને નમાઝ કાયમ કરતી રહો અને ઝકાત આપતી રહો અને અલ્લાહ અને તેના રસૂલના હુકમોનું પાલન કરો, અલ્લાહ (તઆલા) એ જ ઈચ્છે છે કે નબીની ઘરવાળીઓમાંથી તે દરેક (પ્રકારની) અપવિત્રતા દૂર કરી દે અને તમને પવિત્ર કરી દે.


وَ اذْكُرْنَ مَا یُتْلٰى فِیْ بُیُوْتِكُنَّ مِنْ اٰیٰتِ اللّٰهِ وَ الْحِكْمَةِ ؕ اِنَّ اللّٰهَ كَانَ لَطِیْفًا خَبِیْرًا ۧ (34)

(૩૪) અને તમારા ઘરોમાં અલ્લાહ (તઆલા)ની જે આયતો અને રસૂલની હદીસો પઢવામાં આવે છે તેને યાદ કરતી રહો, બેશક અલ્લાહ (તઆલા) સુક્ષ્મ દષ્ટિવાળો માહિતગાર છે. (ع-)