Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂ : ૧૬

આયત ૧૩૦ થી ૧૪૧


وَمَن يَرْغَبُ عَن مِّلَّةِ إِبْرَاهِيمَ إِلَّا مَن سَفِهَ نَفْسَهُ ۚ وَلَقَدِ اصْطَفَيْنَاهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ (130)

(૧૩૦) અને ઇબ્રાહીમના ધર્મથી તે જ મોઢું ફેરવશે જે પોતે બેવકૂફ હોય, અમે તો તેને દુનિયામાં પણ અપનાવી લીધો અને આખિરતમાં પણ તે નેક લોકોમાંથી છે.


إِذْ قَالَ لَهُ رَبُّهُ أَسْلِمْ ۖ قَالَ أَسْلَمْتُ لِرَبِّ الْعَالَمِينَ (131)

(૧૩૧) જ્યારે (પણ) તેના રબે કહ્યું કે આત્મસમર્પણ કરી દો, તો તેણે કહ્યું કે મેં તમામ સૃષ્ટિના રબ માટે આત્મસમર્પણ કરી દીધું.


وَوَصَّىٰ بِهَا إِبْرَاهِيمُ بَنِيهِ وَيَعْقُوبُ يَا بَنِيَّ إِنَّ اللَّهَ اصْطَفَىٰ لَكُمُ الدِّينَ فَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ (132)

(૧૩૨) આની વસીયત ઈબ્રાહીમ અને યાકૂબે પોતાના દિકરાઓને કરી કે “અય મારા દિકરાઓ ! અલ્લાહ (તઆલા) એ તમારા માટે આ ધર્મને પસંદ કરી દીધો છે. ખબરદાર! તમે મુસલમાન જ મરજો.”


أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ حَضَرَ يَعْقُوبَ الْمَوْتُ إِذْ قَالَ لِبَنِيهِ مَا تَعْبُدُونَ مِن بَعْدِي قَالُوا نَعْبُدُ إِلَٰهَكَ وَإِلَٰهَ آبَائِكَ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ إِلَٰهًا وَاحِدًا وَنَحْنُ لَهُ مُسْلِمُونَ (133)

(૧૩૩) શું તમે (હજરત) યાકુબની મોત વખતે હાજર હતા ? જ્યારે તેમણે પોતાની સંતાનને કહ્યું કે મારા મૃત્યુ પછી કોની બંદગી કરશો તો બધાએ જવાબ આપ્યો કે તમારા રબની અને તમારા બાપ-દાદા ઈબ્રાહીમ, ઈસ્માઈલ અને ઈસ્હાકના માઅબૂદની, જે એક જ છે અને અમે તેના જ તાબેદાર રહીશું.


تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ (134)

(૧૩૪) આ ઉમ્મત તો પસાર થઈ ચુકી, જે તેમણે કર્યુ તે તેમના માટે છે અને જે તમે કરશો તે તમારા માટે છે તેમના કાર્યો બાબતે તમને નહિં પૂછવામાં આવે.


وَقَالُوا كُونُوا هُودًا أَوْ نَصَارَىٰ تَهْتَدُوا ۗ قُلْ بَلْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ (135)

(૧૩૫) તેઓ કહે છે કે યહૂદી અને ઈસાઈ બની જાઓ તો હિદાયત પામશો, તમે કહો કે સાચા રસ્તા પર તો ઈબ્રાહીમ (અ.સ.) ના પેરોકાર છે, અને ઈબ્રાહીમ (અ.સ.) ફક્ત અલ્લાહના ફરમાબરદાર હતા, તે મૂર્તિપૂજક ન હતા.


قُولُوا آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْنَا وَمَا أُنزِلَ إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَا أُوتِيَ النَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ (136)

(૧૩૬) (અય મુસલમાનો !) તમે બધા કહો અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા, અને તેના પર જે અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક, યાકૂબ અને તેમની સંતાન પર ઉતારવામાં આવ્યું, અને જે કાંઈ અલ્લાહ તરફથી મૂસા, ઈસા અને બીજા નબીઓને આપવામાં આવ્યું અને અમે એમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ નથી કરતા, અમે અલ્લાહના તાબેદાર છીએ.


فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنتُم بِهِ فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقٍ ۖ فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ (137)

(૧૩૭) જો તેઓ તમારા જેવું ઈમાન લાવે તો હિદાયત પામશે, અને જો મોઢુ ફેરવશે તો વિરોધમાં છે, અલ્લાહ (તઆલા) તેમનાથી નજીકના ભવિષ્યમાં તમારી મદદ કરશે. તે સારી રીતે સાંભળવાવાળો અને જાણવાવાળો છે.


صِبْغَةَ اللَّهِ ۖ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ صِبْغَةً ۖ وَنَحْنُ لَهُ عَابِدُونَ (138)

(૧૩૮) અલ્લાહનો રંગ અપનાવો અને અલ્લાહ તઆલાથી સારો રંગ કોનો હશે? અમે તો તેની જ બંદગી કરનારા છીએ.


قُلْ أَتُحَاجُّونَنَا فِي اللَّهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ وَلَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ وَنَحْنُ لَهُ مُخْلِصُونَ (139)

(૧૩૯) (આપ) કહી દો શું તમે અમારાથી અલ્લાહના વિશે ઝઘડો છો, જે અમારો અને તમારો રબ છે, અમારા માટે અમારા કર્મ છે, તમારા માટે તમારા કર્મ છે, અમે તો તેના માટે જ નિખાલસ છીએ.

أَمْ تَقُولُونَ إِنَّ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطَ كَانُوا هُودًا أَوْ نَصَارَىٰ ۗ قُلْ أَأَنتُمْ أَعْلَمُ أَمِ اللَّهُ ۗ وَمَنْ أَظْلَمُ مِمَّن كَتَمَ شَهَادَةً عِندَهُ مِنَ اللَّهِ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ (140)

(૧૪૦) શું તમે કહો છો ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક અને યાકૂબ અને તેમની સંતાનો યહૂદી અથવા ઈસાઈ હતી? કહી દો શું તમે વધારે જાણો છો કે અલ્લાહ (તઆલા)? અલ્લાહની નજીક સાક્ષી છુપાવવાવાળાથી વધારે જાલિમ બીજુ કોણ છે? અને અલ્લાહ (તઆલા) તમારા કર્મોથી ગાફેલ નથી.


تِلْكَ أُمَّةٌ قَدْ خَلَتْ ۖ لَهَا مَا كَسَبَتْ وَلَكُم مَّا كَسَبْتُمْ ۖ وَلَا تُسْأَلُونَ عَمَّا كَانُوا يَعْمَلُونَ (141)

(૧૪૧) આ સમુદાય છે જે પસાર થઈ ગયો, જે તેમણે કર્યુ તેમના માટે, અને જે તમે કર્યુ તમારા માટે, તમને એમના કર્મો વિશે સવાલ કરવમાં નહિં આવે.