Surah Al-Baqarah
સૂરહ અલ-બકરહ
સૂરહ અલ-બકરહ
નીચે આપેલી આયતોની તિલાવત સાંભળવા માટે Play બટન પર ક્લિક કરો.
(૧૩૦) અને ઇબ્રાહીમના ધર્મથી તે જ મોઢું ફેરવશે જે પોતે બેવકૂફ હોય, અમે તો તેને દુનિયામાં પણ અપનાવી લીધો અને આખિરતમાં પણ તે નેક લોકોમાંથી છે.
(૧૩૧) જ્યારે (પણ) તેના રબે કહ્યું કે આત્મસમર્પણ કરી દો, તો તેણે કહ્યું કે મેં તમામ સૃષ્ટિના રબ માટે આત્મસમર્પણ કરી દીધું.
(૧૩૨) આની વસીયત ઈબ્રાહીમ અને યાકૂબે પોતાના દિકરાઓને કરી કે “અય મારા દિકરાઓ ! અલ્લાહ (તઆલા) એ તમારા માટે આ ધર્મને પસંદ કરી દીધો છે. ખબરદાર! તમે મુસલમાન જ મરજો.”[55]
(૧૩૩) શું તમે (હજરત) યાકૂબની મોત વખતે હાજર હતા ? જયારે તેમણે પોતાની સંતાનને કહ્યું કે મારા મૃત્યુ પછી તમે કોની બંદગી કરશો તો બધાએ જવાબ આપ્યો કે તમારા રબની અને તમારા બાપ-દાદા ઈબ્રાહીમ, ઈસ્માઈલ અને ઈસ્હાકના માઅબૂદની, જે એક જ છે અને અમે તેના જ તાબેદાર રહીશું.
(૧૩૪) આ ઉમ્મત તો પસાર થઈ ચુકી, જે તેમણે કર્યુ તે તેમના માટે છે અને જે તમે કરશો તે તમારા માટે છે તેમના કાર્યો બાબતે તમને નહિં પૂછવામાં આવે.
(૧૩૫) તેઓ કહે છે કે યહૂદી અને ઈસાઈ બની જાઓ તો હિદાયત પામશો, તમે કહો કે સાચા રસ્તા પર તો ઈબ્રાહીમ (અ.સ.)ના પેરોકાર છે, અને ઈબાહીમ (અ.સ.) ફક્ત અલ્લાહના ફરમાબરદાર હતા, તે મૂર્તિપૂજક ન હતા.[56]
(૧૩૬) (અય મુસલમાનો!) તમે બધા કહો અમે અલ્લાહ પર ઈમાન લાવ્યા, અને તેના પર જે અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક, યાકૂબ અને તેમની સંતાન પર ઉતારવામાં આવ્યું, અને જે કાંઈ અલ્લાહ તરફથી મૂસા, ઈસા અને બીજા નબીઓને આપવામાં આવ્યું અને અમે એમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ નથી કરતા, અમે અલ્લાહના તાબેદાર છીએ.[57]
(૧૩૭) જો તેઓ તમારા જેવું ઈમાન લાવે તો હિદાયત પામશે, અને જો મોઢુ ફેરવશે તો વિરોધમાં છે, અલ્લાહ (તઆલા) તેમનાથી નજીકના ભવિષ્યમાં તમારી મદદ કરશે. તે સારી રીતે સાંભળવાવાળો અને જાણવાવાળો છે.
(૧૩૮) અલ્લાહનો રંગ અપનાવો અને અલ્લાહ તઆલાથી સારો રંગ કોનો હશે? [58] અમે તો તેની જ બંદગી કરનારા છીએ.
(૧૩૯) (આપ) કહી દો શું તમે અમારાથી અલ્લાહના બારામાં ઝઘડો છો, જે અમારો અને તમારો રબ છે, અમારા માટે અમારા કર્મ છે, તમારા માટે તમારા કર્મ છે, અમે તો તેના માટે જ ખાલિસ (નર્યા) છીએ.
(૧૪૦) શું તમે કહો છો ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસહાક અને યાકૂબ અને તેમની સંતાનો યહૂદી અથવા ઈસાઈ હતી? કહી દો શું તમે વધારે જાણો છો કે અલ્લાહ (તઆલા)? અલ્લાહની નજીક સાક્ષી છુપાવવાવાળાથી વધારે જાલિમ બીજુ કોણ છે? અને અલ્લાહ (તઆલા) તમારા કર્મોથી ગાફેલ નથી.
(૧૪૧) આ સમુદાય છે જે પસાર થઈ ગયો, જે તેમણે કર્યુ તેમના માટે, અને જે તમે કર્યુ તમારા માટે, તમને એમના કર્મો વિષે સવાલ કરવામાં નહિં આવે.[59]