(૧૦૪) હે ઈમાનવાળાઓ ! તમે (નબી સ.અ.વ. ને) “રાઈના” (અમારૂ ધ્યાન રાખો અથવા અમારો ખ્યાલ કરો) ન કહ્યા કરો, પરંતુ “ઉન્ઝુરના” (અમારી તરફ જુઓ) કહો. અને સાંભળતા રહો અને કાફિરો માટે દુઃખદાયી અઝાબ છે.
(૧૦૫) ન તો કિતાબવાળાઓના કાફિરો અને ન મૂર્તિપૂજકો ચાહે છે કે તમારા પર તમારા રબ તરફથી ભલાઈ ઉતરે (તેમની આ ઈર્ષા શું થયું?) અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે પોતાની કૃપા ખાસ તરીકાથી આપી દે અને અલ્લાહ મોટો મહેરબાન છે.
(૧૦૮) શું તમે પોતાના રસૂલને એવા સવાલ કરવા ઈચ્છો છો જેવી રીતે આના પેહલા મૂસા(અ.સ.) ને પૂછવામાં આવ્યા? (સાંભળો!) જે ઈમાનને કુફ્રથી બદલે છે તે સીધા રસ્તા પરથી ભટકી જાય છે.
(૧૦૯) આ કિતાબવાળાઓના ઘણા ખરા લોકો સત્ય જાહેર થઈ ગયા પછી પણ ફક્ત ઈર્ષા અને જલનના કારણે તમને પણ ઈમાનથી હટાવી દેવા ઈચ્છે છે, તમે તેઓ ને માફ કરો અને છોડી દો અહીં સુધી કે અલ્લાહ પોતાનો નિર્ણય લાગુ કરી દે. બેશક અલ્લાહ તઆલા દરેક કામ કરવાની કુદરત ધરાવે છે.
(૧૧૦) તમે નમાઝ કાયમ કરો અને ઝકાત(ધર્મદાન) આપતા રહો અને જે ભલાઈ તમે પોતાના માટે આગળ મોકલશો બધુ જ અલ્લાહની પાસે મેળવી લેશો, બેશક અલ્લાહ (તઆલા) તમારા કાર્યોને જોઇ રહ્યો છે.