Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂ : ૧૩

આયત ૧૦૪ થી ૧૧૨


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقُولُوا رَاعِنَا وَقُولُوا انظُرْنَا وَاسْمَعُوا ۗ وَلِلْكَافِرِينَ عَذَابٌ أَلِيمٌ (104)

(૧૦૪) હે ઈમાનવાળાઓ ! તમે (નબી સ.અ.વ. ને) “રાઈના” (અમારૂ ધ્યાન રાખો અથવા અમારો ખ્યાલ કરો) ન કહ્યા કરો, પરંતુ “ઉન્ઝુરના” (અમારી તરફ જુઓ) કહો. અને સાંભળતા રહો અને કાફિરો માટે દુઃખદાયી અઝાબ છે.


مَّا يَوَدُّ الَّذِينَ كَفَرُوا مِنْ أَهْلِ الْكِتَابِ وَلَا الْمُشْرِكِينَ أَن يُنَزَّلَ عَلَيْكُم مِّنْ خَيْرٍ مِّن رَّبِّكُمْ ۗ وَاللَّهُ يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ (105)

(૧૦૫) ન તો કિતાબવાળાઓના કાફિરો અને ન મૂર્તિપૂજકો ચાહે છે કે તમારા પર તમારા રબ તરફથી ભલાઈ ઉતરે (તેમની આ ઈર્ષા શું થયું?) અલ્લાહ (તઆલા) જેને ઈચ્છે પોતાની કૃપા ખાસ તરીકાથી આપી દે અને અલ્લાહ મોટો મહેરબાન છે.


مَا نَنسَخْ مِنْ آيَةٍ أَوْ نُنسِهَا نَأْتِ بِخَيْرٍ مِّنْهَا أَوْ مِثْلِهَا ۗ أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ (106)

(૧૦૬) જે આયતને અમે રદ કરીએ અથવા ભુલાવી દઈએ તો તેનાથી સારી અથવા તેના જેવી બીજી લાવીએ છીએ, શું તમે નથી જાણતા કે અલ્લાહ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે.


أَلَمْ تَعْلَمْ أَنَّ اللَّهَ لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ (107)

(૧૦૭) શું તમને ખબર નથી કે ધરતી અને આકાશોની હુકૂમત અલ્લાહ માટે જ છે. અને અલ્લાહના સિવાય તમારો કોઈ સંરક્ષક(વલી) અને મદદગાર નથી.


أَمْ تُرِيدُونَ أَن تَسْأَلُوا رَسُولَكُمْ كَمَا سُئِلَ مُوسَىٰ مِن قَبْلُ ۗ وَمَن يَتَبَدَّلِ الْكُفْرَ بِالْإِيمَانِ فَقَدْ ضَلَّ سَوَاءَ السَّبِيلِ (108)

(૧૦૮) શું તમે પોતાના રસૂલને એવા સવાલ કરવા ઈચ્છો છો જેવી રીતે આના પેહલા મૂસા(અ.સ.) ને પૂછવામાં આવ્યા? (સાંભળો!) જે ઈમાનને કુફ્રથી બદલે છે તે સીધા રસ્તા પરથી ભટકી જાય છે.


وَدَّ كَثِيرٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يَرُدُّونَكُم مِّن بَعْدِ إِيمَانِكُمْ كُفَّارًا حَسَدًا مِّنْ عِندِ أَنفُسِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْحَقُّ ۖ فَاعْفُوا وَاصْفَحُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ (109)

(૧૦૯) આ કિતાબવાળાઓના ઘણા ખરા લોકો સત્ય જાહેર થઈ ગયા પછી પણ ફક્ત ઈર્ષા અને જલનના કારણે તમને પણ ઈમાનથી હટાવી દેવા ઈચ્છે છે, તમે તેઓ ને માફ કરો અને છોડી દો અહીં સુધી કે અલ્લાહ પોતાનો નિર્ણય લાગુ કરી દે. બેશક અલ્લાહ તઆલા દરેક કામ કરવાની કુદરત ધરાવે છે.


وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ۚ وَمَا تُقَدِّمُوا لِأَنفُسِكُم مِّنْ خَيْرٍ تَجِدُوهُ عِندَ اللَّهِ ۗ إِنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ(110)

(૧૧૦) તમે નમાઝ કાયમ કરો અને ઝકાત(ધર્મદાન) આપતા રહો અને જે ભલાઈ તમે પોતાના માટે આગળ મોકલશો બધુ જ અલ્લાહની પાસે મેળવી લેશો, બેશક અલ્લાહ (તઆલા) તમારા કાર્યોને જોઇ રહ્યો છે.


وَقَالُوا لَن يَدْخُلَ الْجَنَّةَ إِلَّا مَن كَانَ هُودًا أَوْ نَصَارَىٰ ۗ تِلْكَ أَمَانِيُّهُمْ ۗ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِن كُنتُمْ صَادِقِينَ (111)

(૧૧૧) અને તેઓ કહે છે કે જન્નતમાં યહૂદી અને ઈસાઈના સિવાય કોઈ જશે નહિં, આ ફક્ત તેમની તમન્નાઓ છે,તેમને કહો જો તમે સાચા હોવ તો કોઈ દલીલ તો રજૂ કરો.


بَلَىٰ مَنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ فَلَهُ أَجْرُهُ عِندَ رَبِّهِ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ (112)

(૧૧૨) સાંભળો! જેણે પોતાની જાત અલ્લાહને સોંપી દીધી, અને નેક છે તેના માટે તેના રબ પાસે બદલો છે અને ન તેના પર કોઈ ભય હશે ન કોઈ ગમ.