Surah Al-Anfal

સૂરહ અલ અન્ફાલ

રૂકૂઅ : ૬

આયત ૪૫ થી ૪૮

یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْۤا اِذَا لَقِیْتُمْ فِئَةً فَاثْبُتُوْا وَ اذْكُرُوا اللّٰهَ كَثِیْرًا لَّعَلَّكُمْ تُفْلِحُوْنَۚ (45)

(૪૫) અય ઈમાનવાળાઓ ! જ્યારે તમારો કોઈ વિરોધી સેનાથી મુકાબલો થાય, તો અડગ રહો અને અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરો, જેથી તમને સફળતા પ્રાપ્ત થાય.


وَ اَطِیْعُوا اللّٰهَ وَ رَسُوْلَهٗ وَ لَا تَنَازَعُوْا فَتَفْشَلُوْا وَ تَذْهَبَ رِیْحُكُمْ وَ اصْبِرُوْا ؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِیْنَۚ (46)

(૪૬) અને અલ્લાહ અને તેના રસૂલના હુકમનું પાલન કરતા રહો, પરસ્પર મતભેદ ન રાખો, નહિં તો બુજદિલ થઈ જશો અને તમારી હવા ઉખડી જશે અને સબ્ર તથા યકીન રાખો, બેશક અલ્લાહ (તઆલા) સબ્ર કરનારાઓના સાથે છે.


وَ لَا تَكُوْنُوْا كَالَّذِیْنَ خَرَجُوْا مِنْ دِیَارِهِمْ بَطَرًا وَّ رِئَآءَ النَّاسِ وَ یَصُدُّوْنَ عَنْ سَبِیْلِ اللّٰهِ ؕ وَ اللّٰهُ بِمَا یَعْمَلُوْنَ مُحِیْطٌ (47)

(૪૭) અને તે લોકો જેવા ન બનો, જેઓ ઘમંડ કરતા અને લોકોમાં અભિમાન કરતા પોતાના ઘરોમાંથી નીકળ્યા અને અલ્લાહના માર્ગથી રોકતા હતા, જે કંઈ તેઓ કરી રહ્યા હતા અલ્લાહ તેને ઘેરી લેનાર છે.


وَ اِذْ زَیَّنَ لَهُمُ الشَّیْطٰنُ اَعْمَالَهُمْ وَ قَالَ لَا غَالِبَ لَكُمُ الْیَوْمَ مِنَ النَّاسِ وَ اِنِّیْ جَارٌ لَّكُمْ ۚ فَلَمَّا تَرَآءَتِ الْفِئَتٰنِ نَكَصَ عَلٰى عَقِبَیْهِ وَ قَالَ اِنِّیْ بَرِیْٓءٌ مِّنْكُمْ اِنِّیْۤ اَرٰى مَا لَا تَرَوْنَ اِنِّیْۤ اَخَافُ اللّٰهَ ؕ وَ اللّٰهُ شَدِیْدُ الْعِقَابِ ۧ (48)

(૪૮) અને જ્યારે તેમના કર્મોને શેતાન તેમને સુશોભિત કરી દેખાડી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે મનુષ્યોમાંથી કોઈ પણ આજે તમારા ઉપર પ્રભાવી થઈ શકતુ નથી, હું સ્વયં તમારો સમર્થક છું, પરંતુ જ્યારે બંને જૂથો જાહેર થયા તો તે ઊલટા પગે પાછો ફરી ગયો, અને કહેવા લાગ્યો કે હું તો તમારાથી અલગ છું, હું તે જોઈ રહ્યો છું જે તમે નથી જોઈ રહ્યા, હું અલ્લાહથી ડરું છું અને અલ્લાહ (તઆલા) સખત સજા આપવાવાળો છે. (ع-)