(૫૪) અય ઈમાનવાળાઓ! તમારામાંથી જેઓ પોતાના ધર્મથી ફરી જાય તો અલ્લાહ (તઆલા) બહુજ જલ્દી એવી કોમના લોકોને લાવશે જેઓ અલ્લાહને પ્રિય હશે અને તેઓને પણ અલ્લાહ પ્રિય હશે, તેઓ નરમ દિલ હશે મુસલમાનો પર, સખત અને બેરહમ હશે કાફિરો ૫૨, અલ્લાહના માર્ગમાં જિહાદ કરશે, કોઈ નિંદા કરનાર વ્યક્તિની નિંદાની ફિકર નહિ કરે, આ છે અલ્લાહ (તઆલા)ની મહેરબાની જેને ઈચ્છે પ્રદાન કરે, અલ્લાહ (તઆલા) સર્વશક્તિમાન છે અને ઘણા ઈલ્મવાળો છે.