Surah Al-Ma'idha

સૂરહ અલ માઈદહ

રૂકૂઅ : ૮

આયત ૫૧ થી ૫૬


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوا الْیَهُوْدَ وَ النَّصٰرٰۤى اَوْلِیَآءَ ؔۘ بَعْضُهُمْ اَوْلِیَآءُ بَعْضٍ ؕ وَ مَنْ یَّتَوَلَّهُمْ مِّنْكُمْ فَاِنَّهٗ مِنْهُمْ ؕ اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ (51)

(૫૧) અય ઈમાનવાળાઓ! તમે યહૂદિઓ અનેં ઈસાઈઓને દોસ્ત ન બનાવો, તેઓ તો પરસ્પર એકબીજાના દોસ્ત છે, તમારામાંથી જે કોઈ પણ તેમના સાથે દોસ્તી કરે તો તે પણ તેમનામાંથી છે, જાલિમોને અલ્લાહ (તઆલા) કદી પણ હિદાયત આપતો નથી.


فَتَرَى الَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ یُّسَارِعُوْنَ فِیْهِمْ یَقُوْلُوْنَ نَخْشٰۤى اَنْ تُصِیْبَنَا دَآئِرَةٌ ؕ فَعَسَى اللّٰهُ اَنْ یَّاْتِیَ بِالْفَتْحِ اَوْ اَمْرٍ مِّنْ عِنْدِهٖ فَیُصْبِحُوْا عَلٰى مَاۤ اَسَرُّوْا فِیْۤ اَنْفُسِهِمْ نٰدِمِیْنَ ؕ (52)

(૫૨) તમે જોશો કે જેમના દિલોમાં રોગ છે, તેઓ દોડી-દોડીને તેમાં ઘુસી રહ્યા છે અને કહે છે કે અમને ડર છે કે એવું ન થાય કે કોઈ ઘટના અમારા ૫૨ ઘટી જાય, વધારે શક્ય છે કે અલ્લાહ (તઆલા) વિજય પ્રદાન કરી દે અથવા પોતાની પાસેથી કોઈ બીજો ફેંસલો લાવે, પછી તો તેઓ પોતાના દિલમાં છૂપાયેલ વાત પર ઘણા શરમિંદા થશે.


وَ یَقُوْلُ الَّذِیْنَ اٰمَنُوْۤا اَهٰۤؤُلَآءِ الَّذِیْنَ اَقْسَمُوْا بِاللّٰهِ جَهْدَ اَیْمَانِهِمْ ۙ اِنَّهُمْ لَمَعَكُمْ ؕ حَبِطَتْ اَعْمَالُهُمْ فَاَصْبَحُوْا خٰسِرِیْنَ (53)

(૫૩) અને ઈમાનવાળાઓ કહેશે કે શું આ તે લોકો છે જે મોટા યકીનથી અલ્લાહની કસમ ખાઈ-ખાઈને કહે છે કે અમે તમારા સાથે છીએ, તેમના કર્મો બરબાદ થઈ ગયા અને તેઓ નિષ્ફળ થઈ ગયા.


یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا مَنْ یَّرْتَدَّ مِنْكُمْ عَنْ دِیْنِهٖ فَسَوْفَ یَاْتِی اللّٰهُ بِقَوْمٍ یُّحِبُّهُمْ وَ یُحِبُّوْنَهٗۤ ۙ اَذِلَّةٍ عَلَى الْمُؤْمِنِیْنَ اَعِزَّةٍ عَلَى الْكٰفِرِیْنَ {ص} یُجَاهِدُوْنَ فِیْ سَبِیْلِ اللّٰهِ وَ لَا یَخَافُوْنَ لَوْمَةَ لَآئِمٍ ؕ ذٰلِكَ فَضْلُ اللّٰهِ یُؤْتِیْهِ مَنْ یَّشَآءُ ؕ وَ اللّٰهُ وَاسِعٌ عَلِیْمٌ (54)

(૫૪) અય ઈમાનવાળાઓ! તમારામાંથી જેઓ પોતાના ધર્મથી ફરી જાય તો અલ્લાહ (તઆલા) બહુજ જલ્દી એવી કોમના લોકોને લાવશે જેઓ અલ્લાહને પ્રિય હશે અને તેઓને પણ અલ્લાહ પ્રિય હશે, તેઓ નરમ દિલ હશે મુસલમાનો પર, સખત અને બેરહમ હશે કાફિરો ૫૨, અલ્લાહના માર્ગમાં જિહાદ કરશે, કોઈ નિંદા કરનાર વ્યક્તિની નિંદાની ફિકર નહિ કરે, આ છે અલ્લાહ (તઆલા)ની મહેરબાની જેને ઈચ્છે પ્રદાન કરે, અલ્લાહ (તઆલા) સર્વશક્તિમાન છે અને ઘણા ઈલ્મવાળો છે.


اِنَّمَا وَلِیُّكُمُ اللّٰهُ وَ رَسُوْلُهٗ وَ الَّذِیْنَ اٰمَنُوا الَّذِیْنَ یُقِیْمُوْنَ الصَّلٰوةَ وَ یُؤْتُوْنَ الزَّكٰوةَ وَ هُمْ رٰكِعُوْنَ (55)

(૫૫) (મુસલમાનો!) તમારો દોસ્ત અલ્લાહ પોતે છે અને તેનો રસૂલ છે અને ઈમાનવાળાઓ છે જેઓ નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે અને તેઓ રુકૂઅ (એખલાસની સાથે ધ્યાનમગ્ન રહીને) કરવાવાળા છે.


وَ مَنْ یَّتَوَلَّ اللّٰهَ وَ رَسُوْلَهٗ وَ الَّذِیْنَ اٰمَنُوْا فَاِنَّ حِزْبَ اللّٰهِ هُمُ الْغٰلِبُوْنَ ۧ (56)

(૫૬) અને જે વ્યક્તિ અલ્લાહ (તઆલા)થી અને તેના રસૂલ અને મુસલમાનોથી દોસ્તી કરે તેણે યકીન કરવું જોઈએ કે અલ્લાહ (તઆલા)ના બંદાઓ જ પ્રભાવી રહેશે. (ع-)