Surah Al-Baqarah

સૂરહ અલ-બકરહ

રૂકૂઅ : ૩૭

આયત ૨૬૭ થી ૨૭૩


يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنفِقُوا مِن طَيِّبَاتِ مَا كَسَبْتُمْ وَمِمَّا أَخْرَجْنَا لَكُم مِّنَ الْأَرْضِ ۖ وَلَا تَيَمَّمُوا الْخَبِيثَ مِنْهُ تُنفِقُونَ وَلَسْتُم بِآخِذِيهِ إِلَّا أَن تُغْمِضُوا فِيهِ ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ غَنِيٌّ حَمِيدٌ (267)

(૨૬૭) હે ઈમાનવાળાઓ ! પોતાની હલાલ કમાઈમાંથી અને ધરતીમાંથી તમારા માટે અમારી કાઢેલી વસ્તુઓમાંથી ખર્ચ કરો. તેમાંથી ખરાબ વસ્તુઓને ખર્ચ કરવાનો ઈરાદો ન કરતા જેને તમે પોતે લેવાવાળા નથી, હા! જો આંખો બંધ કરી લો તો, અને જાણી લો અલ્લાહ (તઆલા) બેનિયાઝ અને પ્રશંસાવાળો (ખૂબીઓવાળો) છે.


الشَّيْطَانُ يَعِدُكُمُ الْفَقْرَ وَيَأْمُرُكُم بِالْفَحْشَاءِ ۖ وَاللَّهُ يَعِدُكُم مَّغْفِرَةً مِّنْهُ وَفَضْلًا ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ (268)

(૨૬૮) શયતાન તમને ગરીબીથી ડરાવે છે, અને બેશરમીનો હુકમ આપે છે અને અલ્લાહ (તઆલા) તમને પોતાની રહમત અને ફઝલનો વાયદો કરે છે. અલ્લાહ (તઆલા) ઘણો મહેરબાન અને ઇલ્મવાળો છે.


يُؤْتِي الْحِكْمَةَ مَن يَشَاءُ ۚ وَمَن يُؤْتَ الْحِكْمَةَ فَقَدْ أُوتِيَ خَيْرًا كَثِيرًا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ (269)

(૨૬૯) તે જેને ઈચ્છે હિકમત (સમજ) આપે છે અને જેને હિકમત આપી દેવામાં આવી તેને ઘણી બધી ભલાઈ આપી દીધી અને નસીહત ફક્ત અકલમંદો જ પ્રાપ્ત કરે છે.


وَمَا أَنفَقْتُم مِّن نَّفَقَةٍ أَوْ نَذَرْتُم مِّن نَّذْرٍ فَإِنَّ اللَّهَ يَعْلَمُهُ ۗ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ (270)

(૨૭૦) તમે ઇચ્છો તેટલુ ખર્ચ કરો (અથવા સદકો કરો) અને જે કંઈ નજર માનો તેને અલ્લાહ(તઆલા) જાણે છે અને જાલિમોનો કોઈ મદદગાર નથી.


إِن تُبْدُوا الصَّدَقَاتِ فَنِعِمَّا هِيَ ۖ وَإِن تُخْفُوهَا وَتُؤْتُوهَا الْفُقَرَاءَ فَهُوَ خَيْرٌ لَّكُمْ ۚ وَيُكَفِّرُ عَنكُم مِّن سَيِّئَاتِكُمْ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ (271)

(૨૭૧) જો તમે સદકા (દાન-પુણ્ય)ને જાહેર કરો તો તે પણ સારું છે, અને જો તમે તેને છુપાવીને ગરીબોને આપી દો, તો આ તમારા માટે સૌથી ઉત્તમ છે. અલ્લાહ (તઆલા) તમારા ગુનાહોને મીટાવી દેશે અને અલ્લાહ (તઆલા) તમારા દરેક કર્મોથી બાખબર છે.


لَّيْسَ عَلَيْكَ هُدَاهُمْ وَلَٰكِنَّ اللَّهَ يَهْدِي مَن يَشَاءُ ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَلِأَنفُسِكُمْ ۚ وَمَا تُنفِقُونَ إِلَّا ابْتِغَاءَ وَجْهِ اللَّهِ ۚ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ يُوَفَّ إِلَيْكُمْ وَأَنتُمْ لَا تُظْلَمُونَ (272)

(૨૭૨) તેમને હિદાયત પર લાવી દેવા તમારા અધિકારમાં નથી, પરંતુ હિદાયત અલ્લાહ (તઆલા) આપે છે જેને ઈચ્છે છે, અને તમે જે સારી વસ્તુ અલ્લાહના માર્ગમાં આપશો તેનો ફાયદો પોતે મેળવશો, તમારે ફક્ત અલ્લાહ (તઆલા)ની ખુશી પ્રાપ્ત કરવા માટે ખર્ચ કરવું જોઈએ, તમે જે કોઈ માલ ખર્ચ કરશો તેનો પૂરેપૂરો બદલો તમને આપવામાં આવશે અને તમારો હક મારવામાં નહિં આવે.


لِلْفُقَرَاءِ الَّذِينَ أُحْصِرُوا فِي سَبِيلِ اللَّهِ لَا يَسْتَطِيعُونَ ضَرْبًا فِي الْأَرْضِ يَحْسَبُهُمُ الْجَاهِلُ أَغْنِيَاءَ مِنَ التَّعَفُّفِ تَعْرِفُهُم بِسِيمَاهُمْ لَا يَسْأَلُونَ النَّاسَ إِلْحَافًا ۗ وَمَا تُنفِقُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ (273)

(૨૭૩) દાનને લાયક ફક્ત તે ગરીબો છે જેઓ અલ્લાહના માર્ગમાં રોકી દેવામાં આવ્યા, જેઓ દેશમાં હરી ફરી શકતા નથી, બેવકૂફ લોકો તેમના સવાલ ન કરવાને કારણે તેમને માલદાર સમજે છે, તમે તેમના મોઢા ને જોઈને નિશાનીથી તેમને ઓળખી લેશો, તે લોકોથી ચીમટીને ભીખ નથી માંગતા, તમે જે કંઈ માલ ખર્ચ કરો અલ્લાહ (તઆલા) તેને જાણનાર છે.