Surah Al-Hajj

સૂરહ અલ-હજ્જ

રૂકૂઅ : ૭

આયત ૪૯ થી ૫૭

قُلْ یٰۤاَیُّهَا النَّاسُ اِنَّمَاۤ اَنَا لَكُمْ نَذِیْرٌ مُّبِیْنٌۚ (49)

(૪૯) એલાન કરી દો કે, “હે લોકો! હું તમને સ્પષ્ટ રીતે સચેત કરવાવાળો છું.”


فَالَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ لَهُمْ مَّغْفِرَةٌ وَّ رِزْقٌ كَرِیْمٌ (50)

(૫૦) તો જેઓ ઈમાન લાવ્યા છે અને નેક કામો કર્યા છે તેમના માટેજ મગફિરત (મોક્ષ) છે અને સન્માનિત રોજી.


وَ الَّذِیْنَ سَعَوْا فِیْۤ اٰیٰتِنَا مُعٰجِزِیْنَ اُولٰٓئِكَ اَصْحٰبُ الْجَحِیْمِ (51)

(૫૧) અને જે લોકો અમારી આયતોને નીચી દેખાડવામાં લાગ્યા છે, તેઓ જ જહન્નમવાસી છે.


وَ مَاۤ اَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رَّسُوْلٍ وَّ لَا نَبِیٍّ اِلَّاۤ اِذَا تَمَنّٰۤى اَلْقَى الشَّیْطٰنُ فِیْۤ اُمْنِیَّتِهٖ ۚ فَیَنْسَخُ اللّٰهُ مَا یُلْقِی الشَّیْطٰنُ ثُمَّ یُحْكِمُ اللّٰهُ اٰیٰتِهٖ ؕ وَ اللّٰهُ عَلِیْمٌ حَكِیْمٌۙ (52)

(૫૨) અને અમે તમારા પહેલા જે રસૂલ અને નબીને મોકલ્યા (તેમના સાથે એવું થયું કે) જ્યારે તેણે પોતાના દિલમાં કોઈ ઈચ્છા કરી, શેતાને તેની ઈચ્છામાં કંઈક ભેળવી દીધું, તો શેતાનની મિલાવટને અલ્લાહ (તઆલા) દૂર કરી દે છે, પછી પોતાની આયતોને મજબૂત કરી દે છે, અલ્લાહ (તઆલા) જાણવાવાળો અને હિકમતવાળો છે.


لِّیَجْعَلَ مَا یُلْقِی الشَّیْطٰنُ فِتْنَةً لِّلَّذِیْنَ فِیْ قُلُوْبِهِمْ مَّرَضٌ وَّ الْقَاسِیَةِ قُلُوْبُهُمْ ؕ وَ اِنَّ الظّٰلِمِیْنَ لَفِیْ شِقَاقٍۭ بَعِیْدٍۙ (53)

(૫૩) આ એટલા માટે કે શેતાનની મિલાવટને અલ્લાહ (તઆલા) તે લોકોની પરીક્ષાનો સામાન બનાવી દે છે, જેમના દિલોમાં રોગ છે, અને જેમના દિલ સખત છે, બેશક જાલિમ લોકો ઘોર વિરોધમાં છે.


وَّ لِیَعْلَمَ الَّذِیْنَ اُوْتُوا الْعِلْمَ اَنَّهُ الْحَقُّ مِنْ رَّبِّكَ فَیُؤْمِنُوْا بِهٖ فَتُخْبِتَ لَهٗ قُلُوْبُهُمْ ؕ وَ اِنَّ اللّٰهَ لَهَادِ الَّذِیْنَ اٰمَنُوْۤا اِلٰى صِرَاطٍ مُّسْتَقِیْمٍ (54)

(૫૪) અને એટલા માટે પણ કે જેમને ઈલ્મ પ્રદાન કરવામાં આવ્યું છે, તેઓ વિશ્વાસ કરી લે કે આ તમારા રબ તરફથી સંપૂર્ણ સત્ય છે, પછી તેઓ આના પર ઈમાન લાવે અને તેમના દિલ આના તરફ ઝૂકી જાય, બેશક અલ્લાહ (તઆલા) ઈમાનવાળાઓને સત્ય માર્ગ તરફ માર્ગદર્શન કરવાવાળો છે.


وَ لَا یَزَالُ الَّذِیْنَ كَفَرُوْا فِیْ مِرْیَةٍ مِّنْهُ حَتّٰى تَاْتِیَهُمُ السَّاعَةُ بَغْتَةً اَوْ یَاْتِیَهُمْ عَذَابُ یَوْمٍ عَقِیْمٍ (55)

(૫૫) અને કાફિરો અલ્લાહની વહીમાં હંમેશા શંકામાં પડ્યા રહેશે, ત્યાં સુધી કે અચાનક તેમના માથાં પર કયામત આવી જાય અથવા તેમના નજીક તે દિવસનો અઝાબ આવી જાય જે ભલાઈથી ખાલી છે.


اَلْمُلْكُ یَوْمَئِذٍ لِّلّٰهِ ؕ یَحْكُمُ بَیْنَهُمْ ؕ فَالَّذِیْنَ اٰمَنُوْا وَ عَمِلُوا الصّٰلِحٰتِ فِیْ جَنّٰتِ النَّعِیْمِ (56)

(૫૬) તે દિવસે ફક્ત અલ્લાહની જ બાદશાહી હશે, તે જ તેમના વચ્ચે ફેંસલો કરશે. ઈમાનવાળા અને નેક લોકો તો ને'મતો (ઉપહારો)થી ભરપુર જન્નતમાં હશે.


وَ الَّذِیْنَ كَفَرُوْا وَ كَذَّبُوْا بِاٰیٰتِنَا فَاُولٰٓئِكَ لَهُمْ عَذَابٌ مُّهِیْنٌ ۧ (57)

(૫૭) અને જે લોકોએ કુફ્ર કર્યું અને અમારી આયતોને ખોટી ઠેરવી, તેમના માટે અપમાનિત કરવાવાળો અઝાબ હશે. (ع-૭)